- યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં યાત્રિકોની ભારે ભીડ
- કેદારનાથમાં 4 દિવસમાં ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ
- અક્ષય તૃતીયાનાદિવસે ખોલવામાં આવ્યા કેદારનાથ ધામના કપાટ
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા શરૂ થયાને 4 દિવસ વીતી ગયા છે. કેદારનાથ ધામના દર્શન કરવા લાખો ભક્તો આવી રહ્યા છે. તાજેતરના ડેટા અનુસાર, 4 દિવસની યાત્રા દરમિયાન કેદારનાથ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે.
કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટી
ઉત્તરાખંડમાં 10મી મેના રોજ અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. અક્ષય તૃતીયાના શુભ અવસર પર યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં અદ્દભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં હળવી હિમવર્ષા અને વરસાદ જેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. જોકે, વહીવટીતંત્રે મુસાફરોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની સૂચના આપી છે. યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામ સિવાય બદ્રીનાથ ધામના કપાટ પણ 12 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે.
વહીવટીતંત્રે આ જરૂરી વ્યવસ્થાઓ કરી હતી
આ વર્ષે કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે આસ્થા પથનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પ્રવાસ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કેદારનાથ યાત્રા દરમિયાન જો કોઈ તીર્થયાત્રીને મદદની જરૂર હોય, તો તે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આ હેલ્પલાઈન નંબર 9870963731, 01364-297878, 01364-297879 પર પોતાની સમસ્યા નોંધાવી શકે છે. અત્યાર સુધીમાં ચાર ધામની મુલાકાત લેવા માટે ભારત અને વિદેશમાંથી 23 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે.


