By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: શીખવાની ગતિ જ જીવનનું સૌંદર્ય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શીખવાની ગતિ જ જીવનનું સૌંદર્ય છે

agragujaratnews
Last updated: 2024/08/01 at 3:20 AM
1 year ago
Share
શીખવાની ગતિ જ જીવનનું સૌંદર્ય છે
SHARE

શુંનમ્રતાનો અભ્યાસ કરી શકાય? ચોક્કસપણે, તમે નમ્ર છો એ વિશે સભાન હોવું એ નમ્ર બનવું નથી. તમે એ જાણવા ઈચ્છો છો કે તમે આવી ગયા છો. આ એવું સૂચવે છે – શું તે એવું નથી સૂચવતું? – કે તમે કોઈ ખાસ અવસ્થા પ્રાપ્ત કરવા માટે સાંભળો છો,

એવા કોઈ સ્થળે કે જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડે, જ્યાં તમને સનાતન સુખ મળી શકે, કાયમ સ્વર્ગનું સુખ મળે તે માટે સાંભળો છો? પરંતુ મેં તમને પહેલાં કહ્યું તેમ આગમન જેવું કાંઈ નથી, અહીં તો છે કેવળ શીખવાની ગતિ અને એ જ તો જીવનનું સૌંદર્ય છે. જો તમે આવી પહોંચ્યા હો તો ત્યારબાદ આગળ ક્યાંય જવાનું રહેતું જ નથી. તમે બધા આવી પહોંચ્યા છો કે પહોંચવા માગો છો. માત્ર તમારા ધંધામાં નહીં, પરંતુ તમે જે કાંઈ કરો છો તેમાં પણ તમે ક્યાંક પહોંચવા માગો છો, તેથી તમે અસંતુષ્ટ, હતાશ અને દુ:ખી છો. સજ્જનો, એવું કોઈ સ્થળ નથી જ્યાં જવાનું હોય, અહીં તો કેવળ શીખવાની આ ગતિ છે અને જ્યારે તેનો સંગ્રહ કરવામાં આવે ત્યારે તે પીડાદાયક બની જાય છે. જે મન પૂરેપૂરું ધ્યાન આપીને સાંભળે છે તે ક્યારેય પરિણામ ઉપર આવવાની રાહ નથી જોતું, કારણ કે તે હંમેશાં વિકસતું રહે છે, નદીની જેમ તે હંમેશાં ગતિશીલ હોય છે. આવું મન પોતાની પ્રવૃત્તિથી સંપૂર્ણપણે અજાણ હોય છે. એ અર્થમાં કે એવા મનમાં `હું’ના કાયમી અસ્તિત્વનો કોઈ ભાવ નથી હોતો, તે એવું મન નથી, કે જે કોઈ હેતુ પ્રાપ્ત કરવા માગતું હોય.

જ્ઞાન એ અવધાન નથી

અવધાન એ મનની એવી અવસ્થા છે કે જે કોઈ પણ વસ્તુનું તેની નિંદા વગર કે તેનો સ્વીકાર કર્યા વગર નિરીક્ષણ કરે છે, તે વસ્તુને તે જેવી છે તેવી જુએ છે. જ્યારે તમે કોઈ ફૂલને વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ જોતા નથી ત્યારે તમે ફૂલની સમગ્રતાને જુઓ છો, પરંતુ ફૂલ શું છે એ વિશેના તમામ વનસ્પતિશાસ્ત્રીય જ્ઞાનથી તમારું મન ભરેલું હોય છે ત્યારે તમે ફૂલ પ્રત્યે સમગ્રતાથી જોતા નથી. ભલે તમને કદાચ ફૂલ વિશે જ્ઞાન હોય, જો તે જ્ઞાને તમારા મનનો પૂરેપૂરો કબજો લઈ લીધો હોય, ત્યારે તમે ફૂલ તરફ સમગ્રપણે જોતા નથી હોતા. તેથી, હકીકતને જોવી એ તેનાથી સભાન થવું છે. તે સભાનતામાં પસંદગી, તિરસ્કાર, ગમો કે અણગમો નથી હોતો, પરંતુ આપણામાંના મોટાભાગના લોકો આમ કરવા સમર્થ નથી હોતા, કારણ કે પરંપરાગત, વ્યવસાયિકપણે, દરેક રીતે, કોઈ પૂર્વભૂમિકા વગર હકીકતનો સામનો કરવા માટે આપણે સમર્થ નથી. આપણે આપણી એ પૂર્વભૂમિકાથી સભાન થવું જ જાઈએ. આપણે આપણા સંસ્કારનાં બંધનોથી સભાન થવું જ જોઈએ અને એ બંધનો જ્યારે આપણે કોઈ હકીકતનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે ખુદ-બ-ખુદ, આપોઆપ આપણી સામે આવે છે અને તમારે હકીકતના નિરીક્ષણ સાથે સંબંધ છે અને નહીં કે પૂર્વભૂમિકા સાથે. પૂર્વભૂમિકાને એક બાજુ ધકેલી દેવામાં આવે છે. જ્યારે મુખ્ય બાબત સત્ય સમજવાની જ હોય અને જ્યારે તમે એ જુઓ કે પૃષ્ઠભૂમિ તમને હકીકતને સમજતા અટકાવે છે ત્યારે હકીકતની મહત્ત્વની બાબતને સમજવાનો રસ પૂર્વભૂમિકાને ભૂંસી નાખે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : શું આઈ બ્રો કરાવવાથી મહિલાઓમાં લીવર સંબંધિત વધશે સમસ્યા, બ્યુટી ટ્રીટમેન્ટ મામલે હેલ્થ એક્સપર્ટની ચેતવણી
હેલ્થ

Health News : શું આઈ બ્રો કરાવવાથી મહિલાઓમાં લીવર સંબંધિત વધશે સમસ્યા, બ્યુટી ટ્રીટમેન્ટ મામલે હેલ્થ એક્સપર્ટની ચેતવણી

By 18 hours ago
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર
Health Tips : પાતળા લોકો માટે વજન વધારનાર આ છે બેસ્ટ ડ્રિંકસ, જાણો દૂધમાંથી બનતા આ ડ્રિંકસના ફાયદા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?