શ્રીલંકાના એક મંદિરમાં નાયબ શ્રમ મંત્રી મહિન્દા જયસિંહેની મુલાકાત રાજકીય વિવાદનું કારણ બની છે. તેમણે સંસદમાં બૌદ્ધ તાલીમ કેન્દ્રની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. ત્યારે મામલો ગરમાયો હતો. વિપક્ષી સાંસદોએ આનો સખત વિરોધ કર્યો હતો. જેના પછી સંસદમાં ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જયસિંહે દાવો કર્યો હતો કે આ કેન્દ્રની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ જરૂરી છે.
મંત્રી માટે મંદિર જવું સાબિત થયું મોંઘુ
શ્રીલંકામાં નાયબ શ્રમમંત્રી મહિન્દા જયસિંહેની કેલાનિયામાં બૌદ્ધ તાલીમ કેન્દ્રની મુલાકાત વિવાદમાં ફસાઈ છે. સંસદમાં તેમના નિવેદનનો વિરોધ પક્ષે ભારે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે ભારે ચર્ચા થઈ હતી. જયસિંહે દાવો કર્યો હતો કે કેન્દ્રની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે અને તેની તપાસ થવી જોઈએ. મંત્રી જયસિંહેએ સંસદમાં જણાવ્યું હતું કે કેલાનિયામાં બૌદ્ધ તાલીમ કેન્દ્રની જમીનનો વિવાદ ગંભીર છે. અગાઉ, સાંસદ દયાસિરી જયશેખરાએ કેટલાક આરોપો લગાવ્યા હતા, જેના જવાબમાં જયસિંહેને બોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જયશેખરાએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમણે જયસિંહેનું નામ લીધું નથી. આ અંગે વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. જોકે, થોડા સમય પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી.
મંત્રીને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા
જયસિંહેએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ તેમની ટીમ સાથે નાગનંદા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધ્યાન કેન્દ્રની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને ગેટ પર રોક્યા અને પોલીસને બોલાવવામાં આવી. આ દરમિયાન, મંત્રીએ કેન્દ્રના મુખ્ય પૂજારી સાથે વાત કરી અને કહ્યું કે તેઓ ગ્રામજનોની અપીલ પર ત્યાં આવ્યા છે. જયસિંહેએ કહ્યું કે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ ધ્યાન કેન્દ્રની જમીન પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવશે અને જો કોઈ અનિયમિતતા જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


