By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    25 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું

Last updated: 2025/04/24 at 12:00 PM
2 months ago
Share
ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું
SHARE

આપણા યુગના સૌ પ્રથમ સંન્યાસી-શ્રમણ તરીકે જેમનું નામ નોંધાયું છે એવા ઋષભદેવ ભગવાને ફાગણ વદ 7ના દિવસે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. એમણે જ્યારે સંયમ ગ્રહણ કરેલું એની પહેલાં સમગ્ર આર્યાવર્તમાં કોઈ સાધુ-સંન્યાસી ન હતા. એટલે એમની દિનચર્યાનો કોઈને બોધ નહોતો. એ તો બરાબર પણ એ આપણા ઘેર આવે તો આપણે એમને કેવી રીતે આહાર અર્પણ કરવો એની પણ કોઈ પદ્ધતિ કોઈને ખબર ન હતી.

ભગવાને દીક્ષા લીધી એ પહેલાં આ વિષયની કોઈની સાથે ચર્ચા વિચારણા પણ કરેલી નહીં. ભગવાને સંયમ જીવનનો પ્રારંભ કરતા પહેલા દિવસે તો બે ઉપવાસની પ્રતિજ્ઞા કરેલી. ત્રીજા દિવસે ભગવાન આહાર ગ્રહણ કરવા માટે ગામ-નગરમાં જાય. બધા અહોભાવથી એમની પાસે જાય. એમને આગ્રહ કરી કરીને સોના-રૂપાના થાળ લાવીને આપવાનો આગ્રહ કરે. ભગવાન જે દિવસે દીક્ષા-સંયમનો સ્વીકાર કરે એ દિવસથી મૌન હોય. કોઈની પણ સાથે એક અક્ષરની વાત કરવાની નહીં, એમાં પણ પોતાના માટે તો કંઈ પણ બોલે જ નહીં.

રોજનો એમનો આ ક્રમ છે. રોજ આહાર ગ્રહણ કરવાનો સમય થાય ત્યારે મધ્યાહ્નના સમયે પોતાના આશ્રમ સ્થાનથી નીકળે. નગરની વસ્તીની દિશામાં આગળ વધે. એક એક કરતાં પાંચ-સાત કે દસ ઘરોમાં જાય. લોકો ભેગા થઈ જાય. પરમાત્માનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા હોય, પણ કોઈને એ વિચાર પણ ન આવે કે આ તો શ્રમણ છે. એમને તો એમને કલ્પે એવો જ આહાર આહાર તરીકે આપવાનો હોય અને આહાર સિવાય તો એમને કંઈ જરૂર પણ ન હોય, પણ આવી તો એમને ખબર પણ ન પડતી હોય.

ભગવાનનો પણ આ નિત્યનો ક્રમ. પાછા એક જ સ્થાને રહ્યા હોય એવું પણ ન હોય. આમ ને આમ ચારસો દિવસ પસાર થઈ ગયા, પણ એ દરમિયાન કોઈને એવો વિચાર પણ ન આવ્યો કે લાવોને એકાદ રોટલી કે કોઈ ફળ સમારેલાં હોય તો એવું કંઈક કે પછી કોઈ પણ ઘરમાં બનાવેલા મોદક આપીએ. આવા કોઈ વિચારો જ ના આવ્યા અને ભગવાન પણ રોજ આહાર ગ્રહણ કર્યા વગર જ પોતાના સ્થાનમાં પહોંચે અને આગળની સાધના ચાલુ થઈ જાય. આપણે કલ્પના કરી શકીએ કે ચારસો દિવસના ઉપવાસ કર્યા પછી માણસ સહજતાથી વર્તન કરે! પણ આ તો ભગવાન હતાને! એમના મનના ભાવોમાં કોઈ અસર જોવા ન મળે. પેલો શ્રેયાંસકુમાર ભગવાનનો સંસારી અવસ્થાનો પૌત્ર હસ્તિનાપુર નગરનો રાજકુમાર. પોતાના મહેલના ગવાક્ષમાં ઊભા ઊભા નગરની શોભા જોઈ રહ્યા હતા, એ સમયે એમણે આ દૃશ્ય જોયું. આગળ ભગવાન ચાલતા હતા અને પાછળ સેંકડો માણસો ચાલી રહ્યા હતા. એ માણસો કંઈક કહી રહ્યા હતા, પણ અવાજ સ્પષ્ટ થતો ન હતો, પણ એણે આ વાત તો સાંભળેલી કે ભગવાન આવે છે અને કંઈ પણ લીધા વગર પાછા જાય છે.

શ્રેયાંસને એ સમયે અચાનક શું થયું એ બેહોશ થઈ ગયો. શીતોપચાર કરવાથી થોડીવારમાં એ સ્વસ્થ થયો. એક ગ્લાસ પાણી પીને એ દોડ્યો. ભગવાનની પાસે પહોંચ્યો અને વિનંતી કરી ભગવાન પધારો મારા ઘરે મને આહારનો લાભ આપો.

ભગવાન તરત જ એના ઘરે ગયા. એ જ સમયે ઈક્ષુરસ-શેરડીના રસના એકસો આઠ ઘડા આવેલા હતા. ભગવાનને વિનંતી કરી. ભગવાને એની વિનંતીનો સ્વીકાર કર્યો.

હાથમાં જ ઈક્ષુરસ ત્યાં ને ત્યાં ઊભા ઊભા ગ્રહણ કર્યો. આ રીતે ભગવાને ચારસો ઉપવાસ-વરસી તપનું પારણું અક્ષય તૃતીયાના દિવસે કર્યું. નગરજનો રાજી રાજી થઈ ગયા.

બધા પૂછે છે તમને આ બધી ખબર કેવી રીતે પડી? શ્રેયાંસ કહે છે આ ભગવાનની સાથે મારો છેલ્લા નવ ભવોનો સંબંધ છે. આવા સાધુ મહાત્માને આ રીતે ભોજન અર્પણ કરવાથી બહુ મોટો લાભ મળે છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?
આંતરરાષ્ટ્રીય

World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?