આઈપીએલ ફાઈનલની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ઘણા વર્ષો પછી એવી તક આવી રહી છે કે ફાઈનલમાં ગમે તે ટીમ જીતે, નવો ચેમ્પિયન મળશે તે નક્કી છે.
બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની ટીમો પહેલી સીઝનથી જ આઈપીએલ રમી રહી છે, પરંતુ હજુ સુધી બંને ટીમના નસીબમાં ટ્રોફી આવી નથી. આ વખતે પણ એક ટીમને નિરાશાનો સામનો કરવો પડશે, જ્યારે કોઈપણ એક ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કરશે. 3 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે, તેથી મેચમાં વિલંબ થઈ શકે છે. જો વરસાદને કારણે મેચ ન રમાય તો ટ્રોફી કોણ જીતશે. જાણો શું છે નિયમ.
પહેલીવાર ટાઈટલ જીતવા માટે થશે જંગ
બેંગ્લુરુની કેપ્ટનશિપ ભલે આ વખતે રજત પાટીદાર કરી રહ્યો છે, પરંતુ આ ટીમની સાચી ઓળખ વિરાટ કોહલી છે. દુનિયાભરમાં ઘણા ખિતાબ જીતનાર વિરાટ કોહલી પોતાની પહેલી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યો છે. શ્રેયસ ઐયર પ્રયાસ કરશે કે તે સતત બે વાર ટાઈટલ જીતીને ઈતિહાસ રચશે. ગઈ વખતે તે KKRનો કેપ્ટન હતો, આ વખતે પંજાબની કમાન સંભાળી રહ્યો છે.
IPL ફાઈનલના દિવસે કેવું રહેશે હવામાન?
3 જૂને અમદાવાદના હવામાન વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ સાંજે વરસાદ પડી શકે છે અને તેનાથી મેચમાં વિલંબ થઈ શકે છે. પરંતુ મેચ દરમિયાન વરસાદની સંભાવના ઓછી છે. બીસીસીઆઈએ આ માટે મજબૂત વ્યવસ્થા કરી છે.
મેચમાં વધારાની 120 મિનિટ વધારે ઉમેરવામાં આવી છે, જેથી જો મેચ મોડી શરૂ થાય અથવા વિલંબ થાય તો તેને એક્સ્ટ્રા ટાઈમમાં રમી શકાય. આ સિવાય બીસીસીઆઈએ ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો ફાઈનલ 3 જૂને ન થાય અથવા અધવચ્ચે જ રોકી દેવામાં આવે તો મેચ 4 જૂને પણ રમી શકાય છે. રિઝર્વ ડે પર પણ વધારાનો 120 મિનિટનો સમય પણ રાખવામાં આવ્યો છે.
જો બે દિવસમાં પણ મેચ ન થાય તો કેવી રીતે લેવાશે નિર્ણય?
જો બે દિવસમાં મેચ રમાય તો ઠીક છે, જે ટીમ જીતશે તે ટાઈટલ જીતશે, પરંતુ જો બંને દિવસે ક્યાંક વરસાદ પડે તો શું થશે? આ એક સવાલ પણ થઈ શકે છે. જો બે દિવસમાં બિલકુલ મેચ ન રમાય, તો લીગ સ્ટેજ દરમિયાન પોઈન્ટ ટેબલમાં આગળ હતી, તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે પંજાબ કિંગ્સ ટીમ ચેમ્પિયન બનશે.
પોઈન્ટ ટેબલ મુજબ કઈ ટીમને થશે ફાયદો?
તમને જણાવી દઈએ કે લીગ સ્ટેજમાં 14 મેચ રમીને પંજાબ કિંગ્સ અને બેંગ્લુરુએ એકસરખી 9 મેચમાં પોતાની જીત નોંધાવી હતી. બંને ટીમ પાસે 19 પોઈન્ટ છે, પરંતુ જો નેટ રન રેટના આધારે જોવામાં આવે તો પંજાબની અહીં બાજી મારશે. પંજાબનો નેટ રન રેટ 0.372 છે અને બેંગ્લુરુનો 0.301 છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બધું ત્યારે જ થશે, જ્યારે મેચના સતત બે દિવસ સુધી પાંચ ઓવરની પણ મેચ ન રમાય. જો મેચ થશે તો જે ટીમ સારું રમશે તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.