અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં આજે રોમાંચ ચરમસીમા પર જોવા મળશે. વરસાદ વિઘ્ન ના બને તો IPL ફાઈનલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. IPLની ફાઈનલને લઈને RCB અને PBKS બંને ટીમના કપ્તાન પર શ્રેયસ ઐયર અને રજત પાટીદાર તમામની નજર છે. છતાં વિરાટ કોહલીને લઈને વધુ ચર્ચા જોવા મળી છે.
વિરાટ કોહલીને લઈને ફેન્સ ઉત્સાહિત
લાંબા સમયથી RCB સાથે સંકળાયેલા વિરાટ કોહલીની આ ટીમ અનેક વખત IPL ખિતાબની નજીક પહોંચ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ફરી એક વખત ફાઈનલમાં RCBના પ્રવેશ સાથે તેના ચાહકો ખિતાબ જીતવા વિરાટ સામે વિરાટ મીટ માંડી બેઠા છે. આજે પણ કેટલાક લોકો એમ જ માને છે કે RCBનો કેપ્ટન વિરાટ કોહલી જ છે. RCBની ટીમ IPLની ફાઈનલમાં પહોંચતા વિરાટના ફેન જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકિટ લેવા ગયા ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન તરીકે રજત પાટીદારનું કટઆઉટ જોતા મૂંઝવણમાં પડી ગયા હતા. RCBના ચાહકને ત્યારે જ ખ્યાલ આવ્યો કે વિરાટ RCBનો હિસ્સો છે પરંતુ કેપ્ટન નથી. આવા અનેક ચાહકો હશે જેઓ હજુ પણ એમ જ માનતા હશે કે વિરાટ જ RCBનો કેપ્ટન છે.
કિંગ કોહલીનો સંઘર્ષ
ચાહકોની આ માન્યતા બતાવે છે કે IPL સિઝનમાં RCBના હિસ્સો રહેલ કિંગ કોહલીએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. છે. આમ, IPLમાં RCB અને વિરાટ એકબીજાના પર્યાય બની ગયા છે. RCBના લાંબા સમયથી હિસ્સો રહેલ વિરાટ કોહલી અનેક વખત ખિતાબ જીતની નજીક પહોંચ્યા બાદ નસીબે સાથ ના આપતા હાર જોવી પડી છે. RCBની ટીમ સિવાય વિરાટ માટે આજનો દિવસ વધુ મહત્વનો છે. કારણ કે આટલે સુધી પહોંચવા કિંગ કોહલીએ બહુ સંઘર્ષ કર્યો છે. RCBની ટીમ IPLમાં 2009, 20011 અને 2016માં એમ ત્રણ વખત ફાઈનલ રમી છે પરંતુ જીત મેળવી શકી નથી. અને આજે ફરી વર્ષ 2025માં RCB ફાઈનલમાં પહોંચી છે.
વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા
આજે મંગળવાર 3 જૂનના રોજ RCB અને PBKS બંને ટીમો માટે આ પ્રથમ ખિતાબ હશે. બંને ટીમો માટે આજની મહત્વની છે છતાં અગ્નિપરીક્ષા વિરાટ કોહલીની છે તેવું ક્રિકેટ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રથમ વખત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઈપીએલમાં વધુ સારું પ્રદર્શન કરી ખિતાબની આટલી નજીક પહોંચી છે. આ વખતની આઈપીએલ સિઝન વધુ મહત્વની છે કારણ કે ફાઈનલમાં પહોંચેલા પંજાબ કિંગ્સ અને આરસીબીમાં જે પણ વિજેતા બનશે તે ઇતિહાસ રચશે. અનેક વખત પંજાબ કિંગ્સ અને આરસીબી આઈપીએલના ખિતાબ જીતવા નજીક પહોંચ્યા છે છતાં સામેની ટીમના શાનદાર પ્રદર્શનને લઈને તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.
ફાઈનલ મેચને લઈને બંને કેપ્ટન ઉત્સાહિત
એક પ્રેસ કોન્ફરન્સમાં ફાઈનલ મેચને લઈને પીબીકેએસના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે મારી ઊંઘ ઉડી ગઈ છે જ્યારે આરસીબીના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે વિરાટ કોહલીનું સપનું પૂર્ણ કરવા અમે પૂરી તાકાત લગાવી દઈશું. છતાં પણ ચાહકોને મોટી અપેક્ષાથી દૂર રહેવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે રવિવારે, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર 2 મેચ જોવા માટે લગભગ 50,000 ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. અને હવે આજની ફાઈનલમાં RCB અને PBKS વચ્ચે ખરાખરીનો જંગ જોવા આખું સ્ટેડિયમ ક્રિકેટ રસિયાઓથી ભરાઈ જશે તેવું અનુમાન છે. નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાનાર IPL ફાઇનલમાં ભારતના લોકપ્રિય સંગીતકાર શંકર મહાદેવન તેમના પુત્રો સાથે ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપતા ખાસ પ્રદર્શન આપશે.