વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની પક્કી દોસ્તી અંગે ક્રિકેટ જગતમાં સૌ કૉઈ જાણે છે, પરંતુ હમણાં એબી ડી વિલિયર્સ તરફથી બંનેની દોસ્તી અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એબી ડી વિલિયર્સના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી તેનાથી ગુસ્સે હતો, બંને વચ્ચે ઘણા મહિનાઓ સુધી વાતચીત બંધ હતી.
ઘણા વર્ષોથી RCB માટે સાથે રમતા હતા
ક્રિકેટ જગતની દુનિયા પણ ફિલ્મી દુનિયાથી સેજ પણ ઓછી આંકી શકાય એમ નથી. જોકે ક્રિકેટ જગતની દુનિયામાં પણ દોસ્તીના સારા ઉદાહરણો જોવા મળે છે, જેમકે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ. તાજેતરમાં RCBએ જ્યારે 18 વર્ષ પછી ટ્રોફી જીતી, ત્યારે વિરાટનો જૂનો મિત્ર એબી ડી વિલિયર્સ તેના વચન મુજબ ટીમને ટેકો આપવા માટે અમદાવાદ પહોંચ્યો હતો. વિરાટ અને ડી વિલિયર્સ ઘણા વર્ષોથી આરસીબી માટે રમતા જોવા મળ્યા હતા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે વિરાટે તેના મિત્ર ડી વિલિયર્સ સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
એબી ડી વિલિયર્સે શું ભૂલ કરી?
વિરાટ કોહલીએ પારિવારિક કારણોસર ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. વિરાટ કોહલીના આ નિર્ણયથી તેના ચાહકોમાં ખુબજ નિરાશા જોવા મળી હતી, કેમ કે સૌ કૉઈ વિરાટના ટેસ્ટ ક્રિકેટ પ્રેમને જાણે છે. પરંતુ આવા સમયે, એબી ડી વિલિયર્સ વિરાટ કોહલીના સમર્થનમાં બહાર આવ્યો હતો. તેણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું, કે કોહલી ઇંગ્લેન્ડ શ્રેણીમાં રમી રહ્યો નથી કારણ કે તે અને તેની પત્ની અનુષ્કા શર્મા તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. કમનસીબે ડી વિલિયર્સનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયું હતું.
એબી ડી વિલિયર્સે વિરાટ કોહલી વિશે શું કહ્યું?
હમણાં થોડા સમય પહેલાજ એક ઇન્ટરવ્યુમાં, ડી વિલિયર્સે બંનેની દોસ્તી અંગે એક મોટો ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. ડી વિલિયર્સે વિરાટની નારાજગી અંગે એક મોટી વાત કરી હતી. ડી વિલિયર્સે કહ્યું હતું કે “વિરાટ છેલ્લા છ મહિનાથી તેના સંપર્કમાં છે. ભગવાનનો આભાર! કારણ કે જ્યારે તેણે ભૂલથી તેના બીજા બાળકની અપેક્ષા રાખવાના સમાચાર શેર કર્યા. પછી મેં એક મોટી ભૂલ કરી. તેથી જ્યારે વિરાટે ફરીથી તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેનાથી ડી વિલિયર્સને ઘણી રાહત મળી”.