શિયાળો શરૂ થતા જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા વધે છે. ઠંડીમાં મોટાભાગના લોકો શરદી અને ખાંસીની સમસ્યાના શિકાર થાય છે. ઠંડીના દિવસોમાં સૂકી ઉધરસ વધુ હેરાન કરે છે. ઉધરસ એ સામાન્ય વ્યાધિ ગણાય છે, પરંતુ સૂકી ઉધરસના કારણે પીડિત વ્યક્તિ રાત્રે પૂરતી ઉંઘ પણ લઈ શકતો નથી. સૂકી ઉધરસ લાંબા સમય સુધી ચાલે તો મોટી બીમારી પણ બની શકે. આ ઉધરસ મટાડવા કફ સીરપ નહીં પરંતુ ઘરેલુ ઉપચારથી રાહત મળશે.
સૂકી ઉધરસમાં આર્યુવેદિક ઉપચાર
સૂધી ઉધરસ એટલી બધી આવે છે કે પેટમાં અને પીઠના ભાગમાં દુખાવો થઈ જાય છે. સૂકી ઉધરસ એ લાળ વગરની ઉધરસ છે. આ ઉધરસ થવાનું કારણ બળતરા, હળવી ખંજવાળ અને વાયુમાર્ગમાં થતી બળતરા છે. એલર્જી અને અસ્થમાની સમસ્યા હોય તેવા લોકો આ બદલાતી ઋતુમાં જલદી ઉધરસના શિકાર થાય છે. કયારેક આ ઉધરસ વધુ સમય સુધી રહેતા ગળામાં સોજાની સમસ્યા પણ થાય છે. સૂકી ઉધરસમાં આ આયુર્વેદિક ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. આદુ અને સંચળનો ઉપયોગ ઉધરસની સમસ્યા દૂર કરશે.
મધનો ઉપચાર સૂકી ઉધરસમાં રામબાણ ઇલાજ
નિષ્ણાતોના મતે, સૂકી ઉધરસની સમસ્યામાં મધનો આ રીતે ઉપચાર કરવો. તમે મધમાં એક ચપટી સિંધવ મીઠું ભેળવીને પેસ્ટ બનાવો. તેને તમારી આંગળીથી બાળકની જેમ ચાટવું અને હૂંફાળું પાણી પીવું. આનાથી સવાર સુધીમાં તમારી સૂકી ઉધરસ ઠીક થઈ જશે. સિંધવ મીઠામાં અસંખ્ય ખનિજો હોય છે, જે તેને શરીર માટે ફાયદાકારક બનાવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સિંધવ મીઠાનો ઉપયોગ આ સમસ્યામાં શ્રેષ્ઠ ઉપચાર છે. ખાસ કરીને ગંભીર પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકોમાં આ સૂકી ઉધરસનું વધુ જોખમ રહે છે. તેમણે સામાન્ય ઉધરસ હોય ત્યારે જ આ ઉપાય શરૂ કરી દેવો. આ ઉપરાંત ઉધરસને રોકવા તમે આદુના ટુકડા ચાવી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


