ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ મંગળવારે મોડી રાતે મોટુ અપડેટ આપ્યું છે કે મલક્કા જલડમરુમધ્ય ઉપર બનેલુ ગાઢ દબાણ હવે ચક્રવાત સેન્યારમાં પરિવર્તિત થઇ ચૂક્યુ છે. આ ચક્રવાત આજે બપોર સુધીમાં ઇન્ડોનેશિયાના તટ સાથે ટકરાશે. આઇએમડીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક કલાકોમાં લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમની તરફ વધતા ચક્રવાતનું રૂપ લઇ લીધુ. જેને કારણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયા જ નહીં પણ ભારતના તટીય ક્ષેત્રોમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે.
70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
મલાક્કાની સમુદ્રધુની આંદામાન સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે, તેથી અહીં બનતું કોઈપણ વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાને અસર કરી શકે છે. IMD અનુસાર, આ વાવાઝોડું આગામી 24 કલાક સુધી તેની તીવ્રતા જાળવી રાખશે અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. 48 કલાક પછી પૂર્વ તરફ વળશે. બુધવારે પવનની ગતિ 70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની ધારણા છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી
ચક્રવાતની પહેલી અસર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અનુભવાશે. IMD એ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું છે કે 26 અને 27 નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડશે. 28-29 નવેમ્બરના રોજ વરસાદમાં ઘટાડો થશે, પરંતુ તેજ દરિયાઈ પવનો ચાલુ રહી શકે છે. આંદામાન ક્ષેત્રના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


