By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

Editor
Last updated: 2026/06/25 at 3:05 PM
2 months ago
Share
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
SHARE

ડિજિટલ ઠગોને મોટો ઝટકો

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

છેતરપીંડીની રકમ પાંચ દિવસમાં શેડો-રિવર્સલ કરવી ફરજિયાત : 1 જાન્યુઆરી-2027થી નવા નિયમો અમલમાં

અગ્ર ગુજરાત, મુંબઈ

દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન છેતરપીંડીના બનાવોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ક્રેડિટ કાર્ડ ધારકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપીંડીભર્યું ટ્રાન્ઝેક્શન થાય અને ગ્રાહક સમયસર તેની જાણ કરે, તો સંબંધિત બેંક અથવા કાર્ડ જારી કરનાર સંસ્થાએ પાંચ દિવસની અંદર તે રકમનું ‘શેડો-રિવર્સલ’ કરવું પડશે.
RBI દ્વારા જાહેર કરાયેલા આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. નવા નિયમોનો મુખ્ય હેતુ છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવાનો અને તેમની ઉપર વ્યાજ કે દંડનો બોજ ન આવે તેની ખાતરી કરવાનો છે. નિયમ મુજબ, કોઈ પણ ફ્રોડ ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહક પાંચ દિવસની અંદર બેંક અથવા કાર્ડ ઈસ્યુ કરનાર સંસ્થાને જાણ કરશે તો તેને વળતર મેળવવાનો અધિકાર મળશે. બેંક દ્વારા કરવામાં આવતું શેડો-રિવર્સલ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં દેખાશે, પરંતુ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક તે રકમનો ઉપયોગ કરી શકશે નહીં. તેમ છતાં, આ રકમને બાકી લેણું ગણવામાં આવશે નહીં અને તેના પર કોઈ વ્યાજ કે પેનલ્ટી પણ વસૂલવામાં આવશે નહીં.
ફ્રોડની તપાસ પૂર્ણ થયા બાદ જો છેતરપીંડી સાબિત થાય તો સંબંધિત રકમ કાયમી ધોરણે ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. RBIના આ નિર્ણયથી લાખો ક્રેડિટ કાર્ડ ધારકોને મોટી સુરક્ષા મળશે અને ફ્રોડના બનાવોમાં આર્થિક નુકસાનનો ભાર ઘટશે. નવી વળતર વ્યવસ્થા મુજબ, રૂ. 50,000 સુધીની છેતરપીંડીની ફરિયાદમાં ગ્રાહકને કુલ નુકસાનના 85 ટકા અથવા વધુમાં વધુ રૂ. 25,000 સુધીનું વળતર આપવામાં આવશે. ખાસ કરીને જો નુકસાનની રકમ રૂ. 29,412થી ઓછી હોય તો તેમાં RBI, ગ્રાહકની બેંક અને લાભાર્થી બેંક વચ્ચે જવાબદારી વહેંચાશે.
રિઝર્વ બેંકે ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ કરી છે. હવે ક્રેડિટ કાર્ડ પરથી રૂ. 500થી વધુના દરેક ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહકને તાત્કાલિક SMS અથવા અન્ય એલર્ટ મોકલવું ફરજિયાત રહેશે. જેથી કોઈ શંકાસ્પદ લેવડદેવડ અંગે ગ્રાહક ઝડપથી સાવચેત થઈ શકે. નાણાકીય નિષ્ણાતોના મતે RBIના આ નવા નિયમો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત કરશે અને બેંકોને પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની ફરજ પડશે.

શું છે ‘શેડો-રિવર્સલ’?

ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ બેંક દ્વારા સંબંધિત રકમ ગ્રાહકના ક્રેડિટ કાર્ડ ખાતામાં અસ્થાયી રીતે દર્શાવવામાં આવે છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક તેનો ઉપયોગ કરી શકતો નથી, પરંતુ તેના પર વ્યાજ કે દંડ લાગતો નથી.

ક્યારે મળશે રકમની રાહત?

ફ્રોડની જાણ ગ્રાહકે 5 દિવસમાં કરવી પડશે
બેંકે 5 દિવસમાં શેડો-રિવર્સલ કરવું પડશે
તપાસ બાદ ફ્રોડ સાબિત થાય તો રકમ કાયમી જમા થશે

વળતરની મુખ્ય જોગવાઈ

રૂ. 50,000 સુધીના નુકસાન માટે નિયમ લાગુ
નુકસાનના 85% સુધી વળતર
વધુમાં વધુ રૂ. 25,000ની ચૂકવણી
સમયસર ફરિયાદ કરવી જરૂરી

રૂ. 29,412થી ઓછી નુકશાનીમાં કોણ કેટલો ભાર વહન કરશે?

RBI : 65 ટકા
ગ્રાહકની બેંક : 10 ટકા
લાભાર્થી બેંક : બાકીની રકમ

ગ્રાહકો માટે નવી સુરક્ષા

રૂ. 500થી વધુના દરેક ટ્રાન્ઝેક્શનનો SMS એલર્ટ
શંકાસ્પદ લેવડદેવડની તાત્કાલિક જાણ શક્ય
ઓનલાઈન ફ્રોડ સામે વધુ સુરક્ષા
ક્રેડિટ કાર્ડ વપરાશમાં પારદર્શિતા વધશે

 

You Might Also Like

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
ભાવનગર

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

Editor By Editor 3 days ago
સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે
બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?