ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રાંચીના મેદાન પર રમાશે.નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે આ સીરિઝમાં રમી રહ્યો નથી.અને તેના સ્થાને કેએલ રાહુલ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.ગિલ લાંબા સમયથી ODIમાં રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો છે.હવે ટીમ મેનેજમેન્ટ અને નવા કેપ્ટન રાહુલ સામે પ્રશ્ન એ છે કે રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે.યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાં બે દાવેદાર છે.
યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ODI મેચ રમી
યશસ્વી જયસ્વાલે ફેબ્રુઆરી 2025માં ભારતીય ટીમ માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે.જેમાં કુલ 15 રન બનાવ્યા છે.શુભમન ગિલને કારણે તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો.હવે તેની ગેરહાજરીમાં તે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.છેલ્લા કેટલાક વર્ષોથી તે ભારતીય ટેસ્ટ ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે.તેણે ટેસ્ટમાં 2,511 રન બનાવ્યા છે. જેમાં સાત સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે.
ગાયકવાડે ODI ક્રિકેટમાં 115 રન બનાવ્યા
બીજી તરફ રુતુરાજ ગાયકવાડે 2024માં છેલ્લી વખત રમ્યા બાદ લાંબા સમય પછી ODI ટીમમાં વાપસી કરી છે.ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી છ ODIમેચમાં કુલ 115રન બનાવ્યા છે.જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.28 વર્ષીય ખેલાડીએ તાજેતરના વર્ષોમાં ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે.તેણે ઈન્ડિયા A ટીમ માટે પણ સારું પ્રદર્શન કર્યું છે.
ગાયકવાડે ODI માં જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા
રુતુરાજ ગાયકવાડે વધુ ODI મેચ રમી છે અને યશસ્વી જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા છે.આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ એક ખેલાડીને ઇનિંગ્સ ખોલવા માટે અને બીજા ખેલાડીને મિડલ ઓર્ડર માટે સોંપી શકે છે.અથવા તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી એક ખેલાડીને છોડી શકે છે.હવે સમય જ કહેશે કે કયા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે અને કોને નહીં?


