ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
ઉના,ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સમારોહમાં શાળાઓની સમસ્યાઓ પર રાજ્યકક્ષાની વિસ્તૃત ચર્ચા
અગ્ર ગુજરાત, ઉના
ખાનગી શિક્ષણ ક્ષેત્ર સામે ઊભા થતા પડકારો વચ્ચે સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉના–ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ, દેલવાડા,દીવ રોડ ખાતે ભવ્ય શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાહોદ્દેદારો, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાનગી શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નોના કાયમી ઉકેલ, સંગઠનની એકતા અને રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાનોનું શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ભાઈ ગાજીપરા, પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી મનહરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શક તરીકે પૂ. શાસ્ત્રી માધવદાસજી સ્વામી,પૂ.ભંડારીસ્વામી, પૂ.હરિવદન સ્વામી,પૂ્.જનાદન સ્વામી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.પ્રારંભિક સ્વાગત પ્રવચનમાં પૂ. શાસ્ત્રી માધવપ્રસાદજી સ્વામીએ ઉના અને ગીરગઢડા તાલુકાની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓનું વિસ્તૃત ચિત્રણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ અનેક વહીવટી, આર્થિક અને શૈક્ષણિક પડકારોનો સામ નો કરી રહી છે. રાજ્યકક્ષાએ આ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી પણતેમણે ભારપૂર્વક માંગણી કરી હતી.
એસોસિએશનના લીગલ એડવાઇઝર ભવ્યભાઈ પોપટે ખાનગી શાળાઓના વિવિધ પ્રશ્નો રાજ્યના હોદ્દેદારો સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીનેFRCમુજબ ફી વસુલાત, RTE હેઠળ વિદ્યાર્થીઓની ફાળવણી, વહીવટી પ્રક્રિયા, શૈક્ષણિક નિયમો તથાઅન્યકાયદાકીય પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરીને યોગ્ય માર્ગદર્શન અને નીતિગત ઉકેલની માંગણી કરી હતી.
સભાને સંબોધતા મહામંત્રી મનહરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આજના સમયમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. ગુજરાતભરમાં સેલ્ફ ફાઇનાન્સ શાળા ઓનું સંગઠન જેટલું મજબૂત બનશે,તેટલી જ અસરકારક રીતે સરકાર સુધી પ્રશ્નો પહોંચાડી શકાશે. અનેક સંગઠનો બન્યા હોવા છતાં સેલ્ફ ફાઇનાન્સશાળા ઓના મૂળભૂત પ્રશ્નોને ગંભીરતાથી ઉજાગર કરવાનો પ્રયાસ ખૂબ ઓછો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત અનેસૌરાષ્ટ્રમાંસેલ્ફફાઇનાન્સ શાળાઓનું સંગઠન સતત મજબૂત બની રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સુધી સંગઠનને સક્રિય બનાવવા સૌએ આગળ આવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે નવા નિયમો અને નીતિઓ સતત અમલમાં આવી રહી છે, ત્યારે શાળા સંચાલકોએ તેની યોગ્ય સમજ સાથે વહીવટી પ્રક્રિયાને અનુસરવીજરૂરીછે.સરકારનાશિક્ષણ વિભાગ સાથે સતત સંવાદ દ્વારા વિવિધ પ્રશ્નો ના ઉકેલ માટે પ્રયાસો ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે FRC, RTE, શાળાના ઓડિટ રિપોર્ટ, ફી વધારો, વહીવટી પ્રક્રિયા અને કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વારંવાર બેઠકો યોજીને ખાનગી શાળાઓના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતની અંદાજે ૧૬ હજારથી વધુ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે મહામંડળ સતત કાર્યરત છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નિયમવિરુદ્ધ કાર્ય કરતી કોઈપણ શાળાને સંગઠનનો આશ્રય મળશે નહીં. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને સર્વોચ્ચ રાખીને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સંગઠિત પ્રયાસોની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્ય મંડળના ખજાનચી વિપુલભાઈ પાનેલીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ પરબતભાઈ મોરડીયા, ગીર સોમનાથ જિલ્લાના હોદ્દેદારો સહિત વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.
ઉના,ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ દુધાત, ઉપપ્રમુખ કિશોરભાઈ વડાલિયા, ધર્મેન્દ્રભાઈ જોષી, વિજયભાઈ જોષી, ધીરૂભાઈ સુહાગીયા, મુકેશભાઈ જોષી, ફારૂકભાઈ કાઝી, ભરતભાઈ ભટ્ટ, નરેશભાઈ વધાસીયા, મનીષભાઈ જાલોધરા, મિતેશભાઈ રાણપરિયા, ઈરફાનભાઈ ડાયાતર, દિનેશભાઈ જોષી નિલેશભાઈ દ્રોણેશ્વ ગુરૂકુળ સહિત મોટી સંખ્યામાં શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો નું સન્માન કરીને સંગઠનની કાર્યપદ્ધતિને આવકારી હતી અને ખાનગી શિક્ષણના હિતમાં એકજૂટ બની કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.


