By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાઈબીજે યમુનાસ્નાન યમયાતનામાંથી મુક્ત કરે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભાઈબીજે યમુનાસ્નાન યમયાતનામાંથી મુક્ત કરે છે

agragujaratnews
Last updated: 2023/11/09 at 8:12 AM
3 years ago
Share
ભાઈબીજે યમુનાસ્નાન યમયાતનામાંથી મુક્ત કરે છે
SHARE

  • ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમતીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુનાસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે

પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીમાંથી જ યમુનાજીનું સ્વરૂપ પ્રાક્ટય થયું છે. યમુનાજીની કૃપા થાય તો પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવાયોગ્ય બનાવે છે. સ્કંદપુરાણ અનુસાર પ્રાચીનકાળમાં યમરાજાએ તેમની નાની બહેન યમુનાજીને ત્યાં આ દિવસે ભોજન ગ્રહણ કર્યું હતું. યમરાજાએ પોતાની બહેનને વરદાન આપ્યું હતું કે, હે યમુને! આ દિવસે જે પરણેલી બહેન પોતાના ભાઈને સાસરિયાંમાં બોલાવીને પ્રેમથી ભોજન કરાવશે તો તેને યમયાતના ભોગવવી પડશે નહીં. બીજું વરદાન આપ્યું કે હે યમુને! આ દિવસે જે મનુષ્યો તારા પવિત્ર જળમાં સ્નાનપાન કરીને તારું સ્મરણ કરશે તથા સૂર્યનારાયણને અર્ધ્ય આપશે તેને પણ યમયાતનામાંથી છુટકારો મળશે તથા અનેક જન્મનાં પાપો નિર્મૂળ બનશે.

પુરાણોમાં ઉલ્લેખ અનુસાર યમરાજાએ આ દિવસે યમુનાજીના કહેવાથી દરેક કેદીઓને જેલમાંથી મુક્ત કરીને પોતાની બહેનને ત્યાં જવા માટે રજા આપી હતી. ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમતીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુનાસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં મહી-વાત્રકના સંગમસ્થાને આ દિવસે મેળો ભરાય છે. વૈષ્ણવ પરંપરામાં યમુનાજીની ભક્તિનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે. ઠાકોરજીની સેવામાં પણ યમુનાજીને પધરાવવામાં આવે છે. યમુનાજીનો પ્રારંભ `કલિંદ’ પર્વત પરથી થતો હોવાથી તેમને `કાલિંદી’ પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં યમુના માહાત્મ્યના વર્ણનમાં જણાવ્યું છે કે યમુનાજી ભક્તિરસનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. યમુનાજી ભક્તિદાતા છે. તેઓ ઠાકોરજી સાથે વૈષ્ણવોનો મેળાપ કરી આપે છે. યમુનાપાન દ્વારા પામર દેહને પ્રભુના અંગસંગનું લૌકિક સુખ મળે છે. યમુનાજી માતા સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તો વારંવાર યમુનાસ્નાન કરતા નથી, પરંતુ યમુનાપાન જ કરે છે. તો જ જીવમાં ભક્તિના અંકુરો ફૂટે છે.

પુષ્ટિમાર્ગમાં ઝારીજી ભરતી વખતે યમુનાજીનો પાઠ કરવામાં આવે છે. શ્રીમહાપ્રભુજી યમુનાજીનાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે. જલસ્વરૂપે ગોકુળ મથુરામાં યમુનાજી આધિ ભૌતિક સ્વરૂપે બિરાજે છે. તે સ્વરૂપો સર્વદોષોને મુક્ત કરી મુક્તિ આપનારું સ્વરૂપ છે. ગોલોક ધામમાં શ્રીઠાકોરજીનાં ચોથા પટરાણીનું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે વ્રજમાં વિહાર કરે છે. યમયાતનાઓથી મુક્તિ આપનારું સ્વરૂપ આધ્યાત્મિક છે. ભૌતિક રવિમંડળમાં બિરાજમાન નારાયણ સૂર્યલોકના આધિ દેવતાર્થ ભિન્ન છે. તેઓ 5રમાત્માનું જ વિશિષ્ટ સ્વરૂપ છે. યમુનાજીની આરાધના ભક્તિ માટેના શ્રીયમુનાષ્ટક, શ્રીયમુનાષ્ટકનાં 108 નામ, શ્રીયમુના વિસપ્તી, શ્રીયમુનાજીનાં 41 પદ તેમજ અનેક સ્તોત્ર છે. ગર્ગસંહિતામાં એ શ્રી યમુનાજીનાં એક હજાર નામ આપવામાં આવ્યાં છે. જે યમુના સહસ્રનામ તરીકે જગવિખ્યાત છે. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી લખે છે. `ન જાતુ યમયાતના’ હે યમુને! તારા પવિત્ર જળમાં સ્નાન કરનાર, તારું પાન કરનાર, તને વંદન કરનાર, તારું સ્મરણ કરનાર, યમુનાષ્ટકનો પાઠ કરનાર જીવ શુદ્ધ બનીને ઠાકોરજીને પ્રાપ્ત કરે છે તથા યમયાતના ભોગવતો નથી. આપણે સૌ આજના ભાઈબીજના પવિત્ર દિવસે શ્રીયમુનાજીનાં ચરણકમળમાં વંદન કરીને કૃતાર્થ બનીએ. જય જય શ્રી યમુને મૈયા!

You Might Also Like

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ

વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ

વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ

કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન
મોરબી

મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન

Editor By Editor 7 days ago
સૌરાષ્ટ્ર અને કચ્છની જમીનમાં લોહ-ઝીંકની ઉણપ
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે
દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી
કોર્પોરેટરો ફરી ફિલ્ડમાં, તમામ વોર્ડમાં કચરો એકત્ર કરવા ઉકરડા ફિંદયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?