ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ
માત્ર બેંક સ્ટેટમેન્ટ તથા ચેકના આધારે ફરિયાદીનું કાયદેસરનું લેણું સાબિત થઇ શકે નહી તેવી દલીલો કોર્ટએ માન્ય રાખેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કલ્યાણ સોસાયટી–૧, ટાગોર રોડ ખાતે રહેતા ચીરાગ મહેશભાઈ મનાણી તથા તેજસ રજનીભાઈ ટાંક વચ્ચે મિત્રતાના સબંધો હોય તે મિત્રતાના સબંધના આધારે તેજસ રજનીભાઈ ટાંકને રૂપીયાની અંગત જરૂીયાત ઉપસ્થિત થતાં ચિરાગ મહેશભાઈ મનાણી દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૧ ના રોજ રૂા.૨૦,૦૦,૦૦૦/- તેજસ રજનીભાઈ ટાંકના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી. એસ. થી ટ્રાન્સફર કરેલા તથા તે ટ્રાન્સફર કરેલા રૂપીયા પૈકી રૂા.૫,૦૦,૦૦૦/- તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ તથા તા.૦૩/૧૧/૨૦૨૧ ના રોજ રૂા.૫,૦૦,૦૦૦/- એમ કુલ રૂા.૧૦,૦૦,૦૦૦/- તેજસ રજનીભાઈ ટાંક દ્વારા ફરીયાદી ચિરાગ મહેશભાઈ મનાણી ના ખાતામાં ચુકવી આપેલ તથા બાકી રહેતા રૂા. ૧૦,૦૦,૦૦૦/- ચુકવવા અંગે તેજસ રજનીભાઈ ટાંક એ એચ.ડી.એફ.સી. બેંક, ભક્તિનગર શાખા, રાજકોટના ચેક આપેલ તથા ચેક ‘ફંડ ઈન્શ્યફીશ્યન્ટ’ ના શેરા સાથે પરત ફરતા ચિરાગ મહેશભાઈ મનાણી દ્વારા તેજસ રજનીભાઈ ટાંક પર નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ.
જયડી. ઢોલરીયા, એડવોકેટ ત્યારબાદ તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત મહેતા એ હાજર રહી નામદાર અદાલતને જણાવેલ કે, ફરીયાદીએ માત્ર બેંક સ્ટેટમેન્ટ તથા ચેક ના આધારે હાલની આ ફરીયાદ દાખલ કરેલ છે તેમજ ફરીયાદીએ તેમનું કાયદેસરનું લેણું તેજસ રજનીભાઈ ટાંક પાસેથી નીકળતું હોય તેવુ સાબીત કરી શકેલ નથી. તેમજ જે તારીખનો ચેક ફરીયાદીએ રજુ રાખેલ તે તારીખે તેજસ રજનીભાઈ ટાંક રાજકોટમાં હાજર ન હતા તથા વ્યવહાર શંકાસ્પદ હોય તેમજ તેઓ એકબીજાના મિત્રતા ધરાવતા હોય જેથી રીર્ટન થયેલ ચેક ચોરી થયા અંગેની શંકા વ્યકત કરેલ તથા તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત મહેતા એ નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજમેન્ટો રજુ કરી તેજસ રજનીભાઈ ટાંક નિદોર્ષ હોવા અંગેની દલીલો કરેલ. આ કેસમાં બન્ને પક્ષોની સુનાવણી બાદ રાજકોટના મહે. ૧૧ માં એડી. ચીફ જયુડી. મેજી. એ તેજસ રજનીભાઈ ટાંકને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં તેજસ રજનીભાઈ ટાંક તરફે એડવોકેટ દેવદત બી. મહેતા, સંજય ડી. અજાણી, જય ડી. ઢોલરીયા, હર્ષદોમડીયા તેમજ રાજ એન. પરમાર રોકાયેલા હતા.


