“આકાશમાં ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો”
તા.૨૯, ૩૦ અને તા. ૩૧ જુલાઈના રોજ આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા : સ્વચ્છ આકાશમાં કલાકના ૧૫ થી ૨૦ ઉલ્કાઓ પડતી જોવા મળશે
રાજયમાં વરસાદી માહોલ હોય ઉલ્કા વર્ષા જોવામાં અવરોધરૂપ સાબિત થશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
દુનિયાભરમાં લોકોએ મે માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૬૦ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી ૧૮મી જુલાઈ થી ૨૧મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે મધ્યરાત્રિ બાદ ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જુલાઈ તા. ૨૯, ૩૦ અને તા. ૩૧ ના રોજ તથા ઓગસ્ટના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૨૦ અને વધુમાં વધુ વિદેશમાં ૫૦ ઉલ્કા વર્ષા જોવા મળશે. આકાશમાં ઉલ્કા જોવા મળશે. ઉલ્કા આકાશમાં જ એક–બે સેકન્ડમાં બળીને રાખ થઈ જાય છે.
વધુમાં પંડયાએ જણાવ્યું કે ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાની મહત્તમ દિવસ ચાર થી પાંચ હોય છે. મોડી રાતથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કા વર્ષા જોઈ શકાય છે. જુલાઈના અંતથી ઓગસ્ટના અમુક દિવસો સુધી ક્રમશઃ ઉલ્કા જોઈ શકાશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે.
ઉલ્કા વર્ષા નજારા માટે વ્યવસ્થામાં અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુ યાદવ, અમિત ડાભી, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોર, એડવોકેટ ભાવનાબેન વાઘેલા સહિત કાર્યકરો કરી રહ્યા છે.


