By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી

agragujaratnews
Last updated: 2023/10/03 at 1:29 PM
3 years ago
Share
બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી
SHARE

ન પ્રહષેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય અપ્રિયમ ।

સ્થિર બુદ્ધિરસંમૂઢો બ્રહ્મવિદ્બમણિ સ્થિત ॥ 5-20 ॥

અર્થ : જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેનું અજ્ઞાન નાશ પામ્યુ છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે તેવો બ્રહ્મને જાણનાર મનુષ્ય પ્રિય પદાર્થ મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થ પામીને દુ:ખી થતો નથી.

અહીંયાં બે બાબતો છે. મનુષ્ય બ્રહ્મને જાણનાર ક્યારે કહેવાય? તો જેની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેનું અજ્ઞાન નાશ પામ્યુ હોય તે બ્રહ્મનો જાણકાર થયો છે તેમ કહી શકાય અથવા બીજી રીતે કહીએ તો જો તમારે બ્રહ્મવેત્તા બનવું હોય તો બુદ્ધિને સ્થિર કરવી પડે અને તમારામાં જે અજ્ઞાન ભરેલું છે તેનો ત્યાગ કરી દેવો પડે અર્થાત્ અજ્ઞાનનો નાશ થઈ જવો જોઇએ. બુદ્ધિ સ્થિર કરવી એટલે ભટકતા મનને નિયંત્રિત કરીએ તો જ બુદ્ધિ સ્થિર થઈ શકશે. અજ્ઞાન તો આપણામાં ઘણા પ્રકારનું હોય છે તેને પણ હટાવવુ જ પડે. સારાં પુસ્તકો અને સત્પુરુષોનો સંગ કરીએ તો અજ્ઞાનતા દૂર થઈ શકે છે. જે વ્યક્તિમાં આવી કોઇ પણ જાતની અજ્ઞાનતા ન રહે તે વ્યક્તિ તેના જીવનમાં તેને મનગમતી સફળતા, ધ્યેય કે મંઝિલ મેળવી લે તો પણ તેમાં બહુ ઉત્સાહિત થઈ જતો નથી. પોતે કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી છે તેવી કોઈ ગર્વની ભાવના કે લાગણી તેનામાં પેદા થતી નથી. તેવી જ રીતે કશુંક અપ્રિય બને કે ન ધારેલું કે અઘટિત કંઈક બને ત્યારે તે દુ:ખમાં ડૂબી જતો નથી કે નિરાશ થઈ જતો નથી. આમ, જે મનુષ્ય જ્ઞાની છે તેને ગમતું – અણગમતું, પ્રિય – અપ્રિય જેવું કશું હોતું જ નથી તે તો બસ પોતાનાં કર્મમાં લીન રહે છે અને જે ફળ મળે છે તેનો પ્રેમથી સ્વીકાર કરી લે છે. નિરાશા મળે તો ક્યાંય કોઈને કશી પણ ફરિયાદ કરતો નથી ને જો સફળતા મળી હોય તો પણ તેના મદમાં ફુલાઈ જતો નથી. ભગવાને સ્થિર બુદ્ધિ રાખવાની વાત કરીને સફળતા કે નિષ્ફળતા બંને પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનવાનું સૂચવેલું છે.

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ

સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષયમ શ્રુતે ॥ 5/21 ॥

અર્થ : ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન્ન થનારા સુખમાં આસક્તિરહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે. એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે.

ઇન્દ્રિય દ્વારા જે સુખ મળે છે તેમાં આસક્તિ ન રાખવી. સ્વાદિષ્ટ ભોજન, સુંદર સ્થળ, સુંદર વ્યક્તિત્વ, સુમધુર સંગીત, મધુર અને આહ્લાદક સોડમ, હળવું કંપન આ બધાં સુખ એવાં છે જેની અનુભૂતિ દરેક વ્યક્તિને થાય છે, પણ જે તેનાથી દૂર રહી શકે છે, જે તેમાં આસક્ત નથી થઇ જતો તે વ્યક્તિ મહાન છે, યોગી છે, સંસારી હોવા છતાં તેને ખૂબ મોટો તપસ્વી પણ કહી શકાય. ઇન્દ્રિયના સુખમાં આસક્તિ ન રાખે તો તેનું ચિત્ત શુદ્ધ બને છે અને આવી ચિત્તની શુદ્ધિને લીધે તે આત્માનું જે સુખ છે તેને પામી શકે છે. આત્મામાં કયું સુખ હોય છે? આત્માનું સુખ એવું છે જે જોઇ શકાય તેવું નથી. આત્મા બધાથી અલિપ્ત છે, પણ તે બધાથી અલિપ્ત રહીને જ સુખની અનુભૂતિ કરે છે. અહીં આત્માનું સુખ એટલે પ્રભુને પામવાનું સુખ એવો અર્થ લેવાનો છે. એમ કહી શકાય કે વ્યક્તિ ઇન્દ્રિયસુખમાંથી આસક્તિ છોડે એટલે આત્માનું સુખ પામે. આ સુખ ભગવાનના કહ્યા મુજબ અક્ષય છે. અક્ષય એટલે જેનો ક્ષય અર્થાત્ નાશ નથી થવાનો તેવું આ સુખ છે. ઇન્દ્રિય દ્વારા જે સુખ મેળવાય છે તે બધાં નાશવંત સુખ છે.

You Might Also Like

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે

દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
ધર્મ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?