By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    22 hours ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    2 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    3 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    4 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિખિલ બ્રહ્માંડના પરમતત્ત્વ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિખિલ બ્રહ્માંડના પરમતત્ત્વ છે

agragujaratnews
Last updated: 2024/01/18 at 12:51 PM
2 years ago
Share
પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિખિલ બ્રહ્માંડના પરમતત્ત્વ છે
SHARE

  • ગુરુ જ્યારે સમર્પણનું, ત્યાગનું, યજ્ઞનું વિધાન આપે છે ત્યારે જે યજ્ઞથી પ્રસાદ પ્રગટ થયા છે એ તો આપણે બધાં મહેસૂસ કરીએ છીએ

`રામચરિતમાનસ’માં `ઉત્તરકાંડ’માં કાગ ભુશુંડિજી ગરુડને પોતાની આત્મકથા, પોતાનો અનુભવ, પોતાની અનુભૂતિ બતાવે છે કે મેં પરમાત્માના ઉદરમાં અનંત બ્રહ્માંડોનાં દર્શન કર્યાં. એ બ્રહ્માંડોમાં મેં બધું ભિન્ન ભિન્ન જોયું પરંતુ `રામરૂપ દૂસર નહીં દેખા.’ એ સમસ્ત બ્રહ્માંડોમાં હું ઘૂમ્યો, પરંતુ ક્યાંય મેં રામનું બીજું રૂપ ન જોયું. રામ અદ્વિતીય છે. રામ પરમ સત્ય છે. જેવી રીતે આકાશમાં ચંદ્ર, સૂરજ, ગ્રહ, નક્ષત્ર વગેરે બધાં પોતપોતાના પરિચય સાથે પોતપોતાની ધરી પર ઘૂમી રહ્યાં છે; કુદરતના નિયમ અનુસાર એ બધાં કર્મ કરી રહ્યાં છે, પરંતુ આકાશ એક છે. હું ભગવાન રામને નિખિલ બ્રહ્માંડનો આત્મા કહું છું, કેમ કે એ આકાશ છે અને એમાં આપણે બધાં છીએ. આપણે બધાં ભિન્ન-ભિન્ન છીએ, પરંતુ એ એક છે. આકાશમાં બધું છે, પરંતુ આકાશ પણ આ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરમતત્ત્વ રામ આકાશને જન્મ આપે છે. એટલા માટે હું કહું છું કે ભગવાન રામ નિખિલ બ્રહ્માંડના પરમતત્ત્વ છે.

તો જે પરમાત્માથી બધું પ્રગટ થયું છે અને જે પરમાત્મામાં જ બધું લીન થાય છે, એવા મારા રામ વિશ્વાસ છે પરમાત્મા. મા કૌશલ્યા રામજન્મના અવસર પર કહે છે, `બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈ.’ આજે એ પરમાત્મા-પ્રભુ રામનો ત્રિભુવનીય દિવસ છે. રામકથા મારા માટે રોજ નૂતન છે. આ શાબ્દિક નિવેદન નથી, હાર્દિક નિવેદન છે. મને ગુરુકૃપાથી, શાસ્ત્રકૃપાથી, મારા સાધુક્રમમાં એવું લાગે છે. મહારાજ દશરથજી ધર્મધુરંધર હતા; અવધના ચક્રવર્તી સમ્રાટ હતા; કૌશલ્યાદિ પ્રિય રાણીઓ હતી; સૌનું પવિત્ર આચરણ; હરિપદ કમલમાં વિનીત ભક્તિ; એવો પરિવાર હતો, પરંતુ મહારાજ દશરથજીને ત્યાં પુત્ર ન હતો. એ ગ્લાનિ, એ પીડા, એ વેદના, તેઓ પોતાના ગુરુ પાસે જઈને વ્યક્ત કરે છે અને ગુરુ એક યજ્ઞની વિદ્યા બતાવે છે. યજ્ઞ થાય છે. સ્નેહ અને ભક્તિથી આહુતિઓ અપાય છે. આખરે યજ્ઞપ્રસાદના રૂપમાં પ્રસાદનો એક ચરુ નીકળે છે; રાણીઓને વહેંચવામાં આવે છે અને રાણીઓ સગર્ભા થાય છે. એ ત્રેતાકાળમાં ઘટેલી ઘટના સાર્વભૌમ છે, છતાં પણ પ્રત્યક્ષ રૂપમાં આપણી સામે રામ નથી, `રામચરિતમાનસ’ છે અને સાથોસાથ વિશેષ વધાઈ આપું કે આજે `રામચરિતમાનસ’નો પણ પ્રાગટ્યદિન છે.

 તો મહારાજ દશરથજીને મનમાં ગ્લાનિ થઈ. દશરથજી પોતાના જીવનરથને ચલાવતાં ગ્લાનિગ્રસ્ત મનને લઈને ગુરુના ગૃહે ગયા. આજે રાજદ્વાર ગુરુદ્વાર પહોંચ્યું. ગુરુ જ ઉપાય છે. અવધપતિ એ ગ્લાનિગ્રસ્ત મન લઈને ગુરુદ્વાર પહોંચે છે. ગુરુએ કહ્યું, એક યજ્ઞ કરવો પડશે. શૃંગી ઋષિને બોલાવ્યા. યજ્ઞ કર્યો. યજ્ઞવિદ્યાથી જે ચરુ નીકળ્યો, એ શું છે? ત્રેતાયુગમાં ઘટેલી ઘટના, ઘટેલી ઘટના આજે આપણા જીવનનું પણ એ સત્ય છે. ત્રેતાયુગમાં એ ઘટના કેવળ અવધપતિ સાથે ઘટી. ગુરુ જ્યારે સમર્પણનું, ત્યાગનું, યજ્ઞનું વિધાન આપે છે ત્યારે જે યજ્ઞથી પ્રસાદ પ્રગટ થયા છે એ તો આપણે બધાં મહેસૂસ કરીએ છીએ. પ્રસાદ એટલે કૃપા. પછી એ પ્રસાદને ત્રણેય રાણીઓમાં વહેંચવામાં આવ્યો.

રામનવમી આવી આપણા ભાગ્યમાં, આપણાં પરમ ભાગ્યમાં, આપણા સદ્ભાગ્યથી, મધ્યાહ્નનો સમય; જડ-ચેતન હર્ષમાં ડૂબેલાં છે. દેવતાઓએ અવધના નભને સંકુલ કર્યું છે; સ્તુતિ કરી રહ્યા છે; પુષ્પાંજલિ વરસાવવામાં આવી રહી છે; દુંદુભિ વાગી રહ્યા છે. પૃથ્વીના બ્રાહ્મણ દેવતા, આકાશના સુર દેવતા, પાતાળના નાગદેવતા બધા પરમાત્માની ગર્ભસ્તુતિ કરે છે અને બધા સ્તુતિ કરીને નિજધામમાં ભીતર ચાલ્યા ગયા. અવધના પ્રાસાદમાં તો ત્રેતાયુગમાં પ્રભુ પ્રગટ થયા, પરંતુ આજનું સત્ય શું છે? આપણે ભીતર જઈએ અને ભીતર રામનવમી થાય.

પરમતત્ત્વ ભક્તિવશ, પ્રેમવશ પ્રગટ થાય છે. મા કૌશલ્યા સાથે સંવાદ થાય છે અને મા કૌશલ્યા કહે છે, જે રૂપે આપ પ્રગટ થયા એનાથી સંસારની સમસ્યાનો નાશ નહીં થાય. આપ અમારા જેવું માનવીય રૂપ ધારણ કરો. અમારે ચતુર્ભુજ ન જોઈએ, અમારે દ્વિભુજ જોઈએ. `રામચરિતમાનસ’ માનવેતર તત્ત્વને માનવીય રૂપ પ્રદાન કરે છે. માએ કહ્યું, આપ બાળક બનીને આવો. માનાં સુજાન વચનામૃત સાંભળીને પરમાત્મા શિશુ રૂપ ધારણ કરે છે. માનવીય સંવેદનાને આત્મસાત્ કરીને એ રડવા લાગ્યા. જે દિવસે રામજન્મ થયો એ દિવસે `રામચરિતમાનસ’નો પણ જન્મ થયો. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે એનું પણ જે ગાયન કરશે એ એનું અધોગમન નહીં થાય; સદૈવ ક્રમશ: ઉર્ધ્વગમન થશે. એવા પરમનું પ્રાગટ્ય થયું.

પ્રભુ પહેલાં તો જ્યારે પ્રગટ થયા તો `કૌશલ્યા હિતકારી.’ પરંતુ કૌશલ્યાના હિત માટે જ પરમનું આવવું એટલું સાર્થક નથી. આજે એક માનવીય રૂપમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે ગોસ્વામીજી કહે છે, એ બ્રાહ્મણ માટે આવ્યા, ગાયો માટે આવ્યા, દેવતાઓ માટે આવ્યા અને સાધુઓ માટે આવ્યા. બ્રાહ્મણો માટે આવ્યા એટલે કે પરમાત્મા ધર્મને માટે આવ્યા. બ્રાહ્મણ ધર્મનું પ્રતીક છે. ગાયો માટે આવ્યા એટલે કે પરમાત્મા અર્થ માટે આવ્યા. જીવનમાં ધર્મની જરૂર છે; અર્થની જરૂર છે. દેવતાઓ માટે આવ્યા એટલે કે કામ માટે આવ્યા, રસ માટે આવ્યા અને ભગવાન સાધુ માટે આવ્યા એટલે કે મોક્ષ માટે આવ્યા. એક વસ્તુ યાદ રાખજો. સાધુ જીવંત મોક્ષ છે. સાધુ જંગમ મુક્તિ છે. સાધુ મોક્ષ-વિગ્રહ છે. શિવજીને જો `માનસ’માં સાધુ કહ્યા છે તો શિવ કોણ છે? નિર્વાણરૂપ; એ નિર્વાણરૂપ છે. એટલે તો નિર્વાણપ્રદ પણ છે. ધર્મને માટે, અર્થને માટે, કામને માટે, મોક્ષને માટે પ્રભુ પધાર્યા. ત્રિભુવનમાં જયજયકાર થયો અને વધાઈઓ ગાવામાં આવી; ઉત્સવ મનાવાયો. હું ફરી એક વાર આજના ત્રિભુવનીય દિવસ પર, ભગવાન રામ અને `રામચરિતમાનસ’ના પ્રાગટ્ય અવસર પર સમગ્ર સંસારને ખૂબ ખૂબ વધાઈ આપું છું.

You Might Also Like

 અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ

ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ

આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ

એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ

શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ગુજરાત

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Editor By Editor 6 days ago
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ
ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ
જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?