By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા

Editor
Last updated: 2026/07/21 at 3:51 PM
1 hour ago
Share
વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા
SHARE

કાશ્મીરથી ચારધામ સુધી કુદરતનો કોપ

વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા

અમરનાથ-વૈષ્ણોદેવી-ચારધામ યાત્રા સ્થગિત; પૂર અને માર્ગ ધોવાણથી જનજીવન અસ્તવ્યસ્ત ;  શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ધોધમાર વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, ભૂસ્ખલન અને પૂર જેવી કુદરતી આફતોએ સમગ્ર વિસ્તારને સંકટમાં મૂકી દીધો છે. છેલ્લા બે દિવસમાં વિવિધ દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિને જોતા અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા અને ઉત્તરાખંડની ચારધામ યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ અસર પૂંછ, રાજૌરી, ડોડા અને જમ્મુ જિલ્લામાં જોવા મળી રહી છે. પૂંછ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી એક મકાન પર કાટમાળ ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. ડોડા જિલ્લામાં બસ પર પર્વત પરથી વિશાળ શિલા તૂટી પડતાં બે મુસાફરોના મોત થયા હતા. અન્ય વિસ્તારોમાં પણ વરસાદી દુર્ઘટનાઓને કારણે જાનહાનિ થઈ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે છ લોકો હજુ પણ લાપત્તા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અમરનાથ યાત્રાનો બાલતાલ માર્ગ મર્યાદિત રીતે ખોલવામાં આવ્યો હોવા છતાં મુખ્ય યાત્રા અટકાવી દેવામાં આવી છે. કટરામાં આશરે 15 હજાર જેટલા યાત્રાળુઓ અટવાયેલા છે. માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર બેટરી કાર રૂટ, ભૈરવ ઘાટી અને પરંપરાગત માર્ગ પર સતત પથ્થરો ધસી પડવાની ઘટનાઓને કારણે યાત્રાળુઓની અવરજવર સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. મસૂરી-દેહરાદૂન માર્ગ સહિત અનેક મુખ્ય માર્ગો પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ જતા યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ માર્ગો સંપૂર્ણપણે સલામત જાહેર થયા બાદ જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, શિમલા, મંડી અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને લોકોને નદી-નાળા તથા પહાડી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય ચોમાસાના કારણે આગામી 48 કલાક ઉત્તર ભારત માટે અત્યંત મહત્વના રહેશે. જમ્મુ-કાશ્મીરમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે. તવી અને ચિનાબ નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદે જોર પકડ્યું છે. ધોધમાર વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નિષ્ણાતોનું માનવું છે કે હિમાલયી વિસ્તારોમાં વધતી અતિવૃષ્ટિ, વાદળ ફાટવાની ઘટનાઓ અને વારંવાર થતાં ભૂસ્ખલન આબોહવા પરિવર્તનની ગંભીર અસર તરફ ઈશારો કરે છે. આવા સંજોગોમાં સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી, વૈજ્ઞાનિક આયોજન અને સમયસર ચેતવણી વ્યવસ્થા મજબૂત બનાવવી હવે અનિવાર્ય બની ગઈ છે.

24નાં મોત, 6 લાપત્તા

બે દિવસમાં વરસાદી દુર્ઘટનાઓમાં 24 લોકોના મોત.
પૂર અને ભૂસ્ખલનમાં 6 લોકો લાપત્તા.
બચાવ માટે NDRF, SDRF અને સ્થાનિક તંત્ર કાર્યરત.

ત્રણ મુખ્ય યાત્રાઓ પર બ્રેક

અમરનાથ યાત્રા સ્થગિત.
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ બંધ.
ચારધામ યાત્રા પણ તાત્કાલિક રોકાઈ.
માર્ગ સુરક્ષિત બન્યા બાદ જ યાત્રા ફરી શરૂ થશે.

કાશ્મીરમાં સૌથી વધુ નુકસાન

પૂંછમાં મકાન પર કાટમાળ પડતાં એક પરિવારના 7 મોત.
ડોડામાં બસ પર શિલા પડતાં 2નાં મોત.
અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો.

ઉત્તરાખંડમાં માર્ગો ધોવાયા

મસૂરી-દેહરાદૂન માર્ગ પર મોટું ભૂસ્ખલન.
ચારધામ રૂટના અનેક ભાગોમાં અવરજવર બંધ.
યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડાયા.

હિમાચલમાં રેડ એલર્ટ

કુલ્લુ, શિમલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ.
શાળા-કોલેજોમાં રજા જાહેર.
નદી-નાળાથી દૂર રહેવા લોકોને અપીલ.

કાશ્મીરમાં 15 હજાર યાત્રાળુ અટવાયા

કટરામાં અંદાજે 15 હજાર યાત્રાળુ રોકાયા.
બાલતાલ રૂટ મર્યાદિત રીતે ખુલ્લો.
વૈષ્ણોદેવી માર્ગ પર સતત ભૂસ્ખલનથી અવરજવર બંધ.

આગામી 48 કલાક ભારે

IMD દ્વારા ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી.
જમ્મુ-કાશ્મીરમાં 23 જુલાઈ સુધી એલર્ટ.
તવી અને ચિનાબ નદીમાં જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોને ચેતવણી.

You Might Also Like

ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ

ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક115 મી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો

જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર

ગોંડલમાં શિવભકિતમાં લીન ભકત નાચતા-નાચતા કુવામાં પડી જતાં મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપર નજીક દોરાના બોક્સ નીચે છુપાવેલો 34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ

શાપર નજીક દોરાના બોક્સ નીચે છુપાવેલો 34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

Editor By Editor 4 days ago
ભારતની હેન્ડબોલ ટીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ખેલાડી જડકયા   
મોરબી જિલ્લા ભાજપમાં ભૂકંપ : ૫૦૦ જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા
જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત
દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?