By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ

Editor
Last updated: 2026/05/04 at 5:22 PM
3 months ago
Share
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
SHARE

સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ

પઠાણવાડા, ભોંયવાડા, જુના મંદિર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂલડોઝરની કામગીરી હાથ ધરાઈ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વિશ્વવિખ્યાત પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ નગરમાં ચાલી રહેલા કોરિડોર વિકાસ પ્રોજેક્ટને હવે ગતિ આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. જેમાં આજે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચહલપહલ સાથે તંત્રની સક્રિયતા જોવા મળી હતી.

આજે સવારે સોમનાથ મંદિર પરિસર નજીક આવેલ પઠાણવાડા, ભોંયવાડા તેમજ જુના સોમનાથ મંદિર સહિતના આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના જેસીબી મશીનો વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ વિસ્તારો સંવેદનશીલ હોવાનું ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ડીમોલેશન સમયે સ્થળ પર જીલ્લા પોલીસવડા, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ ખડેપગે હાજર રહી કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા હતા. તંત્ર દ્વારા સમગ્ર ડીમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે, સોમનાથ કોરીડોર પ્રોજેકટ માટે લગભગ 250 થી વધુ મિલકતધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે. સરકાર સાથે સહકાર આપતા આસમીઓએ વિકાસકાર્ય માટે સહભાગિતા દર્શાવતા તંત્રને સહેલાઈ મળી છે. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસરનો સર્વાંગી વિકાસ કરવાનો સરકારનો હેતુ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. ધાર્મિક અને પ્રવાસનના વૈશ્વિક નકશા પર અગત્યનું સ્થાન ધરાવતા સોમનાથ મંદિરને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા આ કોરિડોર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાલ ચાલી રહેલી ડીમોલેશન કામગીરીને લઈ સ્થાનિકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.

You Might Also Like

ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!

વેરાવળ પીપલ્સ બેંકની સાધારણ સભામાં સભાસદોને 13 % ડિવિડન્ડની જાહેરાત

ગીર સોમનાથમાં પ્રોહીબિશનના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી રેંજ આઈજીની ટીમે ઝડપી પાડ્યો

વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન

વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
રાજકોટ

‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ

Editor By Editor 7 days ago
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત
નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે કયા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે?  : પ્રશાંત વાળા
દીવના વાંસોજ નજીક સરકારી જમીન પરના દબાણો હટાવવાનો કરાયો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?