By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ

Editor
Last updated: 2026/08/08 at 5:14 PM
54 minutes ago
Share
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
SHARE

શેરબજારમાં હવે એન્ટ્રી આસાન નહીં!

21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ

સેબીના નવા ચર્ચાપત્રથી શેરબજારમાં ખળભળાટ : વ્યક્તિગત રોકાણકારથી બ્રોકર અને કંપનીઓ સુધી અલગ-અલગ માપદંડની તૈયારી, ગેરેન્ટેડ વળતરની બાંહેધરી પર પણ લગામ

અગ્ર ગુજરાત, રાજકોટ

શેરબજારમાં રોકાણકારોની વધતી સંખ્યા, રિટેલ રોકાણકારોની સક્રિયતા અને ડે-ટ્રેડિંગમાં વધતા રસ વચ્ચે હવે બજારમાં પ્રવેશ અને કામગીરી માટેના નિયમો વધુ કડક બનાવવાની દિશામાં કવાયત શરૂ થઈ છે. સેબી દ્વારા જાહેર કરાયેલા ચર્ચાપત્રમાં વ્યક્તિગત રોકાણકારો, શેરબ્રોકરો તેમજ કંપનીઓ માટે અલગ-અલગ લાયકાત અને નાણાકીય માપદંડ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રસ્તાવનો અમલ થાય તો શેરબજારમાં માત્ર એકાઉન્ટ ખોલાવીને ટ્રેડિંગ શરૂ કરી દેવાનો રસ્તો વધુ મુશ્કેલ બની શકે છે.
ચર્ચાપત્રમાં વ્યક્તિગત રોકાણકાર માટે હાલની 18 વર્ષની ઉંમરની મર્યાદાને વધારીને 21 વર્ષ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે રોકાણકાર ઓછામાં ઓછું ધોરણ-12 કે તેથી વધુ શિક્ષણ ધરાવતો હોવો જોઈએ તેવો માપદંડ પણ સૂચવાયો છે. એટલું જ નહીં, વ્યક્તિગત રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂ.5 લાખની લિક્વિડ અથવા રોકડ સ્વરૂપની સંપત્તિ હોવી જરૂરી બને તેવી ભલામણ પણ કરવામાં આવી છે. એટલે કે ભવિષ્યમાં શેરબજારમાં રોકાણ કરવા માટે માત્ર ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ પૂરતું નહીં રહે, પરંતુ રોકાણકારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને નાણાકીય ક્ષમતા પણ મહત્વની બની શકે છે.
આ ઉપરાંત શેરબ્રોકર સાથે જોડાયેલા વ્યક્તિગત રોકાણકાર માટે ઓછામાં ઓછી રૂ.1 લાખની ડિપોઝિટ રાખવાની જોગવાઈ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જોકે રોકાણકારના ટ્રેડિંગના કદ અને વ્યવહારને ધ્યાનમાં રાખીને બ્રોકર આ રકમ કરતાં વધુ ડિપોઝિટ પણ માંગી શકે તેવી શક્યતા છે. આ જોગવાઈનો હેતુ બજારમાં ગંભીર નાણાકીય ક્ષમતા ધરાવતા અને જવાબદારીપૂર્વક ટ્રેડિંગ કરતા રોકાણકારોને પ્રોત્સાહન આપવાનો હોવાનું માનવામાં આવે છે.
કંપનીઓ માટે પણ અલગ નાણાકીય માપદંડ સૂચવાયો છે. ચર્ચાપત્ર મુજબ શેરબજાર સાથે સંકળાયેલી કંપની પાસે ઓછામાં ઓછી રૂ.25 લાખની નેટવર્થ હોવી જરૂરી બને તેવી ભલામણ છે. બજારમાં નાણાકીય રીતે નબળી, અસ્થિર અથવા અચાનક ગાયબ થઈ જતી સંસ્થાઓને કારણે રોકાણકારોને નુકસાન ન થાય તે માટે આવા માપદંડ નક્કી કરવાની દિશામાં વિચારણા થઈ રહી છે.
શેરબ્રોકરો માટે પણ નિયમો કડક કરવાની તૈયારી છે. બ્રોકર તરીકે કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ સ્ટોક બ્રોકર અથવા સિક્યોરિટીઝ ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ એટલે કે NISMનો સર્ટિફિકેટ કોર્સ કરવાની જોગવાઈ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. આથી ભવિષ્યમાં શેરબ્રોકિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે અનુભવ અને વ્યાવસાયિક લાયકાત બંને જરૂરી બની શકે છે.
ટ્રેડિંગ ટર્મિનલની સુરક્ષા અને ઓળખને લઈને પણ મહત્વની જોગવાઈઓ સૂચવવામાં આવી છે. બ્રોકરોની ઓફિસમાં જિયો-ટેગિંગ, CCTV, ચહેરો ઓળખી શકે તેવી કેમેરા સિસ્ટમ, બાયોમેટ્રિક ચકાસણી, પ્રી-ઓર્ડર ડેટાનું કેન્દ્રીય સ્ટોરેજ તેમજ ડેટાની સુરક્ષા માટેની વ્યવસ્થા ઉભી કરવાની ભલામણ કરવામાં આવી છે. ફાળવાયેલા ટ્રેડિંગ ટર્મિનલની અચાનક મુલાકાત લઈને તમામ સુરક્ષા અને ટેક્નિકલ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી પણ બ્રોકર પર મૂકવાની વાત કરવામાં આવી છે.
રોકાણકારોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ચોક્કસ વળતરની લાલચ સામે પણ નિયમો કડક કરવાની તૈયારી છે. ગેરેન્ટેડ રિટર્ન અથવા નિશ્ચિત નફાની બાંહેધરી આપીને રોકાણકારોને આકર્ષવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે હિસાબોનું ઓડિટ, રોકાણકારોના નાણાંની સુરક્ષા અને સક્રિય તથા અધિકૃત વ્યક્તિઓની યાદી વેબસાઇટ પર જાહેર કરવાની જોગવાઈ અંગે પણ સૂચન કરાયું છે.
જોકે સેબીના આ પ્રસ્તાવથી રોકાણકારોની સુરક્ષા અને પારદર્શિતા વધવાની આશા છે, પરંતુ બ્રોકિંગ ઉદ્યોગમાં તેના કારણે ખર્ચ વધવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. વેન્ચુરા સિક્યોરિટીઝના ડી.પી. સિંઘના જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થાઓથી બ્રોકરોનો ઓપરેશનલ ખર્ચ વધશે અને ખાસ કરીને નાના તથા મધ્યમ કદના બ્રોકરો માટે આર્થિક ભારણ ઊભું થઈ શકે છે. પરિણામે કેટલાક નાના બ્રોકરોને પોતાનો વ્યવસાય સંકેલવાની ફરજ પડે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. ગ્રાહકોની ડિપોઝિટ સહિતના નાણાંના દુરુપયોગને રોકવા માટે વધારાની સલામતી વ્યવસ્થા જરૂરી હોવાનો મત પણ વ્યક્ત થયો છે. હાલમાં આ તમામ જોગવાઈઓ ચર્ચાપત્રના તબક્કામાં છે અને સેબીએ તેના અંગે સૂચનો તથા અભિપ્રાયો માંગ્યા છે. તેથી 21 વર્ષની ઉંમર, રૂ.5 લાખની મૂડી કે રૂ.1 લાખની ડિપોઝિટ સહિતના માપદંડો હાલમાં અંતિમ નિયમો નથી. સેબી દ્વારા મળેલા સૂચનો અને અભિપ્રાયોના આધારે અંતિમ માળખું નક્કી થયા બાદ જ શેરબજારના રોકાણકારો, બ્રોકરો અને કંપનીઓ પર તેની ચોક્કસ અસર સ્પષ્ટ થશે.

21 વર્ષથી ઓછી ઉંમરે રોકાણ નહીં?

નવા પ્રસ્તાવ મુજબ વ્યક્તિગત રોકાણકાર માટે ઉંમરની લઘુતમ મર્યાદા 18થી વધારીને 21 વર્ષ કરવાની ભલામણ છે. સાથે ધોરણ-12 કે તેથી વધુ શિક્ષણનો માપદંડ પણ સૂચવાયો છે. એટલે ભવિષ્યમાં શેરબજારમાં પ્રવેશ માત્ર ઉંમરથી નહીં પરંતુ લાયકાત અને નાણાકીય ક્ષમતા સાથે જોડાઈ શકે છે.

રિટેલ રોકાણકાર માટે નાણાકીય ક્ષમતા સાબિત કરવાની તૈયારી

વ્યક્તિગત રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂ.5 લાખની લિક્વિડ અથવા રોકડ સ્વરૂપની સંપત્તિ હોવી જરૂરી બને તેવી ભલામણ છે. હેતુ એ છે કે બજારમાં ગંભીર નાણાકીય ક્ષમતા ધરાવતા રોકાણકારો જ સક્રિય રીતે જોડાય અને માત્ર હવામાં થતા સોદા કે અતિ જોખમી ટ્રેડિંગને નિયંત્રણમાં લાવી શકાય.

કંપનીઓએ પણ બતાવવી પડશે તાકાત

શેરબજાર સાથે સંકળાયેલી કંપનીઓ માટે ઓછામાં ઓછી રૂ.25 લાખની નેટવર્થ રાખવાની દરખાસ્ત છે. નાણાકીય રીતે નબળી અથવા અસ્થિર સંસ્થાઓ બજારમાં પ્રવેશ ન કરે અને રોકાણકારોના હિતને નુકસાન ન થાય તે દિશામાં આ માપદંડ મહત્વનો બની શકે છે.

બ્રોકરના દરવાજે રૂ.1 લાખની ડિપોઝિટ!

ટ્રેડિંગના કદ પ્રમાણે વધુ રકમ પણ માંગી શકાશે
વ્યક્તિગત રોકાણકારને શેરબ્રોકર પાસે ઓછામાં ઓછી રૂ.1 લાખની ડિપોઝિટ રાખવાની જોગવાઈ અંગે પ્રસ્તાવ છે. રોકાણકારના વ્યવહારનું પ્રમાણ વધુ હોય તો બ્રોકર વધારાની ડિપોઝિટની માંગણી કરી શકે તેવી પણ શક્યતા છે.

ટ્રેડિંગ ટર્મિનલ પર ‘ત્રીજી આંખ’ની નજર

નવા માળખામાં બ્રોકરની ઓફિસમાં જિયો-ટેગિંગ, CCTV, ફેસ રેકગ્નિશન કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી અને પ્રી-ઓર્ડર ડેટાના કેન્દ્રીય સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવાની ભલામણ છે. ટ્રેડિંગ ટર્મિનલની સુરક્ષા અને ઓળખ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે.

નિશ્ચિત નફાની લાલચ આપનારા પર કડક નજર

રોકાણકારોને ચોક્કસ કે ગેરેન્ટેડ વળતરની બાંહેધરી આપતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાની દિશામાં પણ પ્રસ્તાવ છે. બ્રોકર અને સિક્યોરિટીઝ સાથે સંકળાયેલી સંસ્થાઓએ રોકાણકારોને જોખમ અંગે યોગ્ય ચેતવણી આપવી પડશે અને સક્રિય અધિકૃત વ્યક્તિઓની યાદી વેબસાઇટ પર જાહેર કરવાની રહેશે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
ગુજરાતરાજકોટ

જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું

Editor By Editor 3 days ago
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?