ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
રાજયના સ્થાપના દિવસે સરકાર દ્વારા એવોર્ડ અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૬૬માં સ્થાપ્ના દિવસ ની ઉજવણી સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં વ્યક્તિ વિશેષ સમાજ સેવા બદલ રાજકોટ ના હસુભાઇ દવે (એડવોકેટ)પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતિય મજદૂર સંઘ ગુજરાત નું સર્વોચ નાગરિક સન્માન ગુજરાત ગરિમા અવોર્ડ ૨૦૨૬થી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ભારત સરકારના જલ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી અને રાજ્યના કેબિનેટ મંત્રી અને મુખ્ય સચિવ અને અધિકારી સુરત ના તમામ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.
હસુભાઇ દવે ભારતીય શ્રમ ક્ષેત્રના એક સર્વમાન્ય નેતા છે. ભારતીય મજદૂર સંઘ અને તેના સંંબંધિત સંગઠનોના વિસ્તારથી લઇને શ્રમ ક્ષેત્રે ઉપસ્થિત વૈચારિક મતભેદોને શ્રમિક હિતમાં રૂપાંતરિત કરવામાં તેમણે સેતૂ રૂપ કાર્ય કર્યું” છે. તેઓ ૧૯૯૪-ર૦૦ર સુધી ભારતીય મજદૂર સંઘના મહામંત્રી રહયાં. ત્યારબાદ ર૦૦ર-ર૦૦પ સુધી સંગઠનના અધ્યક્ષની જવાબદારી નિભાવી.
૧૬ એપ્રિલ ર૦૦૧ના રોજ દિલ્હીમાં થયેલ ઐતિહાસિક વિરોધ પ્રદર્શન તેમની અદભૂત સંગઠનાત્મક કુશળતાનું સારું ઉદાહરણ છે. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય શ્રમ પરિષદનું નિયમિત આયોજન શ્રમ જગત માટે એક મોટી સિધ્ધી છે તેમજ તેઓએ દિતિય શ્રમ આયોગના સભ્ય તરીકે કાર્ય કર્યુ છે. હસુભાઇ દવેએ પાંચ વખત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) ખાતે ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ કયુ” છે. કેન્દ્રીય કામદાર શિક્ષણ બોર્ડના અધ્યક્ષથી લઇને ૧૯૯૮ થી ર૦૦૮ સુધી પીએફ કમીટીના સભ્ય રહયાં. હસુભાઇ દવે લાંબા સમય સુધી શ્રમ કાયદાના નિષ્ણાંત સેવા આપી હતી.
આ સન્માન બદલ સમગ્ર ગુજરાત માંથી વિવિઘ સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિ, સામાજિક સંસ્થાઓ, દ્વારા ખૂબ ખૂબ અભિનદન વર્ષા મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૫૭૨૦ થઈ રહી છે.


