By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/05/09 at 4:53 PM
58 minutes ago
Share
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
SHARE

સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

સાધનામાં યથા યોગ્ય વિનિયોગ થાય તો જલ્દી સફળતા મળે છે

મારો ગુરૂદત્ત-સાધુ પ્રયત્ન છે કે હું તમારા મન સુધી પહોંચું

મોટા હોય એના વજન નથી હોતા, નાના હોય એના જ વજન હોય છે!

 

શુક્રતાલની દિવ્ય- સેવ્ય ભૂમિ પર, સ્વાન્ત: સુખાય આયોજીત રામકથા ‘માનસ સુકતીર્થ’ના સાતમા દિવસે ગઇકાલે કથાના પ્રેમસંવાદમાં પ્રવેશ કરતા પ્રિય બાપુએ કહ્યું હતું કે એક-બે પ્રશ્નો પૂછાયા છે કે બાપુ, તુલસી પોતાને પક્ષી માને છે? અને શંકર હંસરૂપી પક્ષી છે તો પાર્વતી પક્ષી છે! જવાબ: તુલસીદાસજી પક્ષી છે, રામચરિત માનસ પક્ષીતીર્થ છે. તુલસીજી પણ પોતાને પક્ષી માને છે, પ્રમાણ:

એક ભરોસ, એક બન, એક આસ વિશ્વાસ

એક રામ ઘનશ્યામ હી ચાતક તુલસીદાસ

અને પાર્વતી પણ પક્ષી છે, પ્રમાણ :

જય જય ગિરિવર રાજકિશોરી

જય મહેસ મુખ ચંદ ચકોરી

સુકદેવજી અને પરિક્ષિત સંદર્ભના બે મંત્ર-શ્લોક છે. જે ઉપનિષદમાં છે, જેમાં સુકદેવ અને પરિક્ષિતની સ્થિતિનો પરિચય મળે છે. એ શ્લોક હું બે દિવસથી લઇ આવું છું પણ કથા પ્રવાહ મને લઇ જાય એ રીતે હું પ્રવાહિત થાઉ છું. તો આ શ્લોક મંત્ર સૌ સાથે બોલીએ….

ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ:

પ્રાપ્તસ્ય યોગાગ્નિ શરિરમ

યોગ, વિયોગ, જ્ઞાન, પ્રેમ એ અગ્નિ છે. મૂળમાં તો બધે જ અગ્નિતત્વ જ છે. આ પરિક્ષિતનું દર્શન છે. પરિક્ષિતમાં તીવ્રતા છે. તીવ્રતારૂપી અગ્નિ પરિક્ષિત છે. જીવનમાં યથાયોગ્ય વિનિયોગ-વિનિમય થાય તો જ સફળતા મળે છે. સાધનામાં પણ એ જરૂરી છે. એક વાર્તા છે.

એક ભાઇએ નિર્ણય કર્યો કે હું ગામથી દૂર, નદી કિનારે ઝૂંપડી બનાવી એક વર્ષ માટે સાધના કરીશ. પરિવારમાં વાત કરી, ગામ લોકોને કહ્યું કે એક વર્ષ સાધના કરવી છે અને એ દરમ્યાન મારી પાસે કોઇએ ન આવવું. પરિવારને પણ કહ્યું કે કોઇએ મને મળવા ન આવવું. નદી કિનારે, ઝૂંપડીમાં સાધના કરે છે, પણ છ મહિના થયા એટલે ખૂબ દુર્ગંધ આવવા લાગી, ગામમાં પણ દુર્ગંધ ફેલાવા લાગી. ગામ લોકો તો વિચારવા લાગ્યા કે આ દુર્ગંધ શેની છે? તો નદી કિનારે ઝૂંપડીમાંથી આ દુર્ગંધ આવતી હતી એટલે ગામ લોકો અને પરિવાર બધા ત્યાં ગયા અને ઝૂંપડીનો દરવાજો ખોલીને જોયું તો પેલા ભાઇનું મૃત્યુ થઇ ગયું હતું અને એના શબની દુર્ગંધ હતી. એક ભાઇ બોલ્યો કે ભૂખને કારણે આ ભાઇ મરી ગયા, કોઇ કહે ઝેરી સાપ કરડયો હશે. કોઇએ કહ્યું કે આત્મહત્યા કરી હશે આમ સૌ વાતો કરવા લાગ્યા. પરિવારના સભ્યોને પૂછયું તો એમણે કહ્યું કે અમે એક વર્ષ ચાલે એટલું અનાજ-કરિયાણું બીજી બધી ચીજ વસ્તુઓ તો આપી હતી પણ એને રસોઇ બનાવતા ન્હોતી આવડતી!!! જીવનમાં કે સાધનામાં યથાયોગ્ય વિનિયોગ ન થાય તો મૃત્યુ પણ આવી શકે!

ઓશો એક સરસ દ્રષ્ટાંત આપતાં કે એક વખત અંધારાએ ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું કે ભગવાન આ સુરજ જુઓને, મને હેરાન પરેશાન કરે છે, હું ગરીબ છું. મારી મહેનત પર એ પાણી ફેરવે છે. તમે એને સમજાવોને? એટલે ભગવાને કીધું કે એક કમિશન રહ્યું છું, નારદને એના અધ્યક્ષ બનાવું છું. એટલે નારદના અધ્યક્ષપણે કમિટી બની અને કમિટીએ સૂરજ સાથે ચર્ચા કરી કે ભાઇ, અંધારાની આ ફરિયાદ છે. ત્યારે સુરજ બોલ્યો કે મેં તો અંધારાને જોયું જ નથી. મને તો ખબર જ નથી. એક કામ કરો અંધારાને મારી પાસે મોકલો, હું એની માફી માંગી લઇશ. હજી આજ સુધી અંધારૂ સુરજને મળ્યું નથી! આ કેસ હજી ત્યાંને ત્યાં જ છે!!!

પ્રેમસંવાદ દરમ્યાન બાપુએ સુકદેવજી સંદર્ભનો ઉપનિષધદીય શ્લોક પણ વિસ્તારથી વર્ણવ્યો હતો અને એમાં રહેલું સુકદેવજીનું દર્શન સમજાવ્યું હતું.

કથારત્નો

(૧) જીસને ‘ગલ’ કો પા લિયા વો ‘પાગલ’-ગુરૂદેવ નાનક

(૨) કયા રોગ લગા બૈઠે હૈ! હમ દિલ કો ભૂલા બૈઠે હૈ!

(3) વલ્લભ ગુણ ગાવાને ગાવા, અવસર ફિર નહીં આવે આવા, દયાના સ્વામીના ગુણ ગાવા અંતે હરિચરણે જાવા….

(૪) સાધુ એટલે : પાડોશીનું બાળક આપણા ઘરમાં રમવા આવ્યું હોય એવું લાગે એ સાધુ

(૫) સુક્ષ્મદ્રષ્ટિ ત્યારે જ સફળ થાય જો દ્રષ્ટિ ચંદ્ર પર હોય

…હજુ એક કથા ગાન અહીં કરવું છે

પ્રિયબાપુએ કથા દરમ્યાન કહ્યું કે આ તીર્થમાં આ છઠ્ઠી કથા છે. આ પહેલા અહીં પાંચ કથા ગાઇ છે. સુકદેવજીએ અહીં સાત દિવસ કથા કહી તો મારે સાત કથા ગાવી છે. હરિ ઇચ્છા. જોઇએ કયારે ગવાશે! પણ આ સુકતીર્થમાં હજી એક કથા ગાન કરવા આવીશ.

You Might Also Like

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે

દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
રાજકોટ

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

Editor By Editor 1 hour ago
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો
રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?