સોલાર પ્રોજેકટ માટેના NoN-DCR કમિશનીંગની મર્યાદા વધારવા માંગણી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સરકારમાં રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
“ઉર્જા સુરક્ષા” એ આપણા અર્થતંત્રની કરોડરજજુ છે અને હાઈડ્રોજન, બાયો-ઈધણ અને કુત્રિમ ઈધણ જેવા વૈકલ્પીક ઈધણનો વિકાસ અને સ્થાનીક ઓઈલ પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દુર કરવા માટે તેનો ઉપયોગ ઓઈલ આયાત પરની નિર્ભરતા ઘટાડશે.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના “વોકલ ફોર લોકલ” ના સ્વપ્નને સાર્થક કરવાના અભિયાન હેઠળ આગામી તા.૩૧-૦૫-૨૦૨૬ પછીથી સોલાર પ્રોજેકટો માટે Non-DCR સોલાર પેનલનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવનાર છે અને તા.૦૧-૦૬-૨૦૨૬ થી તમામ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેકટ અને નેટ મીટરીંગ મંજુરીઓ માટે ડોમેસ્ટીક કન્ટેન્ટ રિકવાયરમેન્ટ (DCR) સલોર પેનલનો ઉપયોગ કરવાનું ફરજીયાત કરવામાં આવનાર છે. આ પેનલ્સ ALMM (Approved List of Models and Manufacturers) માંથી પણ મેળવવા આવશ્યક છે. આમ ભારતમાં જ બનેલ DCR સોલાર પેનલનો ઉપયોગ કરવાના આ નિર્ણયને અમો સહર્ષ આવકારીએ છીએ અને દેશની ઉર્જા સુરક્ષા અને સ્થાનીક ઉત્પાદનને પ્રોત્સાહન આપતું પગલુ ગણી શકાય.
આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સમક્ષ તા.૩૧-૦૫-૨૦૨૬ સુધીમાં નવા સોલાર પ્લાન્ટ માટે ૨જીસ્ટ્રેશન કરનાર તમામ અરજદારોને Non-DCR સોલાર પેનલના ઈન્સ્ટોલેશનના લાભો આપવા માટે અને પ્રોજેકટ કમિશનિંગ પુર્ણ કરવા માટે તા.૦૧-૦૬-૨૦૨૬ થી ત્રણ મહિના સુધીની સમય મર્યાદા તાત્કાલીક વધારી આપવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


