By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત

Editor
Last updated: 2026/06/01 at 4:50 PM
3 days ago
Share
ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત
SHARE

એક ક્લિકમાં વસતીનો હિસાબ

ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત

રાજકોટ સહિત રાજ્યભરમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરીનો પ્રારંભ

1 લાખથી વધુ કર્મચારીઓ મેદાનમાં, 3.74 લાખ નાગરિકોએ સ્વ-ગણતરીમાં લીધો ભાગ ; 2027માં થશે જાતિ ગણતરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજથી જનગણના-2027ની ઐતિહાસિક શરૂઆત થઈ છે. દેશમાં આ 16મી અને સ્વતંત્રતા પછીની 8મી જનગણના છે, જે પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2011 પછી 16 વર્ષના અંતરે શરૂ થયેલી આ જનગણના માટે રાજ્યભરમાં વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાના જણાવ્યા મુજબ, જનગણનાનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન, 2026 સુધી ચાલશે. આ તબક્કામાં ગણતરીદારો ઘર-ઘર જઈને આવાસની સ્થિતિ, કુટુંબની રચના, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા, વીજળી, સંચાર સાધનો સહિતની કુલ 33 પ્રકારની વિગતો એકત્રિત કરશે. આ માહિતીના આધારે રાજ્ય અને દેશના વિકાસ માટેની વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવશે.
બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરીની સાથે પ્રથમ વખત જાતિ ગણતરીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં દરેક વ્યક્તિની લોકસાંખ્યિક માહિતી એકત્રિત કરીને રાષ્ટ્રીય સ્તરે વિગતવાર આંકડાકીય ચિત્ર તૈયાર કરવામાં આવશે. આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણતરીદારો માટે એન્ડ્રોઇડ અને iOS આધારિત મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી નોંધવાની સુવિધા ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ ન હોય તેવી સ્થિતિમાં પણ ઓફલાઇન ડેટા સંગ્રહ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રાજ્યમાં 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય નાગરિકો સહિત કુલ 3.74 લાખથી વધુ લોકોએ સ્વ-ગણતરી ફોર્મ ભર્યા છે. જેમાંથી 3.30 લાખથી વધુ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીની અરજીઓ પ્રક્રિયામાં છે.
ગુજરાતમાં આ વિશાળ અભિયાન માટે 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. કામગીરી માટે 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે ત્રણ તબક્કામાં વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી જનગણના અધિનિયમ-1948 અને જનગણના નિયમો-1990 હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કોઈપણ કાનૂની કાર્યવાહી કે કરવેરા સંબંધિત હેતુ માટે કરવામાં આવશે નહીં. દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી કાયદાકીય ફરજ છે અને માહિતી આપવા ઇનકાર કરનાર સામે દંડની જોગવાઈ પણ છે. જનગણના અંગે વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે નાગરિકો ભારત સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 તથા સત્તાવાર વેબસાઇટ censusindia.gov.in. નો સંપર્ક કરી શકે છે.

પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ જનગણના

વર્ષ 2026-27ની જનગણના સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરાઈ રહી છે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા સીધો ડેટા એકત્રિત કરાશે.

33 પ્રશ્નોના જવાબ આપવા પડશે

આવાસ, કુટુંબ, પાણી, શૌચાલય, વીજળી, મિલ્કત અને અન્ય સુવિધાઓ અંગે કુલ 33 પ્રશ્નો પૂછાશે.

2027માં થશે જાતિ ગણતરી

9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરીની સાથે જાતિ ગણતરી પણ હાથ ધરાશે.

3.74 લાખ લોકોએ કરી સ્વ-ગણતરી

ગુજરાતમાં અત્યાર સુધી 3.74 લાખથી વધુ નાગરિકોએ ઓનલાઇન સ્વ-ગણતરી ફોર્મ ભર્યા છે.

રાજ્યપાલથી મુખ્યમંત્રી સુધી સહભાગી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ સ્વ-ગણતરીમાં ભાગ લીધો.

1 લાખથી વધુ કર્મચારીઓ મેદાનમાં

1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરો રાજ્યભરમાં કામગીરી કરી રહ્યા છે.

ગુજરાતી સહિત 16 ભાષાની સુવિધા

જનગણનાની એપ્લિકેશનમાં ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી નોંધાવી શકાય છે.

ઓફલાઇન ડેટા એન્ટ્રીની વ્યવસ્થા

ઇન્ટરનેટ ન હોય તેવા વિસ્તારોમાં પણ ઓફલાઇન માહિતી સંગ્રહ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

માહિતી રહેશે સંપૂર્ણ ગુપ્ત

જનગણનામાં આપેલી વ્યક્તિગત માહિતી કાયદા હેઠળ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે.

મદદ માટે હેલ્પલાઇન 1855

જનગણના સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં બે નવી શાખાનો પ્રારંભ કરતી બેંક ઓફ ઈન્ડિયા
રાજકોટ

જામનગરમાં બે નવી શાખાનો પ્રારંભ કરતી બેંક ઓફ ઈન્ડિયા

Editor By Editor 3 days ago
ધ્રોલમાં વણકર સમાજ દ્વારા સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
મનપાના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?