By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત

Editor
Last updated: 2026/06/09 at 3:39 PM
1 hour ago
Share
રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત
SHARE

રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત

મેટોડાના બે સહિત 30, 43 અને 54 વર્ષના ત્રણ વ્યક્તિઓના મોત; વૃદ્ધા અને મહિલાનું પણ સારવાર દરમિયાન નિધન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હૃદય સંબંધિત તકલીફો તેમજ અચાનક બેભાન થઈ જવાની ઘટનાઓમાં પાંચ લોકોના મોત થતાં પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતકોમાં મેટોડાના 30 વર્ષીય યુવાન અને 54 વર્ષીય પ્રૌઢ ઉપરાંત રાજકોટના 43 વર્ષીય વેપારીનો સમાવેશ થાય છે. જ્યારે એક વૃદ્ધા અને એક મહિલાનું પણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી નજીક અંજલી પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ અમરૂભાઈ રાઠોડ (ઉ.વ. 30) અચાનક ઘરે બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. રાજેશભાઈ પરિવારના બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા અને પાછળ પત્ની તથા બે પુત્રીઓને વિલાપમાં મૂકી ગયા છે.
આ જ વિસ્તારમાં રહેતા મોહનભાઈ વિરજીભાઈ જેઠવા (ઉ.વ. 54) પણ અચાનક બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા.
બીજી તરફ રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને પાનના વેપાર સાથે સંકળાયેલા કલ્પેશભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.વ. 43) વહેલી સવારે ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેમની સ્થિતિ ગંભીર બની હતી અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમને પણ હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો.
અન્ય એક બનાવમાં ઉદ્યોગનગર કોલોની વિસ્તારમાં રહેતા સવિતાબેન શીવાભાઈ ધાણક (ઉ.વ. 75) બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૂળ અમદાવાદના રહેવાસી સવિતાબેન છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
જ્યારે રેલનગર વિસ્તારના શ્રીરામ પાર્કમાં રહેતા લક્ષ્મીદેવી દુદાનાથ રાજભર (ઉ.વ. 56) પણ ઘરે બેભાન થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું પણ અવસાન થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમ છતાં મૃત્યુનું સાચું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
આ તમામ બનાવોની જાણ થતાં સંબંધિત પોલીસ મથકો દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સતત સામે આવી રહેલી હાર્ટ એટેક અને અચાનક મોતની ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ
રાજકોટ

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

Editor By Editor 1 hour ago
શહેરને હરિયાળુ અને સ્વચ્છ રાખવા નગરસેવકોને માર્ગદર્શન અપાયું
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
સૌ.યુનિ. કર્મચારી મંડળ દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું બહુમાન
“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?