જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ
સિહોરના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મંજુલા સરોવર’નું ભવ્ય લોકાર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સમાજસેવી અનુભાઈ તેજાણીના સૌજન્યથી નિર્માણ પામેલ ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ તથા જલ વધામણા કાર્યક્રમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને ઊર્જા તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, “જળસંચયને જન આંદોલન બનાવીને આપણે પાણીદાર ભારતનું નિર્માણ કરવાનું છે. દરેક ઘર પોતાના ઘરના વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો સંકલ્પ કરે, તે જ ભાવિ પેઢી માટેનું સાચું રોકાણ છે.” તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જળસંચયથી જન ભાગીદારી અને જન ભાગીદારીથી જન આંદોલન’નો મંત્ર આપ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજના સેવાભાવી આગેવાનોના આ જળસંચયના પ્રયાસો સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને મહિલાઓને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, કિચન ગાર્ડન બનાવવા અને વૃક્ષારોપણ કરવા અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, આવતી પેઢીને સંપત્તિ કરતાં વધુ પાણીનો વારસો આપવો એ જ આજની સૌથી મોટી જવાબદારી છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ જળ જીવન મિશનની સફળતાના આંકડા આપતા જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૬ કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ મહાઅભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૮ સુધીમાં બાકી રહેલા અન્ય ૩ કરોડ ઘરોને પણ નળથી જળ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ વાઘેલા, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઈ ડાંગર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી રઘુભાઈ હુમલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વહીવટી તંત્રમાંથી મામલતદાર એચ. વી. જાંબુચા અને તાલુકા વિકાસ અધિકારી (TDO) એમ. વી. રાવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બુઢણા ગામમાં જળ સંચયનું કામ કરનાર કર્મયોગી એવા અનુભાઈ તેજાણી, મંજુલાબેન અનુભાઈ તેજાણી, નેમુભાઈ બેલડીયા, નેમુભાઈ ધામેલિયા, વિનુભાઈ સુતરીયા,અનીલભાઈ વઘાસીયા, બેચરભાઈ તેજાણી, સરપંચ ધીરુભાઈ પરમાર, ભગવાનભાઈ ડોંડા, બાબુભાઈ મુંજપરા, જીતુભાઈ તેજાણી, બાલાભાઈ સવાણી, જીવરાજભાઈ તેજાણી, ધીરૂભાઈ તેજાણી, વિજયભાઈ ધામેલીયા, કિશોરભાઈ બેલડીયા, તુલસીભાઈ સવાણી અને આજુબાજુ ગામના સરપંચશ્રી પણ હાજર રહ્યા હગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી, મનોજભાઈ હાપાણી, જયસુખભાઈ કેશવાળા, નીરજભાઈ રામાણી, કૌશિકભાઈ સરધારા, સુરેશભાઈ દેસાઈ, કિશોરભાઈ કાથરોટિયા, અશ્વિનભાઈ ચોહાણ, મનીષભાઈ માયાણી, પારસભાઈ ચૌહાણ, રમેશભાઈ જેતાણી, અશોકભાઈ મોલિયા વગેરે લોકો હાજર રહયા હતા.


