By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો

Editor
Last updated: 2026/07/23 at 3:46 PM
6 days ago
Share
મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો
SHARE

કોપર વાયરની ચોરીનો આરોપ જીવલેણ બન્યો

મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો

ફેક્ટરી માલિકના પુત્ર, મેનેજર સહિત 9 સામે હત્યાનો ગુનો; મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદ પરથી તમામની અટકાયત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર નજીક કુવાડવા રોડ વિસ્તારના મઘરવાડા ગામે આવેલી એક ખાનગી એલોય ફેક્ટરીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ફેક્ટરીમાંથી કોપર વાયર ચોરી કરવાનો આરોપ મૂકીને ઉત્તર પ્રદેશના 40 વર્ષીય મજૂરને ખાટલા પર ઉંધો સુવડાવી દોરી વડે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ માલિકના પુત્ર, મેનેજર અને અન્ય કર્મચારીઓએ પ્લાસ્ટિકની નળી તેમજ મશીનના પટ્ટા વડે લગભગ એક કલાક સુધી વારાફરતી માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. કુવાડવા રોડ પોલીસે મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદના આધારે ફેક્ટરી માલિકના પુત્ર સાહિલ ભાવેશભાઈ લીંબાસીયા, મેનેજર શની રૈયાણી સહિત કુલ નવ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તમામને અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૃતક ચંદ્રવીર ભગવતીભાઈ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લાના રહેવાસી હતા અને છેલ્લા બે મહિનાથી મઘરવાડાની કાવ્યા એલોય પ્રા. લિ.માં મજૂરી કરતા હતા. તેમના કુટુંબી ભાઈ સર્વેશ ચૌહાણ પણ એ જ ફેક્ટરીમાં કામ કરે છે.
સર્વેશના જણાવ્યા પ્રમાણે 21 જુલાઈની રાત્રે ચંદ્રવીરે રાજકોટ જવાનું કહી રહેવાની ઓરડી છોડી હતી. મોડી રાત્રે ફેક્ટરીમાંથી આશરે 25 કિલો જેટલો કોપર વાયર પ્લાસ્ટિકના કોથળામાં ભરી લઈ જતો હતો ત્યારે મેનેજર અને અન્ય લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને પરત ફેક્ટરીમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે સર્વેશ કામ પર પહોંચ્યો ત્યારે ફેક્ટરીના ગેટ પાસે ચંદ્રવીરને ખાટલા પર ઉંધો સુવડાવી દોરીથી બાંધેલો જોયો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓ વારંવાર પૂછતા હતા કે ચોરીમાં તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે. જવાબ ન મળતાં પ્લાસ્ટિકની નળી અને મશીનના પટ્ટાથી સતત માર મારવામાં આવતો હતો. સર્વેશે પોતે પણ આરોપીઓને વિનંતી કરી હતી કે હવે માર બંધ કરો, નહીં તો ચંદ્રવીર જીવતો નહીં રહે. પરંતુ ફરિયાદ અનુસાર માલિકના પુત્ર સાહિલે “આજે તો તેને ચોરીની સજા આપવાની જ છે” તેમ કહી મારકૂટ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મારકૂટ બાદ ચંદ્રવીર બેભાન થઈ ગયો હતો.
મારકૂટ બાદ આરોપીઓએ ચંદ્રવીરને રહેવાની ઓરડીમાં સુવડાવી દીધો હતો. થોડા સમય પછી સર્વેશને તેને પાણી પીવડાવવા મોકલવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા ચંદ્રવીર બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેને બોલાવવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ ફેક્ટરી સંચાલકોને જાણ કરવામાં આવી અને અંતે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, તબીબોએ તપાસ બાદ ચંદ્રવીરને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં કુવાડવા રોડ પોલીસે સર્વેશ ચૌહાણની ફરિયાદના આધારે સાહિલ ભાવેશભાઈ લીંબાસીયા, મેનેજર શની રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિદ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર અને મુન્ના વર્મા સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસે તમામ આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. ઘટનાના ચોક્કસ કારણો, મારકૂટમાં કોની કેટલી ભૂમિકા હતી અને ચોરીના આરોપ બાદ કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે જાતે જ સજા આપવાનો નિર્ણય કેમ લેવાયો, તે સહિતના તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ચોરીના આરોપની સત્યતા તપાસવી અને કાયદાકીય પ્રક્રિયા અનુસરવાને બદલે આરોપીઓએ જાતે જ પૂછપરછ અને સજા આપવાનો માર્ગ અપનાવ્યો હતો. આ ગેરકાયદેસર વર્તન આખરે એક મજૂરના મોતમાં પરિણમ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસના તમામ પાસાઓની વૈજ્ઞાનિક અને કાયદેસરની રીતે તપાસ કરવામાં આવી રહી છે, હાલ ડીસીપી હેતલ પટેલ એસીપી જાધવની રાહબરીમાં પીઆઇ એ. એન. જાની, રાઇટર અજીતભાઈ લોખીલ, હિતેષભાઇ માલકીયા સહિતે ગુનો નોંધી ડી. સ્ટાફની મદદથી તમામ આરોપીઓને પુછતાછ માટે અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યાત્રાધામ વીરપુરમાં કાર તણાયાની ઘટનાના ૨૬ કલાક બાદ ૭૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો
ગુજરાત

યાત્રાધામ વીરપુરમાં કાર તણાયાની ઘટનાના ૨૬ કલાક બાદ ૭૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

Editor By Editor 4 days ago
જેતપુરમાં પાલિકા તંત્ર સામે સુવિધાઓથી વંચિત આંબેડકરનગરના રહીશોનો હોબાળો
દીવના સાઉદવાડીમાં સર્પદંશથી યુવાનનું કરૂણ મોત
યાત્રાધામ વીરપુરમાં વરસાદ વચ્ચે નેશનલ હાઇવે પર ખાડામાં ટ્રક ફસાતાં સર્જાયો લાંબો ટ્રાફિકજામ
રાજકોટમાંથી પસાર થતી ત્રણ ટ્રેનો આજે પણ રદ્દ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?