ઉપલેટાના વડાળી ગામની પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
નિયામક આયુષની કચેરી, ગાંધીનગર ના આદેશ અનુસાર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ ના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ ને શુક્રવારે પ્રાથમિક શાળા વડાળી ખાતે હાલ માં ચાલી રહેલા ચોમાસાના ની ઋતુ માં વકરેલા રોગચાળા ને કાબૂમાં લેવા અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અમૃત પેય ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું અને દવાખાનાના ડો. સમીર ગઢિયા દ્વારા આયુર્વેદિક ઋતુચર્યા મુજબ ખોરાક અને જીવનશૈલી નું માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમ માં પૂરતો સાથ સહકાર મળેલ છે. આ કેમ્પ માં શાળા ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ મળી કુલ ૧૩૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.


