By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

Editor
Last updated: 2026/08/08 at 5:26 PM
42 minutes ago
Share
લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
SHARE

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

મનહરલાલ સાતાને એક માસની સજા સાથે રૂા.1.50 લાખનો દંડ, દંડ નહીં ભરે તો વધુ બે માસની કેદનો હુકમ

અગ્ર ગુજરાત, રાજકોટ

ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે રાજકોટની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દાખલ થયેલા કેસમાં શહેરના જાણીતા મસાલા વેપારી મનહરલાલ ડાયાલાલ સાતાને અદાલતે તકસીરવાન ઠેરવી સજા તથા કુલ રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો અલગ-અલગ દંડ પેટે વધુ કુલ બે માસની કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા 18 એપ્રિલ 2017ના રોજ નિયમિત તપાસના ભાગરૂપે 80 ફુટ રોડ પર આઈ.ઓ.સી. પેટ્રોલપંપની પાછળ આવેલા સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં મનહરલાલ ડાયાલાલ સાતા દ્વારા મસાલાનું વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન લાલ મરચાના પાવડરની ગુણવત્તા અંગે શંકા ઉપજી હતી. પરિણામે નિયમ મુજબ પંચોની હાજરીમાં તથા વેપારીની હાજરીમાં લાલ મરચાના પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
નમૂનો તપાસ માટે વડોદરા સ્થિત ફુડ એનાલિસિસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના પૃથક્કરણમાં લાલ મરચાના પાવડરમાં સામાન્ય રીતે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ માટે મંજૂર ન હોય તેવા ઘટકો મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટમાં નોન-પરમિટેડ ઓઈલ ઉપરાંત સોલ્યુબલ પિંક અને ઓરેન્જ કલર તથા કોલટર ડાઈ જેવા પદાર્થોની હાજરી નોંધાઈ હતી. એટલે કે મરચાના પાવડરને વધુ આકર્ષક દેખાડવા માટે પ્રતિબંધિત રંગો સહિતના પદાર્થો ભેળવવામાં આવ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.
લેબોરેટરીના આ રિપોર્ટના આધારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ મનહરલાલ સાતા સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીને નમૂનાનું પુનઃપૃથક્કરણ કરાવવા માટે રેફરલ ફુડ લેબોરેટરીમાં મોકલવાની કાયદેસરની તક પણ આપવામાં આવી હતી, પરંતુ આરોપી દ્વારા નમૂનો રેફરલ લેબોરેટરીમાં મોકલવાની ઇચ્છા દર્શાવવામાં આવી નહોતી.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે આરોપ સામેના પુરાવા તરીકે કુલ 23 જેટલા મહત્વના દસ્તાવેજો રજૂ કર્યા હતા. નમૂનો લેવાની કાર્યવાહી વખતે હાજર રહેલા પંચની પણ અદાલતમાં સાક્ષી તરીકે તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ આરોપી પક્ષ દ્વારા ફરિયાદી ફુડ સેફટી ઓફિસરની નિમણૂકને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેઓ સરકાર દ્વારા નોટિફાઈડ ફુડ સેફટી ઓફિસર ન હોવાનો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે ફરિયાદી પક્ષ તરફથી નોટિફિકેશન અને ફુડ સેફટી ઓફિસરની કાયદેસરની નિમણૂક અંગે વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો તથા રજૂ થયેલા દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓનું અવલોકન કર્યા બાદ ફરિયાદી ફુડ સેફટી ઓફિસરની નિમણૂક કાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.
કોર્ટ સમક્ષ ફરિયાદી પક્ષે એવી દલીલ પણ કરી હતી કે આરોપીએ આર્થિક લાભ મેળવવાના હેતુથી જાણપૂર્વક પ્રતિબંધિત પદાર્થો મરચાના પાવડરમાં ભેળવી તેનું વેચાણ કર્યું હતું. ખાદ્ય પદાર્થમાં પ્રતિબંધિત રંગ અને અન્ય પદાર્થોનો ઉપયોગ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર બાબત હોવાનું પણ અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.
કેસની સમગ્ર હકીકત, લેબોરેટરી રિપોર્ટ, સાક્ષીઓ, દસ્તાવેજો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લીધા બાદ અદાલતે મનહરલાલ ડાયાલાલ સાતાને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 59(1) સહિતની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે એક માસની સજા સાથે અલગ-અલગ કલમો હેઠળ કુલ રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ન ભરવામાં આવે તો દરેક દંડ પેટે વધુ એક માસની સજા એટલે કે કુલ બે માસની વધારાની કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહે અસરકારક રજૂઆતો કરી હતી. લાંબા સમયથી ચાલેલા આ કેસમાં અંતે અદાલતે ભેળસેળ કરનાર વેપારી સામે કડક ચુકાદો આપતા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મિલાવટખોરો માટે કડક સંદેશ
લાલ મરચાના પાવડરમાં પ્રતિબંધિત રંગો અને અન્ય પદાર્થોની ભેળસેળનો આ કેસ માત્ર એક વેપારીને થયેલી સજા પૂરતો સીમિત નથી. અદાલતના આ ચુકાદાથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓને કાયદો છોડશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ ગયો છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે લેવામાં આવતા નમૂનાઓ અને તેના આધારે થતી કાયદેસરની કાર્યવાહીનું મહત્વ પણ આ ચુકાદાથી વધુ સ્પષ્ટ બન્યું છે.આ કામે રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી
ગોંડલ

ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી

Editor By Editor 3 hours ago
ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર
શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
લગ્નની જીદથી કંટાળેલા 25 વર્ષીય પ્રેમીએ 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી મોતને ઘાટ ઉતારી
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?