By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે

Editor
Last updated: 2026/08/10 at 3:43 PM
2 hours ago
Share
આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે
SHARE

આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે

માનવ પર હુમલો કરનારા 30 જેટલા સિંહોને સક્કરબાગમાંથી ખસેડી ફરી શિકાર અને કુદરતી જીવનની ટેવ પાડવાનો વનવિભાગનો વ્યૂહ

અગ્ર ગુજરાત, રાજકોટ

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની શાન સમાન એશિયાટિક સિંહોને લઈને વનવિભાગે મહત્વની યોજના ઘડી છે. ગીર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સિંહોની સંખ્યા અને વસવાટનો વિસ્તાર સતત વધતા માનવ-સિંહ સંઘર્ષના બનાવો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા અને માનવી પર હુમલો કરી ચૂકેલા સિંહોને હવે સામાન્ય જંગલમાં પરત મૂકવાને બદલે તેમના કુદરતી વર્તનને પુનઃ વિકસાવવાનો પ્રયાસ હાથ ધરાશે.
માનવ પર હુમલામાં સંડોવાયેલા સિંહોને હાલ જૂનાગઢના સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. એકલા જૂન મહિનામાં જ રેવન્યુ વિસ્તારમાંથી પકડાયેલા અને માનવ પર હુમલો કર્યાની ઘટનાઓ સાથે સંકળાયેલા આશરે 30 સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, લાંબા સમય સુધી તેમને કેદમાં રાખવાથી તેમની કુદરતી શિકાર કરવાની અને જંગલમાં સ્વતંત્ર રીતે રહેવાની ટેવ ઉપર અસર થઈ શકે છે. આથી હવે તેમને ફરી કુદરતી વાતાવરણમાં ઢાળવાનો મહત્વાકાંક્ષી પ્રયોગ હાથ ધરાશે.
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તથા ફોરેસ્ટ ફોર્સના વડા ડો. જયપાલસિંહના જણાવ્યા મુજબ ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કના ગીર પ્રોટેક્ટેડ એરિયામાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારમાં એવી સુરક્ષિત વાડ અને દિવાલ ઊભી કરાશે કે સિંહો તેની બહાર નીકળી ન શકે અને બહારથી કોઈ વ્યક્તિ પણ અંદર પ્રવેશી ન શકે.
આ ખાસ એન્ક્લોઝરમાં સિંહોને શક્ય તેટલું જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. સિંહોને તૈયાર ખોરાક આપવાને બદલે તેમની કુદરતી શિકાર કરવાની વૃત્તિ જળવાઈ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે. સિંહો મુક્ત રીતે હરીફરી શકે અને પોતાની કુદરતી આદતો ફરી કેળવી શકે તેવો માહોલ ઊભો કરવાનો વનવિભાગનો પ્રયાસ છે. આ એન્ક્લોઝરમાં એક સાથે ઓછામાં ઓછા 30 સિંહોને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવાની યોજના છે.
આંબરડી સફારી પાર્ક અગાઉથી જ વિશાળ કુદરતી પરિસર ધરાવે છે. આશરે 365 હેક્ટરમાં 2017માં વિકસાવવામાં આવેલા આ પાર્કમાં સિંહો ઉપરાંત દીપડા, ચીતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો અને પક્ષીઓનો વસવાટ છે. આ કુદરતી પરિસરનો લાભ લઈ માનવ પર હુમલો કરી ચૂકેલા સિંહોને ફરી જંગલી જીવનની ટેવ પાડવાનો પ્રયાસ હવે સિંહ સંરક્ષણની દિશામાં મહત્વનું પગલું બની શકે છે.
વનવિભાગ દ્વારા આ અંગે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે અને હવે એન્ક્લોઝરની કામગીરી આગળ વધારવામાં આવશે. એક તરફ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાનો અને બીજી તરફ સિંહોની કુદરતી વૃત્તિ જાળવી રાખવાનો આ પ્રયોગ ગુજરાતના સિંહ સંરક્ષણમાં નવી દિશા ઉભી કરી શકે છે.

કેદ નહીં, કુદરતી જીવનની તાલીમ

માનવ પર હુમલો કરનારા સિંહોને સક્કરબાગમાં લાંબા સમય સુધી રાખવાને બદલે હવે વિશાળ કુદરતી એન્ક્લોઝરમાં રાખવાની યોજના છે. અહીં સિંહોને મુક્ત રીતે હરીફરવાની અને કુદરતી રીતે શિકાર કરવાની તક આપવામાં આવશે, જેથી તેમની જંગલી જીવનશૈલી પુનઃ વિકસે.

એકસાથે 30 સિંહો રહી શકશે

આંબરડીમાં તૈયાર થનારા 100 હેક્ટરના વિશેષ એન્ક્લોઝરમાં ઓછામાં ઓછા 30 સિંહો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સુરક્ષિત વાડ અને દિવાલના કારણે સિંહો બહાર નીકળી ન શકે તથા માનવીનો સીધો સંપર્ક પણ ન થાય તેવું આયોજન કરાશે.

365 હેક્ટરમાં ફેલાયેલું સફારી પાર્ક

આંબરડી સફારી પાર્કનું નિર્માણ 2017માં આશરે 365 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં સિંહો ઉપરાંત દીપડા, ચીતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો વસવાટ કરે છે. કુદરતી વાતાવરણ માનવભક્ષી બની ગયેલા સિંહોને પુનઃ જંગલી જીવન તરફ વાળવામાં મદદરૂપ બનશે.

માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાનો પ્રયાસ

ગીર અને સૌરાષ્ટ્રના રેવન્યુ વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતાં માનવ-સિંહ સંઘર્ષના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. માનવી પર હુમલો કરી ચૂકેલા સિંહો માટે અલગ અને સુરક્ષિત કુદરતી એન્ક્લોઝર ઊભું કરવાની યોજના સંઘર્ષ ઘટાડવા સાથે સિંહોની કુદરતી વૃત્તિ જાળવવાનો પ્રયાસ છે.

You Might Also Like

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ
ગીર સોમનાથગુજરાત

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

Editor By Editor 1 hour ago
લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા
વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય
સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!
વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?