- મણિનગરમાં AQI 163, ગ્યાસપુરમાં AQI 150 પહોંચ્યો
- શહેરમાં દિવાળી બાદ પ્રદૂષણનું પ્રમાણ થોડુ ઘટયું
- ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા
અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં શહેરના મણિનગરમાં સૌથી વધારે પ્રદૂષણ છે. ત્યારે મણિનગરમાં AQI 163, ગ્યાસપુરમાં AQI 150 સાથે નવરંગપુરામાં AQI 133, રખિયાલમાં AQI 136 પહોંચ્યો છે.
શહેરમાં દિવાળી બાદ પ્રદૂષણનું પ્રમાણ થોડુ ઘટયું
શહેરમાં દિવાળી બાદ પ્રદૂષણનું પ્રમાણ ઘટયું છે. ત્યારે શહેરના મણિનગરમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા અશુદ્ધ હોવાનું સત્તાવાર આંકડા પરથી ચિત્ર ઊભું થયું છે. એક બાજુ ફેક્ટરીઓના કેમિકલ- ધુમાડાથી હવા અશુદ્ધ બની રહી છે. તેવામાં હવે ફટાકડા કારણે વાયુ પોલ્યુશન વધતા ચિંતા બેવડાઈ છે. દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે, ઝેરી વાયુ, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ હાલ વધી ગયું છે. અમદાવાદમાં મોટા ભાગમાં હવાની માત્રા હાનિકારક છે. પીરાણા જેવા વિસ્તાર ડેન્ઝર ઝોનની નજીક સરકી રહ્યા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા
દિવાળી પર્વના પાંચ દિવસમાં અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ 12 નવેમ્બર દિવાળી દરમિયાન 136 જેટલા આગ લાગવાના બનાવ બન્યા છે. તેમાં પણ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કોલ મળ્યાનું સામે આવ્યું છે. તે પછી મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને બાદમાં ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ નવરંગપુરા, થલતેજ, પ્રહલાદ નગર, મણીનગર અને નિકોલ ફાયર સ્ટેશનને કોલ એટેન્ડ કર્યા.
સૌથી વધુ કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા
સૌથી વધુ કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમા આગ લાગવાના બન્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે દિવાળી દરમિયાન 30થી વધારે અધિકારી અને 350 જેટલા કર્મચારીઓએ 100થી વધુ વાહનો સાથે કામગીરી કરી મોટી દુર્ઘટના થતા ટાળી હતી.


