By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    3 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ કપની મેચોનો તમાશો સફળ થયો કહેવાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

વર્લ્ડ કપની મેચોનો તમાશો સફળ થયો કહેવાય

agragujaratnews
Last updated: 2023/11/20 at 11:13 AM
2 years ago
Share
વર્લ્ડ કપની મેચોનો તમાશો સફળ થયો કહેવાય
SHARE

ક્રિકેટ વર્લ્ડ કપ અને તેની ફાઈનલ મેચ માટેના જે હેતુઓ આમ લાગતા હતા તે સફળ થઈ ગયા એમ કહેવાય એટલે વર્લ્ડ કપ ના મળ્યાનો આમ કંઈ અફસોસ કરવા જેવો નથી

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન થયું ત્યારે કેટલીક ગણતરીઓ હતી તે પાર પડી છે અને સમગ્ર રીતે વર્લ્ડ કપ સફળ રહ્યો છે. તેમાં ફાઇનલ જીતી ગયા હોત અને વર્લ્ડ કપ પણ મળ્યો હોત તો તે સોનામાં સુગંધ ભળી ગણાય હોય. એટલે સમગ્ર રીતે ભારત માટે 2023 વર્લ્ડ કપ સફળ કહેવાય અને કપ ના મળ્યો તેમાં કંઈ બહુ મોટો અફસોસ કરવા જેવું લાગતું નથી.
દાખલા તરીકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવવાનું હતું અને તે બહુ સારી રીતે હરાવી દેવાયું. એટલે ટુ થર્ડ કામ તો ત્યારે જ થઈ ગયું હતું. ફાઈનલ મેચ વખતે એ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયામાં જીતી ગયા હોત તો ખૂબ સારું થાત, પણ સામે ઓસ્ટ્રેલિયા હતું એટલે તેને હરાવીને પછી મનાવી મનાવીને કેટલી ખુશી મનાવી શકાય? ખુશી તો થાય, પણ પેલી પાકિસ્તાનને પરેશાન કરવાની મજા જ કંઈ ઓર છે. દાખલા તરીકે એશિયા કપનું આયોજન થયું ત્યારે યજમાન તો પાકિસ્તાન હતું. પણ પાકિસ્તાનમાં મેચો રમી શકાય તેવું નથી. ત્રાસવાદી દેશોમાં કોઈની સલામતી નથી તે જગત સામે સાબિત કરી શકાયું છે. બીજા દેશના ક્રિકેટરો પણ ત્યાં રમવા જવા તૈયાર નહોતા. બીજું ભારતમાં કાયદાનું શાસન ચાલે છે અને અહીં પોલીસ પ્રોફેશનલ છે. અહીં લાખોની મેદની વચ્ચે પણ સલામતી સાથે ક્રિકેટ રમી શકાય છે. ભારતની ટીમ હારી જાય તે પછીય ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ખુશી મનાવી શકે છે અને ભારતના સવા લાખ ક્રિકેટ ચાહકો જે શિસ્ત દાખવે છે તે વિશ્વની સૌથી સશક્ત લોકશાહીને શોભે તેવું છે. એટલે કટાક્ષમાં નહીં પણ સાચા અર્થમાં ભારતે વર્લ્ડ લેવલની ટુર્નામેન્ટનું સારામાં સારી આયોજન કરી બતાવ્યું અને વધુ એક વાર સાબિત કરી આપ્યું.
કટાક્ષ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઘૂંટણીયે પાડી દેવાયું, તેમને અમદાવાદમાં જ નક્કી તારીખે મેચ રમવા મજબૂર કર્યાનું, નક્કી કરેલા શહેરોમાં જ ચૂપચાપ તેમને રમતા રહેવા માટે મજબૂર કરવા માટેનો જે તમાશો કરાવાનો હતો તે પણ થઈ ગયો. એટલે આયોજન સફળ થયું જ કહેવાય. બીજું જે હિસાબ થયો છે તે પણ ધંધાની રીતે સફળ જ છે. કુલ 22,000 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટ બોર્ડે રળી લીધા છે. 12,000 કરોડ રૂપિયા તો માત્ર ટીવી પ્રસારણના હકમાંથી જ મળ્યા છે. આ સીધી કમાણી છે અને પોતપોતાની રીતે સોશ્યલ મીડિયામાં અનેક લોકોએ પોતાની રીતે કમાણી કરી એ ભારતીય નાગરિકોની સ્વતંત્ર કમાણી થઈ. એક ફોટો પણ બીજું કોઈ દેખાડી ના શકે એટલી ચૂસ્ત તકેદારી સાથે રાઇટ્સ લેવાયા હોય છે અને એટલે જ 12,000 કરોડ રૂપિયા આપ્યા હોય. પણ ભારતીયો અને આપણા ગુજરાતીઓ અદ્દલ વેપારીઓ છે અને રસ્તા કાઢી લે. સટ્ટા અને બેટિંગ સહિત કેટલા હજાર કરોડ રૂપિયા કમાઈ લીધા એ જુદા. વર્લ્ડ કપ લાવીને શું કરવાનું – ખણખણિયા આવવા જોઈએ અને તે આવ્યા. મોટા સ્ક્રીન ગોઠવીને મેચો જોવા માટે મેળાવડા કરવાના, હોટેલમાં વ્યવસ્થાઓ કરવાની તે બધાને કારણે 5000 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. વિદેશમાં વર્લ્ડ કપ રમાતો હોય ત્યારે પણ આ બધી કમાણી થતી હોય છે, પણ ઘરઆંગણે રમાતો હોય ત્યારે ઉત્સાહ વધારે હોય છે. બીજું કે અમદાવાદમાં મેચ હોય ત્યારે અમદાવાદને અલગથી કમાણી થાય છે. ટિકિટના વેચાણમાંથી 2000 કરોડ જેટલી આવક થઈ હશે.
બીજું વ્યક્તિગત સિદ્ધિઓની તો વાત જ ના કરો. વિરાટ કોહલીએ બ્રાન્ડ વેલ્યૂ વધારી જ લીધી. ફાઇનલ મેચની કોઈને પડી નહોતી, પરંતુ કોલકાતામાં જન્મદિને વિરાટ કોહલી રમે ત્યારે તેની 50મી સદી થઈ જવી જોઈએ તે માટે સુનીલ ગાવસ્કર પણ થનગનતો હતો. ગાવસ્કર ક્રિકેટની કમાણીનો અસલી ખેલાડી છે અને આજેય રમી રહ્યો છે. તેની સામે જુઓ કપિલ દેવ એક ટીવી સ્ટુડિયોમાં બેઠો હતો. (કપિલ દેવે પણ બહુ ધંધા કરી લીધા છે, પણ ઠીક હવે…) કપિલ દેવને પૂછ્યું કે કેમ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ નથી ગયા, ત્યારે કપિલ દેવે કહ્યું કે તમે મને બોલાવ્યો એટલે અહીં બેઠો છું. એ લોકોએ મને બોલાવ્યો નહોતો એટલે ના ગયો. એઝ સિમ્પલ એઝ ધેટ.
આવડો મોટો પ્રસંગ હોય, આટલી દોડધામ હોય, કેટલા વાના કરવાના હોય ત્યારે કેટલુંક ભૂલાઈ જાય એવું પણ કપિલ દેવે ઉમેર્યું અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ બધા નિતનવા વાના આપણે જોયા એટલે તેમની વાત સાચી પણ લાગી. કેટલું બધું આયોજન કરવાનું હતું અમદાવાદની મેચનું … વિમાનો ઉડાડવાના હતા વગેરે એટલે કપિલ દેવ કે અગાઉ વર્લ્ડ કપ લાવી શકનારાને બોલાવાનું ભૂલાઈ ગયું હોય તે સહજ છે. તેમાં કટાક્ષ નથી. કટાક્ષ એ છે કે ફાઇનલના દિવસે મેચ જીતવા માટે શું પ્રોટોકોલ પાળવાનો છે તે પળોજણ કરવાને બદલે ખેલાડીઓ કપિલ દેવ અને ધોની સાથે વાતચીતમાં મગ્ન રહી શક્યા હોત. પણ તમાશા કરવાના હોય ત્યાં નિરસ વાતોનો કોઈ અર્થ નથી હોતો, બહુ બધા વીવીઆઈપી પ્રોટોકોલ પાળવાના હોય એટલે પછી શું થાય…
તમે જુઓ પીચ જોવા માટે, મેદાનની સ્થિતિ જોવા માટે ભારતનો કેપ્ટન રોહિત શર્મા પણ આગલા દિવસે સ્ટેડિયમ પર ગયો હતો. પીચ વિશેનો કેટલોક ગણગણાટ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે પણ કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કોચને અમદાવાદની પીચ વિશે પત્રકારોએ પ્રશ્નો પણ પૂછ્યા હતા અને રાહુલ દ્રવિડે કહ્યું હતું ના ઝાળકની એવી કોઈ સમસ્યા નથી. પછી એવુંય કહ્યું કે આ પીચ પર 30થી 40 રન વધારે જરૂર હતી. બીજી બધી ગણતરીઓ આ ટુર્નામેન્ટમાં પાકી થઈ હતી એટલે કોચનું આ ગણિત કેટલું કાચું હતું તેની ચર્ચાનો કોઈ અર્થ ના રહ્યો. ઓસ્ટ્રેલિયા પાસે 42 દડા વધ્યા હતા એટલે બીજા 40 રન કરીને પણ શું થયું હોત? બીજું પીચના જવાબો પત્રકારોને આપીને કામ પૂરું થઈ ગયું, જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આ પીચમાં શું કરી શકાય તેનું પ્લાનિંગ કરી નાખ્યું. એટલે ઓસ્ટ્રેલિયાને તેમનું પ્લાનિંગ ફળ્યું, જ્યારે ભારતે સમગ્ર રીતે જે આયોજન કર્યું હતું તે પાર પડ્યું એટલે તે ફળ્યું. ફાઇનલ જીતવા માટેનું પ્લાનિંગ કદાચ નહોતું થયું, કેમ કે વિમાનો ઉડાડવા સહિતનું લાંબુલચક આયોજન વધારે મહત્ત્વનું હતું અને તે સફળ રહ્યું. કમાણી અને તમાશા માટેનું સમગ્ર પ્લાનિંગ સફળ થયું છે એટલે ફાઇનલ મેચમાં ના જીત્યા એ કંઈ અફસોસની વાત નથી.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
સ્પોર્ટ્સ

જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!

By 2 days ago
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?