By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    20 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ડો.વણઝારા મહિલા દર્દીના ઓપરેશન વખતે લગાવેલી પીન કાઢવાનું જ ભૂલી ગયાનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી ન્યૂઝ

ડો.વણઝારા મહિલા દર્દીના ઓપરેશન વખતે લગાવેલી પીન કાઢવાનું જ ભૂલી ગયાનો આક્ષેપ

agragujaratnews
Last updated: 2023/11/22 at 5:45 PM
2 years ago
Share
ડો.વણઝારા મહિલા દર્દીના ઓપરેશન વખતે લગાવેલી પીન કાઢવાનું જ ભૂલી ગયાનો આક્ષેપ
SHARE

પ૭ વર્ષના મહિલા દર્દી બે વર્ષ સુધી પીડા સહન કરતા રહ્યાં ડોકટરે કહ્યું કંઇ નથી સારું થઇ જશે : અંતે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા બ્રેસ્ટમાંથી પીન નીકળી

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ડો.પ્રશાંત વણઝારા પાસે ઓપરેશન કરાવનાર એક મહિલાને ઓપરેશન દરમિયાન બ્રેસ્ટમાં પીન રહી જતાં તેની પીડા બે વર્ષ સહન કરી હતી. આ પીડા અંગે અનેક વખત દર્દીએ ડો.પ્રશાંત વણઝારાનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડોકટરે બેદરકારી દાખવી યોગ્ય નિદાન કર્યુ ન હતું. પરંતુ અન્ય હોસ્પિટલમાં દર્દીએ તપાસ કરાવતા બ્રેસ્ટમાં પીન હોવાનું માલુમ થયું હતું અને બાદમાં પીન કાઢવામાં આવી હોવાનો દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ અંગે તેમના પુત્ર દ્વારા જણાવાયા મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અનિલાબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૭)ને બ્રેસ્ટ કેન્સર હોવાનું બે વર્ષ પૂર્વે નિદાન થતાં પુત્ર સંદીપ ત્રિવેદી ૧૫૦ ફૂટ રીંગ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતાને લઇ ગયો હતો અને ત્યાં ઓપરેશન કરવાનું નક્કી થયું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતાં ડો.પ્રશાંત વણઝારા અને તેની ટીમે ઓપરેશન કર્યુ હતું. થોડા દિવસો હોસ્પિટલમાં રાખ્યા બાદ પ્રૌઢાને રજા આપી દેવામાં આવી હતી અને રેડિએશનનો તબક્કો પણ પૂરો કરી દેવાયો હતો. ઓપરેશન રેડિએશન બાદ દવા ચાલુ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા દવા પૂરી થતાં અનિલાબેન અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને જયાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તબીબનો સંપર્ક કરતા તબીબે એક પાઉડર લખી આપ્યો હતો અને તેનો છંટકાવ કરવાનું કહ્યું હતું. ત્રિવેદી પરિવારની મહિલા સભ્યએ અનિલાબેનને પાઉડર લગાવવાનું શરૂ કર્યુ હતું. તો તેમના બ્રેસ્ટ પર પીન દેખાઇ હતી. આ દ્રશ્ય જોઇ ત્રિવેદી પરિવાર થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયો હતો અને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં તબીબ પાસે અનિલાબેનને લઇ જવાતા ડો.પ્રશાંત વણઝારાની લાપરવાહીનો ભાંડો ફૂટી ગયો હતો.
અનિલાબેનના પુત્ર સંદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન વખતે સ્કિન કલોઝિંગ માટે સર્જિકલ સ્ટેપ્લર પીનનો ઉપયોગ ડોકટર વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર્દીની સ્થિતિ મુજબ ૧૦, ૧૫ કે ૨૦ દિવસ બાદ એ પીન દૂર કરવાની હોય છે. પરંતુ એટલુ જ નહી રેડીએશન આપનાર ટીમના પણ ધ્યાને નહી આવતા પ્રૌઢાની હાલત કફોડી બની હતી. ડો.પ્રશાંત વણઝારાએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અનિલાબેનનું ઓપરેશન કર્યુ હતું. હાલમાં ડો.વણઝારા વોકહાર્ટ હોસ્પિટલમા ફરજ બજાવતા હોવાનું સંદીપે જણાવ્યું હતું.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
WTC ફાઇનલના આયોજનની તક ભારતને નહીં મળે?
ChatGPT દુનિયાભરમાં ડાઉન : લૉગિન ઠપ અને ઘીબલી ફોટો બનવાના બંધ
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?