- T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ શકે છે વિરાટ કોહલી
- વિરાટ કોહલીના સ્થાને ત્રીજા નંબર પર ઈશાન કિશાને મળશે તક
- વિરાટ કોહલી T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2022 ની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે ભારતને મહત્વપૂર્ણ ઇનિંગ્સમાં વિજય અપાવ્યો હતો. તે ઈનિંગ્સ જોઈને ઘણા દિગ્ગજોએ કહ્યું હતું કે કોહલી સિવાય કોઈ આ કરી શકે નહીં. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ શકે છે અને ટીમ ઈન્ડિયા ત્રીજા નંબર પર ઈશાન કિશનને તક આપી શકે છે.
ઈશાન કિશાને મળશે તક
ઈશાન કિશન તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, જેના કારણે તેને વિરાટ કોહલીની જગ્યાએ T20 વર્લ્ડ કપમાં ત્રીજા નંબર પર તક મળી શકે છે. એક અહેવાલ અનુસાર, બીસીસીઆઈ અને પસંદગીકારો ટી-20 ટૂર્નામેન્ટમાં ત્રીજા નંબર માટે એક એવો ખેલાડી ઈચ્છે છે જે શરૂઆતથી જ વિરોધી ટીમના બોલરો પર પ્રભુત્વ જમાવી શકે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીને વાસ્તવમાં બહાર કરવામાં આવશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2024 T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની પસંદગી પણ તેના પર નિર્ભર રહેશે કે તે પહેલા રમાનારી IPL 2024માં કેવું પ્રદર્શન કરે છે.
કોહલી અને ઈશાનનું પ્રદર્શન
ઈશાન કિશનની વાત કરીએ તો તે અત્યાર સુધી પોતાના કરિયરમાં 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 32 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 25.67ની એવરેજ અને 124.37ની એવરેજથી 796 રન બનાવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જેણે ફોર્મેટની 115 મેચોની 107 ઇનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે.
રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરે
બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCI ઇચ્છે છે કે 2024માં યોજાનારી ICC ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરે. જો કે, આ તમામ બાબતો અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી બહાર આવી નથી.


