- ડ્રોનથી કોઇ વાહન કે વ્યક્તિને ટારગેટ ન કરી શકાય તેવી સિસ્ટમ લગાવાઇ
- નવી સંસદના ઉદઘાટન સમયે અચૂક સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરાયો
- નવી સંસદ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિકલ સર્વેલન્સ ઉપકરણોથી સજ્જ
નવી સંસદના ઉદઘાટન સમયે અચૂક સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરાયો હતો. આકાશથી માંડીને જમીન સુધી 24 કલાક બાજની નજરથી નવા સંસદ ભવનની સુરક્ષાની વાત કરાઇ હતી. સંસદ ભવનમાં એન્ટિ ડ્રોન અને એન્ટિ મિસાઇલ સિસ્ટમ લગાવાઇ હતી. સંસદ પરિસરની અંદર ડ્રોનથી કોઇ વાહન કે વ્યક્તિને ટારગેટ ન કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરાઇ હતી. નવા સંસદ ભવનના ઉદઘાટન બાદ પાર્લામેન્ટ ડયૂટી ગ્રૂપ, એનએસજી, આઇબી, આઇટીબીપી અને પાર્લામેન્ટરી સિક્યોરિટી સર્વિસ અને દિલ્હી પોલીસના જવાનોની સંખ્યા વધારાઇ હતી. નવી સંસદ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિકલ સર્વેલન્સ ઉપકરણોથી સજ્જ છે. જો કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ થાય તો તેની ગણતરીની સેકન્ડમાં જ જાણ થઇ જાય છે.
નવી સંસદમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ પણ છે
નવા સંસદ ભવનમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ અને ફેસ રિકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા લગાવાયા છે. તેમની મદદથી શંકાસ્પદ ગતિવિધિને રોકવામાં મદદ મળે છે. અપડેટ સીસીટીવી સિસ્ટમ 360 ડિગ્રી પર કામ કરે છે. ખાસ વાત એ છે કે જો કોઇ વ્યક્તિ કેમેરા ફરે તેનાથી વિપરીત દિશાથી ઘૂસવાનો પ્રયાસ કરે તો પણ તે પકડાઇ જઇ શકે છે. જ્યારે એક કેમેરો વિપરીત દિશામાં ફરે છે ત્યારે તે વખતે જ બીજો અને ત્રીજો કેમેરા પહેલાવાળા કેમેરાની દિશામાં આવી જાય છે. સંસદ ભવન પરિસરમાં એવા ઉપકરણો લગાવાયા છે જે સાંસદોને તેઓ પોતાની ગાડીમાં બેઠા હોય તે બાદ પણ સુરક્ષિત રાખે છે. એટલે કે સંસદ પરિસરમાં તેમની ગાડી પર ડ્રોન વગેરેથી હુમલો નહીં થઇ શકે.
સર્વેલન્સ સિસ્ટમ સાથે ચેડાંની તરત જાણ થશે
સૂત્રોના અનુસાર સંસદ ભવનમાં એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ લાગેલા છે જેમની મદદથી સર્વેલન્સ સિસ્ટમની સાથે કોઇ ચેડાં થાય છે તો તેની તરત જ જાણકારી મળી જાય છે. સંસદ ભવન પરિસરના કયા સેક્શનમાં આ ચેડાં થયા છે, તે કન્ટ્રોલ પેનલની જાણકારી સેન્ટ્રલ સર્વર પર આવી જાય છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમમાં તે તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમનો ઉપયોગ કરીને શત્રુ દેશ અથવા પીડીજી જે સીઆરપીએફનો એક ભાગ છે, તેની સંખ્યા વધારવામાં આવી છે.
સિક્યોરિટી માટે એક કોમન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે
કોઇપણ હવાઇ હુમલાથી બચવા માટે ડબલ પ્રોટેક્શન ગિયર હાજર છે. ડ્રોન હોય તો તેને પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી અને શૂટર દ્વારા તોડી પાડી શકાય છે. નવા સંસદ ભવનની સિક્યોરિટી માટે એક કોમન સેન્ટર છે. તેની સાથે જ પીડીજી, આઇટીબીપી, આઇબી, એસપીજી, એનએસજી અને દિલ્હી પોલીસનું યુનિટ જોડાયેલું રહે છે. જો સંસદ પરિસરમાં કોઇપણ અપ્રિય એલર્ટ મળે તો તેની સૂચના આ તમામ એજન્સીઓ પાસે પહોંચી જાય છે. ફેસ રિકગ્નિશન એલર્ટ પણ આ એજન્સીઓ વચ્ચે શેર થાય છે. સંસદ ભવનમાં પીડીજીના લગભગ 1700 જવાનો નિયુક્ત કરાયેલા છે.


