રેફ્રિજરેટરમાં સ્ટોર કરેલ ખોરાક શાકભાજી કે ફળો ખાવા હિતાવવા નથી પરંતુ ક્યારેક કોઈ વિકલ્પ ન હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખીને ફ્રિજનો ઉપયોગ કરી શકો છો.
આજકાલ રેફ્રિજરેટર દરેકના ઘરમાં જરૂરિયાતનું સાધન થઈ ગયું છે એક સમયે ફક્ત દૂધ અને શાકભાજી માટે ઉપયોગમાં લેવાતા ફ્રીઝને આજે અનેક વસ્તુઓ સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ ઉપરાંત વધેલા ભોજનનો સંગ્રહ કરવા માટે પણ ફ્રીજ ઉપયોગી છે અનેક એવા શાકભાજી જે સીઝન સિવાય નથી મળતા તેનો પણ સંગ્રહ ફ્રીઝમાં આપણે કરીએ છીએ. ફ્રીઝમાં ફળો શાકભાજી, દૂધ, પનીર,વધેલું ભોજન રાખીએ છીએ. આમ તો રેફ્રિજરેટરમાં રાખે ભોજન સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે યોગ્ય નથી આમ છતાં ઘણી વાર કોઈ વિકલ્પ ન હોય ત્યારે આપણે ફ્રીઝમાં ભોજન રાખી શકીએ છીએ ફ્રીઝમાં ભોજન અને શાકભાજી સારી રીતે રાખવા માટે ની કેટલીક ટિપ્સ જોઈએ
*જો રેફ્રિજરેટરમાં ખોરાક યોગ્ય રીતે સંગ્રહિત ન થાય તો તેમાં બેક્ટેરિયા વધવાની શક્યતા રહે છે.તેથી વધેલા ભોજન માટે કાચ અથવા સ્ટીલના વાસણો ઉપયોગ કરો.
*પ્લાસ્ટિકના કન્ટેનરમાં રેફ્રિજરેટરના ખોરાકને સ્ટોર કરવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે પ્લાસ્ટિકનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી તેથી કાચ ના ભાવ અથવા તો સ્ટીલ ના ડબ્બા નો ઉપયોગ કરી શકાય.
*ઘણી વખત ફ્રીઝમાં રાખેલ ખોરાક લોકો બે ત્રણ દિવસ ખાઈ લેતા હોય છે પરંતુ ધ્યાન રહે કે જો તમે ખોરાકને યોગ્ય ડબ્બામાં ન રાખ્યો હોય અને તેને ઢાંકીને પણ ન રાખ્યો હોય, તો પછી તમારું ભોજન જરા પણ સુરક્ષિત રહ્યું નથી.
*રેફ્રિજરેટરમાં ખુલ્લો રહેલો ખોરાક અન્ય કાચા ખોરાકના સંપર્કમાં આવતા બગડી શકે છે.
* ખોરાકમાં ભેજ જળવાતો નથી. સાથે રેફ્રિજરેટર અથવા અન્ય ખોરાકની વાસ પણ એકબીજા સાથે ભળી જાય છે. આ કારણોસર, હવાચુસ્ત પાત્રમાં ખોરાક સંગ્રહિત કરો. તેનાથી ખોરાક તાજો રહેશે.
*વાસી ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહ ન કરવો જોઈએ.
*જ્યારે શાકભાજીમાં કોથમીર,મેથી કે પાલક જેવા પાંદડા વાળા શાક હોય ત્યારે તેને કાગળની બેગ અથવા તો જુના ન્યુઝ પેપર માં ફોલ્ડ કરીને મૂકવાથી તે લાંબા સમય સુધી તાજા રહે છે.
*ઘણીવાર ચીઝ ની ક્યુબ ખોલ્યા પછી ફ્રીઝમાં મુકવાથી કડક થઈ જાય છે તો તેને પ્લાસ્ટિક બેગ અથવા તો સ્ટીલના ડબ્બામાં મૂકીને રાખવાથી ચીઝ સારું રહેશે.
*દરેક શાકભાજી ફ્રીજમાં ખુલ્લા ન રાખતા તેને પ્લાસ્ટિક બેગ અથવા તો પેપર બેગમાં રાખશો તો શાકભાજી ફ્રેશ રહેશે.
*ઘણા લોકો અથાણાં તેમજ મસાલા પણ ફ્રીઝમા મુકતા હોય છે ત્યારે તેની યોગ્ય બરણી મા ભરીને મુકવા જરૂરી છે.
*ઘણા લોકોને બધી જ વસ્તુઓ ફ્રિજમાં મૂકવા નીચે હોય છે જેથી ફ્રીઝમાં જરા પણ જગ્યા રહેતી નથી.આવી પરિસ્થિતિમાં ફ્રીઝ ની અંદરના તાપમાનમાં ફેર પડી શકે છે.
*ફ્રીઝમાં રહેલ દૂધ દહીં છાશ કે પછી કોઈ પણ ભોજનની સામગ્રી હંમેશા ઢાંકીને રાખવી જેથી કોઈ અલગ પ્રકારની સ્મેલ ફ્રિઝમાં નહીં આવે.
આમ તો રેફ્રિજરેટરમાં સ્ટોર કરેલ ખોરાક શાકભાજી કે ફળો ખાવા હિતાવવા નથી પરંતુ ક્યારેક કોઈ વિકલ્પ ન હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખીને ફ્રિજનો ઉપયોગ કરી શકો છો.