By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    4 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    4 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન કાર્તિકેયનું મંદિર કે જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન કાર્તિકેયનું મંદિર કે જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે!

agragujaratnews
Last updated: 2023/12/26 at 1:07 PM
2 years ago
Share
ભગવાન કાર્તિકેયનું મંદિર કે જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે!
SHARE

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરના જીવાજી ગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર ભગવાન કાર્તિકેયનું દેશનું ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિર આશરે 400થી 450 વર્ષ જૂનું છે

ભારતમાં ભગવાન કાર્તિકેયના ખૂબ જ ઓછો મંદિર જોવા મળે છે. દેવોના દેવ કહેવાતા ભગવાન મહાદેવના બે પુત્રો છે, એક ભગવાન ગણેશ અને બીજા છે ભગવાન કાર્તિકેય. આ બંને પુત્રોમાંથી ભગવાન ગણેશની પૂજા દેવતાઓમાં સૌથી પ્રથમ થાય છે. જ્યારે પુરાણોમાં ભગવાન કાર્તિકેયને દેવતાઓના પ્રધાન સેનાપતિ તરીકે ઓળખવામાં આવ્યા છે. ભગવાન કાર્તિકેયને સુબ્રમણ્યમ, મુરુગન અને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણના મંદિરોમાં ભગવાન કાર્તિકેયને ભગવાન સુબ્રમણ્યમ અથવા તો ભગવાન મુરુગન તરીકે શ્રદ્ધાપૂર્વક સંબોધવામાં આવે છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભગવાન કાર્તિકેયનું સૌથી જૂનું-પુરાણું મંદિર આવેલુ છે. આ મંદિર અંદાજિત 400 થી 450 વર્ષ જૂનું છે એમ માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આ મંદિર માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખોલવામાં આવે છે. ભગવાન કાર્તિકેયના આ મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા ભારતભરમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.

કાર્તિક પૂર્ણિમાને ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તેમજ ભગવાન ગણેશના ભાઇ કાર્તિકેયનો જન્મદિવસ માનવામાં આવે છે. માત્ર મધ્ય પ્રદેશ જ નહીં, પરંતુ કાર્તિક પૂર્ણિમાના દિવેસ દેશભરમાં જ્યાં જ્યાં ભગવાન કાર્તિકેયના મંદિરો છે ત્યાં તેમની ધામધૂમથી અને વિધિવત્ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તરફ મધ્ય પ્રદેશના ગ્વાલિયરનાં મંદિરમાં પણ વિધિવત્ રીતે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે દર્શનાર્થે ખુલ્લુ રાખવામાં આવતું આ મંદિર આ દિવસે 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકના આશીર્વાદ મેળવી શકે. કાર્તિક પૂર્ણિમાના આગલા દિવસથી જ અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. આગલા દિવસથી જ તેઓ મંદિરમાં દર્શન કરવાની લાઇનમાં લાગી જાય છે.

ચાર સદી જૂનું મંદિર

મધ્યપ્રદેશના ગ્વાલિયરના જીવાજી ગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર ભગવાન કાર્તિકેયનું દેશનું ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિર આશરે 400થી 450 વર્ષ જૂનું છે. આ મંદિરના 80 વર્ષીય પુજારી પંડિત જમુના પ્રસાદના જણાવ્યા પ્રમાણે આ મંદિર 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. જોકે, આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી તેવો કોઇ ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. બીજી તરફ પૂજારીના જણાવ્યા પ્રમાણે ગ્વાલિયરમાં સિંધિયા રાજાઓનું શાસન હતું અને તેમણે જ્યારે પોતાની રાજધાની બનાવી ત્યારે તાત્કાલીન સિંધિયા શાસકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યારથી જ સતત આ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે.

વર્ષમાં એકવાર જ દર્શન

ભગવાન કાર્તિકેય મંદિરના પટ માત્ર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ખુલે છે. આમ તો બધા મંદિરના પટ સવારે જ ખુલતા હોય છે અને પછી ભગવાનની પૂજા-અર્ચના થતી હોય છે. જ્યારે અહીં ભગવાન કાર્તિકના પટ કાર્તિક પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ બરાબર બારના ટકોરે જ ખોલવામાં આવે છે અને ત્યારથી જ ભગવાન કાર્તિકેયના દર્શન કરવા ભક્તોની ભીડ જામી જાય છે. આ વર્ષે પણ રાત્રીના બાર વાગે જ મંદિરના પટ ખોલવામાં આવ્યા હતા.

ગત વર્ષે એક દિવસ વહેલા પટ ખોલ્યા હતા

ગત વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્વાલિયરના કાર્તિકેય મંદિરના પટ એક દિવસ પહેલા જ ખોલી નાખવામાં આવ્યા હતા. ચંદ્ર ગ્રહણના દિવસે સવારથી જ તમામ મંદિરોના પટ બંધ કરવામાં આવતા હોય છે, તેથી પંચાગ અનુસાર ગત વર્ષે વર્ષના એક દિવસ પહેલા જ કાર્તિક પૂર્ણિમા સંબંધિત પૂજા-વિધાન કરવામાં આવ્યા હતા.

ભગવાન કાર્તિકેયની પૌરાણિક માન્યતા

ભગવાન કાર્તિકેય ત્રણ લોકની પરિક્રમા પૂર્ણ કરીને જ્યારે પરત આવ્યા ત્યારે ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતાના સ્વરૂપે જયજયકાર જોવા મળી રહ્યો હતો. સૌ કોઇએ તેમને પ્રથમ પૂજ્ય ભગવાન માની લીધા હતા. તેથી ભગવાન કાર્તિકેય માતા પાર્વતીથી ખૂબ જ નારાજ થયા અને પોતાની જાતને એક ગુફામાં બંધ કરી દીધા. ગુફામાં બંધ થતા સમયે ભગવાન કાર્તિકેય કોઇને પણ દર્શન ન દેવાના પ્રણ લે છે, સાથેસાથે તેઓ શાપ પણ આપે છે કે, જે સ્ત્રી તેમના દર્શન કરશે તે વિધવા થઇ જશે અને પુરુષ સાત જન્મ સુધી નર્કમાં જશે. ભગવાન કાર્તિકેયના આવા શાપથી માતા પાર્વતી અને શિવ ભગવાન તેમને સમજાવે છે. જ્યારે ભગવાન કાર્તિકેયનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તેમને પશ્ચાતાપ થાય છે, આ સમયે માતા પાર્વતી તેમને વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓને દર્શન આપવા માટે મનાવી લે છે અને ભગવાન શંકર તેમને વરદાન આપે છે કે કાર્તિકેયના જન્મદિવસ પર એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના દર્શનમાત્રથી તેમની ઇચ્છાઓ પૂરી થશે. તેથી ગ્વાલિયરનું આ મંદિર વર્ષમાં એકવાર ખૂલે છે.

દેશના અન્ય પ્રસિદ્ધ ભગવાન કાર્તિકેયના મંદિરો

ઉતરાખંડ : રુદ્રપ્રયાગ મંદિર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં રુદ્રપ્રયાગ-પોખરી માર્ગ પર કનક ચૌરી ગામની પાસે 3050 મીટરની ઊંચાઇના પહાડ પર ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર આવેલું છે.

હરિયાણા : કુરુક્ષેત્ર કાર્તિકેય મંદિર

હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પિહોવામાં ભગવાન કુમાર કાર્તિકેયનું મંદિર આવેલું છે. અહીં મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની પરવાનગી છે, પરંતુ ગર્ભગૃહમાં જવાની પરવાનગી નથી. જે માટેની પૌરાણિક માન્યતા ઉપર દર્શાવેલ છે.

તમિલનાડુ : પલની મુરુગન મંદિર

ભગવાન કાર્તિકેયને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન કાર્તિકેયનું સૌથી વિશાળ મંદિર અહીં આવેલું છે. તમિલનાડુના ડિંડિગુલ જિલ્લાના પલની શહેરમાં આ મંદિર આવેલું છે. આ મંદિર અંદાજીત 560 ફૂટ ઊંચાઇ પર શિવગિરિ પર્વત પર બનાવવામાં આવ્યું છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
ધર્મ

રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?