- વટાણાનો પુલાવ આપશે મસ્ત ટેસ્ટ
- ગરમ મસાલાથી ભરપૂર પુલાવ આપશે હેલ્થને અનેક ફાયદા
- બાળકોથી લઈને મોટેરાંઓને આપશે નવો સ્વાદ
દરેક ગૃહિણીને મુંઝવતો પ્રશ્ન આજે ડિનરમાં શું બનાવવું? સામાન્ય રીત એવું બને કે સવારનું મેનુ ફિક્સ હોય કે, દાળ-ભાત, શાક, રોટલી બને. પરંતુ સાંજના મેનુમાં કંઈક નવુ અને અલગ બનાવવાની ઈચ્છા થાય અને આખા દિવસના થાક બાદ કંઈક અલગ ખાવાનું હોય અને તે પણ લાઈટ તો મજા પડે છે. જો તમે એકની એક વાનગી ખાઈને કંટાળી ગયા છો તો આજે અહીં આપેલી પુલાવની રેસિપિ ટ્રાય કરી શકો છો. આ પુલાવ બાળકોથી લઈને મોટેરાંઓ માટે હેલ્ધી સાબિત થઈ શકે છે. તો જાણો સિમ્પલ રેસિપિ અને બનાવી લો ઘરે.
વટાણા પુલાવ
સામગ્રી
-1 કપ ચોખા(અડધો કલાક પાણીમાં પલાળેલા)
-2 કપ લીલા વટાણા
-2 થી 3 નંગ લીલા મરચાં
-1 ટી સ્પૂન જીરૂં
-2 ટેબલ સ્પૂન તેલ
-2 નંગ કાળી એલચી
-4 થી 5 લવિંગ
-4 થી 5 કાળા મરી
-2 થી 3 તજના ટુકડા
-1 નંગ સુવાનું બીજ
-2 થી 3 તમાલપત્ર
-2 નંગ મોટી ડુંગળી સમારેલી
-2 કપ પાણી
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
રીત
સૌપ્રથમ એક ડીપ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, લવિંગ, કાળા મરી, તજ અને સુવા બીજ ઉમેરો. લગભગ અડધી મિનિટ બાદ મોટી એલચીનું મુખ ખોલીને તે અને તમાલપત્ર નાંખીને ફરીથી બરાબર સાંતળો. હવે તેમાં લીલા મરચાં અને ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા અને મીઠું નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. લગભગ બે મિનિટ બાદ કોથમીર નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે બે કપ પાણી નાખીને બધી જ સામગ્રીને બરાબર હલાવી લો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળી રાખેલા ભાત બરાબર ધોઈને ઉમેરો. બરાબર હલાવીને પેનને ઢાંકીને ચઢવા દો. લગભગ વીસેક મિનિટમાં પાણી બળી જશે. જોઈ લેવું કે ચોખા બરાબર ચઢી ગયા છે કે નહીં. જો ચઢી ગયા હોય તો, ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ-ગરમ વટાણા પુલાવ સર્વ કરો.