- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનું મિશન તેજ
- પીએમ મોદી બિહારથી ચૂંટણી કેમ્પેઇનની કરી શકે શરૂઆત
- 13 જાન્યુઆરીએ પીએમ મોદી રેલી સંબોધે તેવી સંભાવના
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ તૈયારી તેજ કરી રહ્યું છે.ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ મોદી બિહારમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકી શકે છે. બિહારના ચંપારણમાં આગામી લોકસભા ચૂંટણીને લઇને તેઓ રેલી પણ સંબોધિત કરી શકે છે.
બિહાર માટે બીજેપીનું શું છે મિશન ?
ભાજપે બિહારમાં 2024ની લોકસભાની ચૂંટણી માટે તમામ 40 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન બિહારમાં અનેક રેલીઓને સંબોધિત કરવાના છે. 15 જાન્યુઆરી પછી મોટી રેલીઓ થવાની ધારણા છે જ્યારે ચૂંટણી પ્રચાર પ્રતિબંધો હટાવવામાં આવશે.પીએમ મોદી રાજ્યના બેગુસરાય, બેતિયા અને ઔરંગાબાદમાં ત્રણ રેલીઓને સંબોધિત કરવાના છે.
જે.પી નડ્ડા-અમિત શાહ પણ કરશે પ્રચાર
એ જ રીતે અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન સીતામઢી, મધેપુરા અને નાલંદામાં સભાઓને સંબોધશે તેવી અપેક્ષા છે. જેપી નડ્ડા પણઘણી જગ્યાએ રેલીઓ કરી શકે છે તેમાં પણ ખાસ કરીને સીમાંચલ અને બિહારના પૂર્વ વિસ્તારોમાં રેલી કરે તેવી શક્યતાઓ છે.
બિહારમાં સંભાળશે કમાન
મહત્વનું છે કે બિહારમાં નીતીશ કુમારે આગામી ચૂંટણી માટે વિપક્ષી નેતાઓને સફળતાપૂર્વક એક કર્યા છે. . બિહારની તમામ 40 લોકસભા બેઠકો માટે લડાઈ નિશ્ચિત છે. પીએમ નરેન્દ્ર મોદી ફરીથી ભાજપના પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા હોવાથી પાર્ટીએ પ્રદેશ સંગઠનની કમાન નેતા સમ્રાટ ચૌધરીને સોંપી છે. બિહારમાં રાજકીય માહોલ એક મહત્વપૂર્ણ ચૂંટણી લડાઈ માટે તૈયાર થઈ રહ્યો.


