By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: આતંકી શાહનવાઝ અમદાવાદ, વડોદરા, સુરત, અને ગાંધીનગરમાં IED વિસ્ફોટ કરવાનો હતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આતંકી શાહનવાઝ અમદાવાદ, વડોદરા, સુરત, અને ગાંધીનગરમાં IED વિસ્ફોટ કરવાનો હતો

agragujaratnews
Last updated: 2023/10/04 at 2:35 AM
2 years ago
Share
આતંકી શાહનવાઝ અમદાવાદ, વડોદરા, સુરત, અને ગાંધીનગરમાં IED વિસ્ફોટ કરવાનો હતો
SHARE

  • ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ પૂછપરછ કરવા દિલ્હી પહોંચી
  • અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનથી દોરીસંચાર કરતો હતો
  • ત્રણેયે આતંકીઓએ ગુજરાતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી

દિલ્હી પોલીસે NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા સહિત ત્રણ જણાની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી. આતંકવાદીઓ દ્વારા કાવતરાનું સૌથી ચિંતાજનક પાસું તેનું ધ્યાન ગુજરાત પર હતું, જ્યાં ગુજરાતના અનેક શહેરો આ આતંકવાદીઓના પકડમાં હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંના એક શાહનવાઝને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર સહિતના ગુજરાતના મુખ્ય શહેરી કેન્દ્રોમાં IED વિસ્ફોટનું આયોજન કરવાનું કામ સોંપવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.

આતંકવાદી શાહનવાઝે ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર ફ્રતુલ્લાહ ઘોરી સાથે સંપર્ક રહીને ગુજરાત સહિતના રાજયોમાં કેવી રીતે આતંકવાદી પ્રવૃત્તિનો અંજામ આપવો તેનો દોરી સંચાર કરતો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ગુજરાત એટીએસ અને અમદાવાદ એનઆઈએની ટીમ પણ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કરવા દિલ્હી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આતંકી શાહનવાઝ IS મોડયુલ એટલે કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે અને ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આતંકી શાહનવાઝએ રેકી કરી અને ઘણા દિવસો પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં વિતાવ્યા. કેટલાંક અઠવાડિયાં સુધી જંગલોમાં રહીને બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ હાથ ધરી હતી. ISના આતંકીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે તેમના નિશાને ગુજરાતમાં અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં અક્ષરધામ બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ફ્રતુલ્લાહ ઘોરીની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જેના ઈશારે ગુજરાત, મુંબઈ સહિતના રાજયોમાં કેવી રીતે હુમલા કરવા તેનો દોરીસંચાર મેળવતા હતા.

અક્ષરધામના આતંકીઓને તાલીમ આપતો વીડિયો મળ્યો

આતંકી શાહનવાઝની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઘોરી પાકિસ્તાનથી જેહાદના ક્લાસ ચલાવતો હતો. પાકિસ્તાનથી ભારતમાં આતંકી હુમલાનો દોરીસંચાર આપતો હતો. ભારતમાં IS મોડયૂલને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતું હતું. આતંકી ઘોરી અને શાહિદે ભારતમાં આતંકી હુમલાનો પ્લાન ઘડયો હતા. આતંકી ઘોરીએ શાહનવાઝને બ્લાસ્ટ કરવા અંગે તાલીમ આપી હતી. ઘોરીનો આતંકી તાલીમ આપતો વીડિયો પણ સામે આવ્યો હતો.

બસંતી પટેલને બનાવી ખાદીજા મરિયમ

આતંકવાદી શાહનવાઝે માર્ચ 2021માં યુપીના અલીગઢમાં બસંતી પટેલ ઉર્ફે ખાદીજા મરિયમ (બદલાયેલી) સાથે લગ્ન કર્યા હતા. અલીગઢથી પાછા ર્ફ્યા પછી તેણે દિલ્હીમાં કેટલાક IED બનાવવાનું નક્કી કર્યું. આતંકી શાહનવાઝે માઇનિંગમાં એન્જિનિયરિંગ, અરશદ વારસીએ મિકેનિકલમાં અને રિઝવાને કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક બનાવવાની સામગ્રી, પિસ્તોલ, કારતૂસ અને લેખિત દસ્તાવેજો અને બોમ્બ બનાવવા માટેના પુસ્તકો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.

સાબરમતી જેલમાં 50થી વધુ આતંકીઓ સજા કાપી રહ્યા છે

અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં 21 જગ્યાએ થયેલા સિરીયલ બ્લાસ્ટ અને સુરતમાં 15 જગ્યાએ બ્લાસ્ટના ષંડયત્રના મામલે અમદાવાદની સાબરમતી જેલમાં 60 થી વધુ આંતકીઓ છે. જેમને જેલમાંથી ભાગવા માટે જેલમાં અગાઉ સુરંગ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આ કુખ્યાત આતંકવાદીઓ સામે મહારાષ્ટ્ર, એમપી, દિલ્હી સહિતના રાજયોમાં આતંકી પ્રવૃત્તિઓના કેસ ચાલી રહ્યા છે.

ગુજરાત પર ડોળો કેમ ? : આતંકી હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે. વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને ટાર્ગેટ કરાતું હોવાનું સામે આવ્યું છે. દરિયાઇ અને જમીની માર્ગે આતંકીઓને પીઠબળ મળતું હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી સરળ ટાર્ગેટ હોવાથી ગુજરાત પર બાજ નજર રખાય છે. ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવા દરિયાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પ્રવેશવા ગુજરાતનો દરિયો મુખ્ય માર્ગ હોવાનું સામે આવ્યું છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
હેલ્થ

Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ

By 2 days ago
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?