By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂની-નવી નગરીને જોડનારો સમુદ્રી-સમજણનો સેતુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

જૂની-નવી નગરીને જોડનારો સમુદ્રી-સમજણનો સેતુ

agragujaratnews
Last updated: 2024/01/12 at 8:48 PM
2 years ago
Share
જૂની-નવી નગરીને જોડનારો સમુદ્રી-સમજણનો સેતુ
SHARE

મુંબઈ અને નવી મુંબઈને દરિયાના માર્ગે પૂલથી જોડનારો અટલ સેતુ વાહન વ્યવહારની સાથે વિકાસની બે બાબતોે પણ જોડશે કે સમગ્ર રીતે પ્રજાની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રાયોરિટી આપવી જરૂરી છે

અટલ સેતુ એવું નામ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે તૈયાર થયેલા દરિયાઈ બ્રીજને આપવામાં આવ્યું છે. મુંબઈના શીવડીથી વચ્ચેની ખાડી પસાર કરીને સામે પાર ન્હાવા શેવા પહોંચવા માટે આ સીધો સેતુ છે. સામે પાર નવું મુંબઈ વિકસી રહ્યું છે, પણ ત્યાં પહોંચવું હોય તો જમીન માર્ગે એક મોટું ચક્કર મારવું પડે અને થાણે, કલ્યાણ થઈને પછી ત્યાં પહોંચી શકાય. તેના બદલે તળ મુંબઈ સાથે સીધો સંપર્ક થઈ શકે તે માટેનો આ બ્રીજ મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે બન્યો છે.
મુંબઈથી નવી મુંબઈને જોડતો ખાડી પરનો આ પૂલ 21.8 કિમી લાંબો છે – ભારતમાં દરિયા પર બનેલો સૌથી લાંબો બ્રીજ. દુનિયામાં તે પાંચમાં નંબરનો સૌથી મોટો બ્રીજ બનશે. 16.5 કિમી બ્રીજ દરિયાના પાણી ઉપર છે, જ્યારે બંને છેડે સાડા પાંચ કિમી જેટલો બ્રીજ જમીનની ઉપર પણ બનેલો છે. શીવડીથી શરૂ થઈને નવી મુંબઈમાં ચીરલેને જોડશે. 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિને તેનું ઉદ્ઘાટન કરવાનું હતું, પણ તેમાં વિલંબ થયો હતો. લાઈટિંગનું કામ વગેરે બાકી હતા.
બ્રીજ પર લાઈટિંગ એવી રીતે કરવામાં આવી છે કે રાત્રે તેના કારણે દરિયાઈ ખાડીમાં રહેતા દરિયાઇ જીવોને બહુ ડિસ્ટર્બ ના કરે.દિવસ દરમિયાન નહીં, પણ આખી રાત બ્રીજ વાહનોથી ધમધમતો રહેવાનો છે અને રોશનીથી ઝગમગતો રહેશે. રોજના 70,000થી વધુ વાહનો પસાર થવાના છે, ત્યારે તેનો અવાજ અને પ્રકાશ બંને નિયંત્રિત રહે તે માટેની કોશિશ થઈ રહી છે, જેથી બ્રીજની નીચે માછલીઓ સુખે જીવે.
મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈના દરિયા કાંઠે માછીમારો પણ વસે છે અને બંદરો અને જેટ્ટીઓ પણ આવેલી છે. એટલે ત્યાં સુધી નાની હોડીથી માંડીને વિશાળ સ્ટીમર સુધી આવનજાવન થતી રહેવાની છે. તેના માટે વચ્ચેના ભાગમાં બ્રીજને ઊંચો અને બે પિલર વચ્ચે ઘણી મોટી જગ્યા રાખવામાં આવી હોય તે રીતે બનાવાયો છે. તે રીતે બ્રીજની ડિઝાઇન પણ કાળજીપૂર્વક તૈયાર થઈ છે.
2017માં આ યોજના નક્કી થઈ ત્યારે તેનો ખર્ચ 18,000 કરોડ રૂપિયા જેટલો અંદાજમાં આવ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડાં પ્રમાણે 17,843 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની લોન પણ મળી છે.
નવી મુંબઈ કરતાંય તેનાથી આગળ પૂણે એક્સપ્રેસ વે અને ગોવા એક્સપ્રેસ વે સાથે જોડાવા માટે આ બ્રીજ ઉપયોગી થવાનો છે. નવી મુંબઈમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની રહ્યું છે ત્યારે દક્ષિણ મુંબઈમાં કે જ્યાંથી સૌથી વધુ પ્રવાસીઓ મળવાના છે તેની સાથે સીધી રીતે આ બ્રીજથી આવાગમન થઈ શકશે.
જૂની મુંબઈ એટલે ભારતમાં પ્રથમ વેપારી નગરી. અંગ્રેજોને દાયજામાં આ ટાપુઓ મળ્યા ત્યારે ગુજરાતમાંથી વેપારીઓને ત્યાં લઈ જઈને વસાવાયા હતા. ભારતભરમાંથી લોકોનો પ્રવાહ ત્યાં ચાલ્યો અને એક કોમર્સ સિટી તરીકે મુંબઈ વિકસ્યું. મુંબઈનું બારું આયાત નિકાસ માટે જરૂરી પોર્ટ તરીકે, કુદરતી રીતે બહુ ઉપયોગી હતું.
જોકે મુંબઈ વિકસતું ગયું તેની સાથે સમસ્યાઓ વધતી ગઈ હતી. ભારતની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી, સૌથી વધુ સાંકડા રસ્તા અને ઝુગ્ગીઓ, સૌથી ગીચ વસતિ, સૌથી વધુ ભીડ સાથેની લોકલ ટ્રેનો, સૌથી વધુ મોટું અંડરવર્ડ, સૌથી વધુ સમય ઘરેથી કામના સ્થળે અને કામના સ્થળેથી ઘરે પહોંચતા લાગે તેવું દોડધામવાળું માયાવી નગર ઊભું થયું હતું.
વેપાર ઉદ્યોગ વિકસતા રહ્યા હતા એટલે લોકો કઠણાઈ ભોગવીને પણ અહીં પડ્યા રહેતા હતા. રોટલો મળે, પણ ઓટલો ના મળે એવી ગુજરાતી કહેવત મુંબઈમાં જન્મી હતી, કેમ કે અહીં દોરી લોટો લઈને આવનારા સમૃદ્ધ થતા રહ્યા, પણ જીવનશૈલી અને જીવનધોરણ મોકળાશના બદલે મોકાણ જેવા થતા રહ્યા હતા. એટલે જ વિકસતા શહેર સાથે નાગરિક સુવિધાઓ પાછળ સૌથી વધુ ખર્ચ થવો જોઈએ તેનું આ ઉદાહરણ છે અને શહેરો હવે વધારે ફૂલીની ફાટે નહીં તે માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ સુવિધા વધે તે માટેના પ્રયાસો કરવાના હજી બાકી છે તેનો મેસેજ પણ છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
હેલ્થ

Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો

By 4 days ago
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?