By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    28 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    3 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    4 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે

agragujaratnews
Last updated: 2023/10/05 at 10:43 AM
2 years ago
Share
જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે
SHARE

વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ II

શુનિચૈવશ્વપાકે ચ પંડિતા: સમદર્શિન: II5/18II

અર્થ : જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાળ વગેરે સર્વમાં સમાન દૃષ્ટિવાળા હોય છે.

જ્ઞાની કોને કહેવાય? જેને સારાનરસાનું પૂરેપુરુ ભાન હોય. સાત્ત્વિકતા શું છે? અધાર્મિકતા કેવી હોય? આ બધું જે સમજી શકતો હોય તે વ્યક્તિ જ્ઞાની છે તેમ કહી શકાય. જ્ઞાન વ્યક્તિમાં જુદી જુદી રીતે આવે છે. કોઈને વારસાગત મળે છે તો કોઇ પ્રયત્ન કરીને તે પામે છે. જ્ઞાની વ્યક્તિ વિદ્યાવાન અને વિવેકી હોય છે. જ્ઞાન અને વિદ્યા એ બે પણ ભિન્ન બાબતો છે. વિદ્યા એટલે કોઇ ચોક્કસ પ્રકારની સિદ્ધિ કે સફળતા મેળવવા માટેની વિધિ. તે તરફ જવાનો માર્ગ વિદ્યા બતાવે છે. જ્યારે જ્ઞાનમાં વિદ્યા ઉપરાંત બીજી ઘણીબધી બાબતનો સમાવેશ થાય છે. જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનામાં સમાનતાનો મોટો ગુણ હોય છે. તેને માટે સુખ-દુ:ખ, ધન-દોલત, કે ગરીબી આ બધું સરખું હોય છે. આ શ્લોકમાં સ્પષ્ટ રીતે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાલનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે જ્ઞાની વ્યક્તિને આ બધાં એકસમાન લાગે છે. તે એમનામાં કશો જ ભેદભાવ જોતો નથી. પંડિત અને ચંડાળ બન્ને એકબીજાથી તદ્દન વિપરીત અવસ્થાનાં પાત્ર છે તે છતાં તેમનામાં કોઈ ભેદ ન જુએ તે વ્યક્તિ તો વિરલ કહેવાય. એ વ્યક્તિ જ્ઞાની હોવાને કારણે જાણતો જ હોય છે. દરેકનામાં રહેલો આત્મા તો એકસરખો જ છે. જે તફાવત છે એ તો તેણે ધારણ કરેલા દેહને કારણે જ છે. આવી વ્યક્તિઓ તેમનામાં રહેલી વિદ્યા અને વિવેકને કારણે સદાય વંદનીય હોય છે, સન્માનને પાત્ર બની રહે છે.

ઇહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન: II

નિર્દોષં હિ સમં બ્રહ્ન તસ્માદબ્રહ્મણિ તે સ્થિત:II 5/19II

અર્થ : જેમનું મન સમત્વમાં સ્થિર રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે, કારણ કે બ્રહ્મદોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.

મન સમત્વમાં (સમાનતા) સ્થિર રહે છે એટલે જગતનાં બધાં જ તત્ત્વ કે જીવમાં જે સમાનતા જુએ છે તેણે તો આ જન્મમાં મનુષ્ય દેહ સ્વરૂપે જ સંસારને જીતી લીધો છે એમ માનવું. જેને આત્મજ્ઞાન થઇ જાય તેને બધુ સરખું જ લાગે છે. તે બધા જીવમાં કશો જ ભેદ કે તફાવત જોતો નથી. જો તમે કોઇનામાં કશો ભેદ પાડો જ નહીં કે જુઓ જ નહીં તો પછી તમે દોષ લાગે તેવું કોઇ કર્મ પણ કરી શકતા નથી અને જો તેવું કર્મ કદાચ તમારાથી થાય તો પણ તેનો કોઇ દોષ તમને લાગશે નહીં, કેમ કે તમે તો જે કર્મ કર્યું છે તે નિષ્કામ અને સમાનતાના ભાવથી જ કરેલું છે. તમે જો નિષ્કામ અને સમાનતાના ભાવથી જ્યારે કર્મ કરો ત્યારે તમારે એ અંગે કશી ચિંતા રાખવાની રહેશે નહીં. તમે કાયમને માટે ઈશ્વરમાં જ સ્થિર રહી શકશો. જગતની મોહમાયા કે એને સંબંધિત કોઈ પણ તત્ત્વ તમને સતાવશે નહીં કે નડતર રૂપ લાગશે નહીં. વ્યક્તિનામાં સૌને સમાન માની લેવાનો ગુણ વિકસે તો પછી એના મનમાં અન્ય કોઈ પ્રશ્ન જન્મતા જ નથી. તે દરેક ઘટનાને સહજ રીતે જ લેતો થઇ જાય છે. અહીં અર્જુનજીને આવો સમતાનો ભાવ ધારણ કરવાથી બ્રહ્મમાં સ્થિર થવાની વાત ભગવાને કરી છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ
આંતરરાષ્ટ્રીય

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 hours ago
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?