By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરતીના માધ્યમ દ્વારા જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

આરતીના માધ્યમ દ્વારા જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે

agragujaratnews
Last updated: 2024/01/18 at 3:54 PM
2 years ago
Share
આરતીના માધ્યમ દ્વારા જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે
SHARE

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ઉપાસનામાં `આરતી’ એક મહત્ત્વની વિધિ છે. આરતી એક એવું વિધાન છે કે આરતી કરતા સમયે ભક્તિ, માનવ, ભગવાનની સાથે એકાકાર થઈ જાય છે. ધાર્મિક માન્યતા એવી છે કે, કોઈ વ્યક્તિ જ્ઞાની નથી. કોઈ વ્યક્તિ પંડિત નથી મંત્ર-સ્તોત્ર જાણતાં નથી. મંત્ર અને સ્તોત્ર વડે ભગવાનની પૂજા-આરાધના કરી શકતાં નથી. તે વ્યક્તિ સાચા હૃદયથી એક વાર આરતી પ્રગટાવીને ભગવાનની સામે ભગવાનનાં ચરણોથી લઈને મસ્તક સુધી ઘુમાવે તો ભગવાન તેમની પૂજાનો સ્વીકાર કરી લે છે. આરતી ઉપાસનામાં વાિજંત્ર અને ગાયન બંનેને પણ સ્થાન આપવામાં આવે છે. પ્રાચીનકાળથી દેવી-દેવતાઓની આરતીનું માહાત્મ્ય રહેલું છે.

આરતી કરવા માટેનો યોગ્ય સમય

સામાન્ય રીતે મંદિરોમાં મુખ્ય ત્રણ સમયે આરતી ઉતારવાનું વિશેષ મહત્ત્વ છે. સવારે, સાંજ અને રાત્રિના સમયે એમ ત્રણ વખત આરતી ઉતારવાનું વિધાન છે. ખાસ કરીને સવારની સંધ્યાએ, સાંજની સંધ્યાએ અને રાત્રિના શયન સમયે એમ ત્રણ વખત આરતી કરવામાં આવે છે. આરતીની દીવીઓ કે અન્ય પાત્રમાં રૂની વાટ બનાવી તેમાં ઘી અથવા તેલ પૂરી ભગવાનની સામે ઘુમાવતા ઘુમાવતા નખશિખ નિહાળતાં નિહાળતાં પ્રભુમય બની જવાય એવી હૃદયસ્પર્શી આ વિધિ છે. તમિલ ભાષામાં આ પ્રક્રિયાને `દીપ આરાધનય’ કહેવાય છે.

આરતીના પ્રકાર

આરતીના ઘણા પ્રકાર છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને જગાડતાં સમયે જે આરતી કરવામાં આવે છે. તેને મંગળા આરતી કહેવાય છે. ત્યારબાદ ભગવાનને સ્નાનવિધિ કરાવવામાં આવે છે. ત્યારબાદ જે આરતી ઉતારવામાં આવે છે તેને સ્નાન આરતી કહેવાય છે. એ પછી ભગવાનને વસ્ત્ર અલંકાર ફૂલમાળા ધરાવીને શૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ જે આરતી થાય છે તે શૃંગાર આરતી છે. આ ક્રિયા બાદ ભગવાનને ભોગ લગાવાય છે. ભોગ લાગી ગયા બાદ આરતી ઉતારવામાં આવે છે તે ભોગ આરતી ત્યારબાદ સાંજના સમયે જે આરતી કરવામાં આવે છે તેને સંધ્યા આરતી કહેવાય છે અને અંતમાં ભગવાનને પોઢાડતી વખતે શયન કરાવતાં સમયે આરતી કરવામાં આવે છે તેને શયન આરતી કહેવામાં આવે છે.

મુખ પ્રમાણે આરતીના પ્રકાર

એક વાટની આરતીને એકમુખી આરતી કહેવાય છે. એવી જ રીતે ત્રણ વાટ, પાંચ વાટ, સાત વાટ, નવ વાટ તેમજ વિશેષમાં એકી સંખ્યામાં વાટ મૂકીને આરતી કરવામાં આવે છે. એક વાટની આરતી એટલે એકમુખી, ત્રણ વાટની આરતી ત્રિમુખી અને પંચમુખી, સપ્તમુખી, નવમુખી વિશેષમાં બહુમુખી આરતી ઉતારવાનું પણ વિધાન છે. વિશેષ સંજોગોમાં શપ્તદીપક તેમજ સહસ્ત્રદીપ આરતી પણ કરવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, ક્યારેય પણ બેકી સંખ્યામાં વાટ મૂકીને આરતી કરવામાં આવતી નથી. બેકી સંખ્યામાં દીપક પ્રગટાવીને આરતી કરવાથી દોષ લાગે છે.

આરતી માટેના પાત્ર અને આરતી શણગાર

ખાસ કરીને એક વાટની, ત્રણ વાટની અને પાંચ વાટની આરતી બજારમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે વિશેષ પૂજાવિધાન હોય ત્યારે આરતીની થાળીને વિશેષ રીતે સજાવીએ છીએ. એમાં પણ વિવિધતા જોવા મળે છે. કુમકુમ, ચંદન, કેસર, અષ્ટગંધ વડે આરતીની થાળીમાં અષ્ટદલ આકૃતિ બનાવીને તેના ઉપર દીપ પ્રગટાવીને આરતી ઉતારાય છે. વિશેષમાં ધન-ધાન્યની રંગોળી, થાળીમાં પૂરીને પણ આરતી સજાવાય છે. રંગબેરંગી પુષ્પો થાળી આરતીમાં પધરાવીને આરતી ઉતારાય છે. દેવી-દેવતાને પ્રિય હોય એવાં ફૂલ એવા ધાન્યથી આરતી થાળી શણગારી દેવી-દેવતાની આરતી ઉતારી તેની પ્રસન્નતા મેળવી શકાય છે.

કુંભ આરતી

ઘણાં દેવમંદિરોમાં કુંભથી ભગવાનની આરતી ઉતારવાનું વિધાન હોય છે. ખાસ કરીને કુંભમાં અનેક પવિત્ર નદીઓનાં જળને સમાવીને તેના ઉપર ઢાંકણ ઢાંકી તેના ઉપર વાટથી દીપ પ્રગટાવીને ભગવાનની કુંભ આરતી ઉતારવાનું પણ માહાત્મ્ય છે.

ખાલી કળશથી આરતી ઉતારવાથી જીવ શિવ સાથે એકાકાર થાય છે. કહેવાય છે કે ખાલી કળશમાં શિવનો વાસ હોય છે. જળથી ભરેલો કળશ એ દેવતાનું આસન છે. સમુદ્રમંથન સમયે શ્રી હરિ વિષ્ણુ ભગવાને અમૃત કળશ ધારણ કર્યો હતો. માટે કહેવાય છે કે કળશમાં દેવતાઓ બિરાજમાન હોય છે. કળશ ઉપર નાળિયેર પધરાવીને પણ આરતી કરવામાં આવે છે. નાળિયેરની શાખાઓમાંથી સકારાત્મક ઊર્જાઓનું નિર્માણ થાય છે. નાળિયેરમાંની સકારાત્મક ઊર્જા કળશના જળમાં જાય છે અને એ આરતીના માધ્યમ દ્વારા પ્રભુ પાસે પહોંચે છે. આ રીતે જીવાત્માનું સૂક્ષ્મ મિલન પ્રભુ સાથે થાય છે. આરતી એટલે પરમાત્માનું અને જીવાત્માનું દિવ્ય મિલન. જળભરેલા કળશમાં પાન, સોપારી, સુવર્ણ, ચાંદી, મુદ્રા, હીરા-માણેક પધરાવીને પણ પ્રભુની આરતી ઉતારાય છે. તુલસીદલ-વિશેષ ઔષધી પધરાવીને પણ ઈશ્વરની આરતી ઉતારવાનું વિધાન છે.

પૂર્ણ કપૂર આરતી

કર્પૂર ગૌરં કરુણાવતારમ્ સંસારસારમ ભૂજગેન્દ્રહારં સદાવસંત હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ કર્પૂર પુરેણ મનોહરેણ સુવર્ણ પાત્રામ જગસાંગેતન પ્રદીપ્ત વાસાય સ્તવ સાંગેતન નિરજ્જનમ તં જગદીશ કુર્યાત.

આ મંત્રથી ખરેખર શિવ અને પાર્વતીની આરતી ઉતારવાનું વિધાન છે. તેમ છતાં તમામ દેવી-દેવતાની પૂજામાં મુખ્ય આરતી થયા બાદ કપૂર આરતી વખતે આ મંત્રો બોલીને આરતી ઉતારાય છે. શું કામ? ખૂબ સરસ કથા છે કે જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા ત્યારે શ્રીહરિ વિષ્ણુ ભગવાને આ મંત્રથી શિવ-પાર્વતીની આરતી ઉતારી હતી અને શિવને પ્રસન્ન કર્યા હતા. તેથી દેવી-દેવતાને પ્રસન્ન કરવાના હેતુથી અંતમાં તમામ દેવી-દેવતાની આરતી કપૂરથી ઉતારવાનું વિધાન છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 1 hour ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?