- સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- હોડીમાં સવાર હતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો
- 16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા
વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થયા છે. જેમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો હોડીમાં સવાર હતા.
16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા
16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા. જેમાં જાનવી હોસ્પિટલમાં 9, સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે. તેમજ બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા તેથી આ ઘટના બની છે. તેમાં 12 બાળકો અને બે શિક્ષકના મોત થતા શાળા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બનાવ બન્યા બાદ તુરંત જ શાળા પર બેરિગેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ મુખ્ય આરોપી સહિત નીચે પ્રમાણેના શખ્સોની અટકાયત કરી છે. જેમાં બીનીત કોટિયા – કોટિયા પ્રોજેકટ ના સંચાલક, હિતેશ કોટિયા – કોટિયા પ્રોજેકટ સંચાલક, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ – સંચાલક, હરણી લેક ઝોન, દીપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશી, નેહા દોશી, તેજલ દોશી, ભીમસિંહ યાદવ, તેજ પ્રકાશ યાદવ, ધર્મીન ભતાણી -સંચાલક, હરણી લેક્ઝોન, નૂતન શાહ, વૈશાલી શાહ, શાંતિ લાલ સોલંકી – મેનેજર, હરણી લેક્ઝોન, નયન ગોહિલ – બોટ ઓપરેટર, અંકિત – બોટ ઓપરેટર છે. તેમજ પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.


