- બંને જિલ્લામાં પ્રસૂતાઓને 22મીની આસપાસ પ્રસૂતિની તારીખ અપાઈ હતી,તે દિવસે જ બાળકોના જન્મ થાય તેવી આશા રખાઈ હતી
- અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના શ્રોષ્ઠ મુહૂર્તના સંજોગ સમયે બાળકોના જન્મ થતાં પરિવારોમાં આનંદ છવાયો
- 11 પુરુષ બાળક અને 9 સ્ત્રી બાળકનો સમાવેશ થાય છે
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે જ સંતાન જન્મે ત્યારે આ પરિવારોમાં ખુશીનો કોઈ પાર રહેતો નથી. અરવલ્લી અને સાબરકાંઠામાં તા.22 જાન્યઆરીના શુભ મુહૂર્તમાં 50 બાળકો અવતર્યા હતા. જેમાં અરવલ્લી જિલ્લામાં 20 અને સાબરકાંઠા જિલ્લામાં 30 બાળકોનો જન્મ થયો હતો. કેટલીક પ્રસૃતાઓની નોર્મલ તો કેટલાક પ્રસૃતિ થઈ હતી. તો કેટલાક કિસ્સાઓમાં સિઝેરિયન કરવામાં આવ્યા હતા. જો કે દાયકાઓ બાદ 22મી જાન્યુઆરીએ મળેલ મુહૂર્તના સંયોગમાં બાળકના જન્મથી પરિવારોમાં આનંદ છવાઈ ગયો હતો. બંને જિલ્લામાં કેટલાક બાળકોનો જન્મ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયગાળા દર મિયાન બપોરે 12થી 1 વાગ્યા સુધીમાં થયો હતો. અરવલ્લી જિલ્લામાં 22 જાન્યુઆરીએ 20 બાળકોનો જન્મ થયો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ મુહૂર્તમાં સંતાન જન્મે તેવી પ્રસૃતાઓની ઈચ્છા ફળી હતી. દરમિયાન તબીબો દ્વારા 22 તારીખ આસપાસ પ્રસૃતિની તારીખો અપાઈ હતી તે પરિવારોમાં શુભ મુહૂર્તમાં બાળકનું આગમન થતાં પરિવારો ખુશીથી ઝુમી ઉઠયા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શ્રોષ્ઠ મુહૂર્તમાં પુત્ર કે પુત્રીનો જન્મ થતાં વધાવી લઈ આનંદ વ્યકત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 20 બાળકોનો જન્મ થયો હતો. તેમાં 11 પુરુષ બાળક અને 9 સ્ત્રી બાળકનો સમાવેશ થાય છે. મોડાસા તાલુકામાં સૌથી વધુ 6 બાળકોનો 22જાન્યુઆરીએ જન્મ થયો હતો. જ્યારે ભિલોડા તાલુકામાં 4, ધનસુરા તાલુકામાં 3 અને માલપુર તાલુકામાં 2બાળકો શુભ પ્રાણ પ્રતિષ્ઠાના શ્રોષ્ઠ મુહૂર્તમાં જન્મ્યા હતા. વર્ષો બાદ 22 મીએ શ્રોષ્ઠ મુહૂર્તનો સંયોગ આવ્યો હતો અને આ જ દિવસે જિલ્લામાં 20 બાળકો અવતર્યા હતા.અવધપુરીમાં તા.22 જાન્યુઆરીના રોજ રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે તે દિવસે બાબો અથવા બેબીનો જન્મ થાય તેમ અનેક પરિવારો ઈચ્છે છે ત્યારે આ દિવસે સાબર કાંઠા જિલ્લામાં 30 જેટલાં બાળકો જન્મ્યાં હતા. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ, તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સાબર કાંઠા જિલ્લામાં અનેક સગર્ભા મહિલાઓ તથા તેમના પરિવારો આ દિવસે બાળકનો જન્મ થાય તેમ ઈચ્છી રહ્યા હતા. જોકે સગર્ભાવસ્થા દર મિયાન તેણીએ જે ગાયનેક તબીબ પાસે ચેકીંગ કરાવ્યુ હતુ તે ર્ડાકટરોએ પણ સગર્ભાઓને તા.22ની સંભવીત તારીખ આપી હતી. દરમિયાન જિલ્લામાં 30 બાળકોનો જન્મ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસે શુભ મુહૂર્તમાં થયો હતો. જેના પગલે જે પરિવારોમાં બાળકોનો જન્મ થયો હતો તેઓની ખુશી બેવડાઈ ગઈ હતી.


