By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    8 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પાટલીપુત્રના પલટીપુત્ર નીતિશ :આજના રાજકારણનું અટહાસ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

પાટલીપુત્રના પલટીપુત્ર નીતિશ :આજના રાજકારણનું અટહાસ્ય

agragujaratnews
Last updated: 2024/01/27 at 8:24 PM
1 year ago
Share
પાટલીપુત્રના પલટીપુત્ર નીતિશ :આજના રાજકારણનું અટહાસ્ય
SHARE

રામમોજામાં ધોવાઇ જવાને બદલે એનડીએમાં જોડાઇ જવા નીતિશના ૧૬ સાંસદો વાડ ઉપર બેઠા હતાં એટલે નીતિશને ચામડી બચાવવી પડી !

ભાજપ પણ બિહારમાં પોતાની લોકપ્રિય નેતાગીરી ઉભી નથી કરી શકયુ : નીતિશ સાથે નાતરું કરવુ તેની મજબુરી છે

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ અને સમગ્ર દેશમાં શ્રી રામ જય રામ જય જય રામનો નાદ ગુંજી ઉઠયો એ સાથે સરેરાશ ભારતિયના મનમાં એવી આશા જાગી કે હવે રામ આવ્યા તો રામ રાજય પણ આવશે. પરંતુ આ અંક પુરો થયો એ સાથે જ  રાજકારણનું મહાભારત શરૂ થઇ ગયુ છે. ર૦ર૪ની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના ગઠબંધની ૪૦૦ બેઠક મેળવવાનું મિશન ભાજપે ચાલુ કરી દીધુ છે. તેનો પહેલો અંક બિહારમાં ભજવાઇ રહયો છે. નીતિશ આરજેડી સાથેની લીવ ઇન રિલેશનશીપ છોડી ફરી ભાજપ એટલે કે એનડીએ સાથ નાતરું કરશે. આ લખાય છે ત્યારે નીતિશની મુખ્યમંત્રી પદે ફરી એક વખત સોગંદવિધીની તૈયારી ચાલી રહી છે. પાર્ટી બદલીને ચુંટાયા વગર સૌથી વધુ વખત મુખ્યમંત્રી પદે સોગંદ લેનાર ભારતના રાજકારણના ખેલાડી તરીકે નીતિશકુમાર વિક્રમ કરશે. પાટલીપુત્રના આ નેતાને બિહારમાં નવુ બિરુદ મળ્યુ છે. પલટીપુત્ર. લગ્ન કરી સાત જનમના બંધન બાધવામાં આ નેતાને રસ નથી. સતા માટે ગમે ત્યાં લીવ ઇન રિલેશનશીપ કરી લેવી અને મતદારોને ઠોકર મારવી એ તેમને માટે રાજકારણની રમત થઇ ગઇ છે. ભારતના રાજકારણનું આ અટ્ટહાસ્ય છે. લોકશાહિનું આ અટહાસ્ય છે. મતદારો અને લોકશાહિની દુહાઇ દેનાર લોકોનું આ અટહાસ્ય છે.

અગ્ર ગુજરાતના વાંચકને ઝડપથી બનતી રાજકિય ઘટનાઓને તાત્કાલીક મળી રહે એ માટે થોડુ વિષયાંતર કરીને નવી વાત કરવી છે. નીતિશને અને ભાજપને એવી શું જરૂર પડી એ સમજીએ. પહેલાં નીતિશની વાત કરીએ તો નીતિશને માટે ત્રણ મહત્વના મુદા છે. સૌ પ્રથમ નવા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં તેમને કન્વીનર બનાવવાના હતાં. પરંતુ કોંગ્રેસને કર્ણાટક અને હિમાચલમાં સતા મળતાં તે ઉંચુ જોઇ ગઇ. નીતીશને કન્વીનર પદ ન મળ્યુ. બીજુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશમાં જે રામભકિતનું મોજુ ઉઠયુ તેમાં ભાજપ પ્રેરિત એનડીએ વન સાઇડેડ લેન્ડસ્લાઇડ વિકટરી તરફ જશે એવુ હવે નાના બાળકને પણ લાગવા માંડયુ છે. આવા સંજોગોમાં નીતિશના ૧૬ સાંસદો ગત ર૦૧૯ની ચૂંટણીમા જીત્યા છે તે ઇન્ડિયાની ડુબતી નાવમાંથી એનડીએ તરફ ઠેકી જવા તાંકીને બેઠા હતાં. જો આ સાંસદો ચાલ્યા જાય તો નીતિશ એકલા બિહારના મુખ્યમંત્રી પદે પણ ન રહી શકે. લાલુ-તેજસ્વીનો પડકાર પણ તેમને લાગે. આમ નીતિશને એક બાજુ ખાઇ અને એક બાજુ કુવો જેવુ હતું. આપઘાત કરવાને બદલે તેમણે નાતરું કરવાનું પસંદ કર્યુ.

ભાજપને નીતિશની જરૂર શા માટે હતી ? સહુ પ્રથમ એનડીએ સાથે મળીને ૪૦૦ પ્લસ બેઠક જીતી નરેન્દ્ર મોદી ભારતિય રાજકારણમા સિમાચિહ્ન વિજય અંકિત કરવાની મહત્વાકાંક્ષા સેવે છે. બીજુ ચૂંટણી પહેલાં ઇન્ડિયાના કન્વીનર પદે જે નેતાનું નામ બોલાતું હતું તેમની જ વિકેટ ખેડવી તેમને ભાજપમાં ભેળવી સોનિયા ગાંધી અને તેના સાથીઓના રથના પૈડા જ તોડી નાંખવાની ખુબ જ મોટી ચાલ છે. આ કારણે બિહારમાં પોતાના પ્રદેશ નેતાઓની નારાજગી વ્હોરી લેવાનું સમાધાન કરીને પણ નીતિશને મુખ્યમંત્રી બનાવવા પણ તૈયાર થયા. ત્રીજી બાબત એ છે કે બિહારમા ભાજપ પોતાના કરિશ્માટીક નેતા ઉભા નથી કરી શકયા. ભાજપના દેશમાં આટલાં દબદબા વચ્ચે પણ નીતિશ બિહારમાં બે લાખ લોકોની સભા યોજી શકે છે. ભાજપ એક મોટી યાત્રા પણ નથી યોજી શકયુ. આમ રાજકિય ગરજે આ લીવ ઇન રિલેશનશીપ થઇ છે. જે ર૦રપ –ર૬માં ફરી  તુટી પણ શકે છે. મતદારો માટે આ રાજકારણીઓનું અટહાસ્ય છે. પરંતુ રાજકિય પંડિતો આ મામલે ખુબ ઉતેજીત છે.

ચુંટણી સુધી રામ મોજામાં ભાજપનો રથ એકલા હાથે 3પ૦ ઉપર પહોંચાડવાનો એજન્ડા છે. આસામમાંથી રાહુલ ગાંધીની યાત્રા નિકળી અને બંગાળમા મમતાએ છેડો ફાડી નાંખ્યો. મહારાષ્ટ્રમાં મિલિન્દ દેવરાએ તારે જમીન પર દેખાડયા. બિહારમાં રાહુલ ગાંધીના યાત્રા પહોંચશે ત્યારે કોંગ્રેસના એકાદ ડઝન ધારાસભ્યો ભાજપમાં જોડાઇ તેનું સ્વાગત કરે એવો પણ તખ્તો ગોઠવાઇ રહયો છે. આગામી ફેબ્રુઆરી માસ કર્ણાટક,બિહાર,મહારાષ્ટ્ર,પંજાબ સહિતના રાજયોમાં નવા નવા રોમાંચક રાજકિય સમિકરણ દેખાડશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?