By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    41 minutes ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કરદાતાઓને ટેક્સમાં મહત્તમ છૂટની આશા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કરદાતાઓને ટેક્સમાં મહત્તમ છૂટની આશા

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:51 AM
2 years ago
Share
કરદાતાઓને ટેક્સમાં મહત્તમ છૂટની આશા
SHARE

  • 1 ફેબ્રુઆરીના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે
  • વિવિધ સેક્ટર્સની ભાવી પરિવર્તનો પર નજર
  • બજેટમાં રકમનો મોટો હિસ્સો યાત્રી સુવિધાઓ પાછળ ખર્ચાશે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ દરમિયાન થનારા પરિવર્તનો પર વિવિધ સેક્ટર્સની નજર બનેલી છે. કરદાતાઓને આ વખતના બજેટમાં નાણાપ્રધાન પાસેથી રાહતની આશા છે. આવો જાણીએ કે બજેટમાં થનારા કયા પરિવર્તન પર કરદાતાઓની નજર બનેલી છે.

રેલવેને ત્રણ લાખ કરોડ મળવાની સંભાવના, સારું ભોજન ઉપરાંત વાઇ-ફાઇ મળશે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરીએ મોદી સરકાર 2.0નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં રેલવે પર સરકારનું ખાસ ફોકસ રહેવાની આશા છે. કેન્દ્ર સરકાર આ બજેટમાં રેલવે માટેની ફાળવણીમાં વધારો કરી શકે છે. એમ મનાઇ રહ્યું છે કે સરકાર રેલવે માટેની કુલ ફાળવણી વધારીને ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. તે ઉપરાંત નવી વંદે ભારત ટ્રેનોને રોલ આઉટ કરવા પર પણ સરકારનું વિશેષ ફોકસ રહેશે. 2023ના બજેટમાં રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતના બજેટનો મોટો હિસ્સો મુસાફર સુવિધાઓને સારી બનાવવા પાછળ ખર્ચાશે. ચૂંટણી વર્ષ હોવાને કારણે હાલ કેન્દ્ર સરકારનું સૌથી વધારે ધ્યાન દેશમાં મુસાફરોની સુવિધાઓ વધારવા પર રહેશે. આ બજેટમાં સરકારનું જોર ઇલેક્ટ્રિફિકેશન અને લાઇન ડબલિંગ પર રહેશે. બંને પાછળ 50 હજાર કરોડની ફાળવણી થઇ શકે છે. વચગાળાના બજેટમાં રેલવેનું ફોકસ વંદે ભારત ટ્રેનોને રોલઆઉટ કરવા પર રહેશે. રેલવે આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનોને શરૂ કરવા માગે છે. તે માટે નવા હાઇ સ્પીડ રેલવે કોરિડોરનું પણ એલાન બજેટમાં થઇ શકે છે. તેમાં સ્ટેશન ટ્રેકની આસપાસ સોલર પેનલ લગાવવાની મંજૂરી મળવી શક્ય છે. સરકાર આ બજેટમાં ખાનગી ભાગીદારીને વધારીને સોલર પેનલ લગાવવાને મંજૂરી આપી શકે છે. ઉપરાંત ટ્રેનોમાં વાઇ-ફાઇ સુવિધા મળવાની તેમજ ટ્રેનોમાં સારું ભોજન મળે તેની વ્યવસ્થા શક્ય છે. પીપીપી મોડલ મારફત નોન ફેર રેવેન્યૂ વધારવાનો પ્રયાસ કરી શકાય છે.

CAPFના 11 લાખ જવાનોને કેન્ટીનમાં GSTમાં 50 ટકા છૂટ મળવાની આશા

નવી દિલ્હી । કેન્દ્રીય અર્ધ સૈનિક દળના 11 લાખ જવાનોને આશા છે કે વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન સીએપીએફ કેન્ટીનની પ્રોડક્ટ્સ પર 50 ટકા જીએસટી છૂટ આપી શકે છે. આ અંગે કન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સિસ માર્ટિયર્સ વેલફેર એસોસિએશને નાણાપ્રધાન સમક્ષ રાવ કરી હતી. સીએપીએફ કેન્ટીન પર જીએસટી ટેક્સને કારણે 20 લાખ પેરામિલિટરી પરિવારોનું ઘરેલું બજેટ ખોરવાઇ જાય છે. એસોસિએશન દ્વારા ઘણાં વર્ષોથી આ માગ કરાતી રહી છે કે સીએપીએફ કેન્ટીનમાં મળનારી પ્રોડક્ટ્સ પર સેનાની કેન્ટીનોની જેમ જીએસટીમાં 50 ટકાની છૂટ આપવામાં આવે. એસોસિએશનના હોદ્દેદારોના અનુસાર કેન્દ્રીય અર્ધસૈનિક દળના જવાનો અને તેમના પરિવારો માટે 26 સપ્ટેમ્બર 2006ના રોજ સેન્ટ્રલ પોલીસ કેન્ટીન સીપીસી)ની સ્થાપના કરાઇ હતી, જેનો આશય જવાનો બજાર ભાવ કરતા સસ્તો ઘરેલું સામાન ઉપલબ્ધ કરાવવાનો હતો. સીપીસી કેન્ટીન અસ્તિત્વમાં આવી તે પહેલા સુરક્ષા દળોને યૂનિટ દ્વારા સેનાની સીએડી કેન્ટીનથી ઘરેલું ઉપયોગનો સામાન ખરીદવામાં આવતો હતો. દેશના વિવિધ રાજ્યોમાં લગભગ 119 માસ્ટર કેન્ટીન અને 1778 સીપીસી કેન્ટીન છે.

PM કિસાન સન્માન રકમ વધીને વાર્ષિક 8000 થઇ શકે, 11.5 કરોડ ખેડૂતોને ફાયદો થઇ શકે

નવી દિલ્હી । કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. અંદાજ અનુસાર દેશના 11.5 કરોડ ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન રાશિમાં આ વખતે વધારો કરવામાં આવી શકે છે. હજુ સુધીમાં ખેડૂતોને સરકાર દ્વારા વર્ષમાં ત્રણ હપતામાં કુલ 6000 ચૂકવાય છે અને આશા સેવાઇ રહી છે કે નાણાપ્રધાન આગામી લેખાનુદાનમાં તે રકમને વધારીને 8,000 કરી શકે છે. કૃષિ અને ખેડૂત ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે આ રકમને વધારીને અર્થતંત્રને સુધારી શકાશે સાથે જ બજેટમાં કૃષિ લોનનું લક્ષ્ય પણ વધારવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બજેટમાં કૃષિ ક્ષેત્રને વધુ સુવિધાઓ આપવામાં આવે તેવી પણ સંભાવના છે. કહેવા માટે તો નાણાપ્રધાન ખાસ જાહેરાતો કરવાના નથી પરંતુ આ વચગાળાના બજેટમાં સૌથી વધારે અપેક્ષા કૃષિ સાથે જોડાયેલા લોકો અને નિષ્ણાતો કરી રહ્યા છે. એમ મનાઇ રહ્યું છે કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી વધારે રાહત અને ભેટ આપી શકે છે. અનુમાન છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિમાં 2000નો વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારને અલગ-અલગ એજન્સીઓ દ્વારા કિસાન સન્માન નિધિમાં વધારો કરવાનો પ્રસ્તાવ અપાયો હતો.

સરકારનું મહેસૂલી ખાધ ઘટાડવા પર જોર રહી શકે, મૂડીગત ખર્ચ પર ફોકસ યથાવત્ રહેશે

આગામી નાણાવર્ષમાં સરકાર લોકોને પસંદ પડે તેવી જાહેરાતો – ઉપાયો કરી શકે છે

રોઇટર્સ દ્વારા કરાયેલી એક પોલ અનુસાર ભારત સરકાર મૂડીગત ખર્ચને સર્વકાલીન ઉચ્ચ સ્તરે ઉઠાવ્યા બાદ પણ 2024-25 માટે પોતાની ખાધ ઓછી રહે તે લક્ષ્ય રાખીને ચાલશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે માળખાગત સુવિધામાં રોકાણ સરકારની પ્રાથમિકતા બની રહેશે. ચૂંટણી વર્ષમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ત્રીજા કાર્યકાળ માટે ઊતરશે ત્યારે વચગાળાનું બજેટ લોકોને ગમે તેવી જાહેરાતો અને ઉપાયો તેમજ મહેસૂલી વિવેક વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરશે.

આગામી નાણાવર્ષમાં મહેસૂલી ખાધ 4.5 ટકા સુધી લાવવાનું લક્ષ્ય

સરકાર 2025-26ના અંત સુધીમાં મહેસૂલી ખાધને જીડીપીના 4.50 ટકા સુધી મર્યાદિત કરવાના લક્ષ્યને લઇને ચાલી રહી છે, જે માર્ચ 2024ના અંત સુધી 5.90 ટકા છે. રોઇટર્સે 41 અર્થશત્રીઓ પર 10 થી 19 જાન્યુઆરી વચ્ચે આ પોલ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં જીડીપીના ટકાના રૂપમાં મહેસૂલી ખાધને ઘટાડવાનું લક્ષ્ય રખાયું છે. સર્વે અનુસાર 2025-26માં 4.5 ટકાની ખાધના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કુલ ખર્ચમાં સરેરાશ દર વર્ષે સાત ટકા કરતા વધારેની જરૂર નહીં રહે.

આવતા વર્ષે મૂડીગત ખર્ચ 11.50 ટ્રિલિયન થવાનું અનુમાન ।ઓક્સફર્ડ ઇકોનોમિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમનના અનુસાર આગામી વર્ષોમાં ખર્ચમાં વધારે આક્રમક કાપની સંભાવના છે. મૂડીગત ખર્ચ પહેલા જ આ નાણાવર્ષમાં 33 ટકા કરતા વધારે વધીને 10 ટ્રિલિયન થઇ ગયો છે અને ખાનગી રોકાણમાં વધારાની આશા સાથે આગામી નાણાવર્ષમાં તે 15 ટકા વધીને 11.50 ટ્રિલિયન સુધી પહોંચવાનું અનુમાન છે.

શિક્ષણ ખર્ચને પ્રાથમિકતા આપવામાં આવી શકે

હરમનના અનુસાર ખાનગી રોકાણ ખર્ચને પુનર્જીવિત કરવા માટે ભારત પાયાના માળખામાં નિરંતર અને ઝડપથી સુધારો સર્વોપરી રહેશે. ભારતની વિશાળ ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે મધ્યમ અને લાંબા ગાળામાં સતત અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે માનવ સંસાધનમાં સુધારાની જરૂર રહેશે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
ગાંધીનગર

ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના

Editor By Editor 2 days ago
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?