- 4.83 લાખ મુસાફરોએ ઓનલાઇન સીટો બુક કરવી પ્રવાસ કર્યો
- પેટલાદના 4,83,736 મુસાફરોએ 8,64,37,355રૂાની ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે
- મુસાફરોના ઓનલાઇન બુકિંગ પેટે એસટી તંત્રની તિજોરીને 8,64,37,355ની જંગી આવક થઇ છેઝ
ચરોતર પ્રદેશના આણંદ-ખેડા જિલ્લામા આવેલા 10 એસટી ડેપોના મુસાફરોએ છેલ્લા છ માસમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવીને 8.64 કરોડ રૂપિયાનુ નિગમને ચુકવણુ કરીને એસટી પ્રવાસ કર્યો છે. નડિયાદ એસટી વિભાગીય કચેરીના તાબાના બસ મથકો આણંદ, બાલાસિનોર, બોરસદ, ડાકોર, કપડવંજ, ખંભાત, ખેડા, મહુધા, નડિયાદ, પેટલાદના 4,83,736 મુસાફરોએ 8,64,37,355 રૂાની ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યહાર નિગમ દ્વારા યાત્રિકોના સમયની બચત થાય અને તેઓને ઘરે બેઠા જ જે-તે બસમા યાત્રા માટે સીટો ઉપલબ્ધ બની રહે તે માટે છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન બુકિંગનો કન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમા વિભાગીય કચેરી નડિયાદના તાબામા આવતા આણંદ, બાલાસિનોર, બોરસદ, ડાકોર, કપડવંજ, ખંભાત, ખેડા, મહુધા, નડિયાદ, પેટલાદ ડેપોમાં સતત વ્યવસ્તતાને કારણે સમયનો અભાવ ધરાવતા યાત્રિકોએ ઓનલાઇન ટીકિટ બુકીંગમા રસ દાખવ્યો છે. પરિણામે 1 જુલાઇ થી 31 ડિસેમ્બર 2023 સુધીના છ માસના સમયગાળામા પેસેન્જરોએ જે-તે લાંબા રૂટ ઉપરની બસમાં મુસાફરી કરવા માટે 483736 સીટોના બુકિંગ માટે જંગી નાણાં ખર્ચ્યા છે. મુસાફરોના ઓનલાઇન બુકિંગ પેટે એસટી તંત્રની તિજોરીને 8,64,37,355ની જંગી આવક થઇ છે. ત્યારે હવે મુસાફરોને ઓનલાઇન બુકીંગની સગવડતાને લઇને અગાઉથી જ પ્રવાસના મુદ્દે રેલવેની મુસાફરીની જેમ એડવાન્સ ટિકિટ બુક કરાવી સીટ આરક્ષિત કરાવવાની સુવિદ્યા ઉપલબ્ધ બનતા વધુ લોકો તેનો ઉપયોગ કરશે તે વાત નિવૃત બની છે. ત્યારે ઓનલાઇન બુકિંગમા સૌથી વધુ બોરસદ એસટી ડેપોમાં 82,600 મુસાફરોએ 1.63 કરોડ ઓનલાઇન નાણાં જમા કરાવ્યા છે. જયારે સૌથી ઓછા મહુધા ડેપોના 10332 મુાસાફરોએ 15,57,968 જમા કરાવ્યા છે.


