- પાકિસ્તાનમાં ઘણી હદ સુધી સરકાર રચવાની ફોર્મ્યુલા સેના દ્વારા જ નક્કી કરવામાં આવી
- પાકિસ્તાનમાં ત્રણેય પક્ષો પાસે કુલ 146 સાંસદો
- સરકાર બનાવવાને લઈ મથી રહ્યા છે રાજકીયપક્ષો
પાકિસ્તાનમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી ન મળવા પાછળ સેનાનો હાથ છે. જે દેશમાં નબળી સરકાર ઈચ્છે છે. સામાન્ય ચૂંટણીના પરિણામોના પાંચમા દિવસે સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવશે.પાકિસ્તાનમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી ન મળવા પાછળ સેનાનો હાથ છે. જે દેશમાં નબળી સરકાર ઈચ્છે છે. સામાન્ય ચૂંટણીના પરિણામોના પાંચમા દિવસે એ સ્પષ્ટ થઈ ગયું કે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીઓ સંયુક્ત રીતે પાકિસ્તાનમાં સરકાર બનાવશે. જેમાં અન્ય નાના પક્ષોને પણ સામેલ કરવામાં આવશે. એટલે કે જે રીતે પીડીએમ એટલે કે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની ગઠબંધન સરકાર ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ રચાઈ હતી, તેવી જ સરકાર હવે પાકિસ્તાનમાં બનવા જઈ રહી છે.
જેમ પાકિસ્તાન આર્મી ઇચ્છતી હતી
પાકિસ્તાનમાં પણ આ જ પ્રકારની સરકાર બનશે. છે. કારણ કે ત્રણેય પક્ષો PML(N), PPP અને MQM પાસે એકલા પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરવા માટે પૂરતી બેઠકો ન હતી. સરકાર રચવાની યોજનાને આખરી ઓપ આપી શકાશે કારણ કે,વડાપ્રધાન પદ માટે અડીખમ રહેલા બિલાવલ ભુટ્ટોએ હવે પીછેહઠ કરી છે, તેમની પાર્ટીએ PML(N)ને સમર્થન જાહેર કર્યું છે.નેશનલ એસેમ્બલીમાં PML(N) પાસે 75 સીટો છે, PPP પાસે 54 સીટો છે અને MQM પાસે 17 સીટો છે. એટલે કે ત્રણેય પક્ષો પાસે કુલ 146 સાંસદો છે. જેના દ્વારા સરકાર બનાવવાનો દાવો દાખવી શકાય છે.ગઠબંધન સરકારમાં પીએમએલ(એન)ના શાહબાઝ શરીફ વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ હોઈ શકે છે.સેનેટના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના સ્પીકર બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના હશે.
બિલાવલ ભુટ્ટોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક 11 અને 12 ફેબ્રુઆરીએ મળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પીપીપી નવાઝ શરીફની પાર્ટીને સમર્થન આપવાને બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. પરંતુ અચાનક બિલાવલ ભુટ્ટોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો. બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન પદ માટેનો પોતાનો આગ્રહ છોડી દીધો એટલું જ નહીં, તેઓ નવાઝ શરીફની પાર્ટીને સમર્થન આપવા માટે પણ સંમત થયા.
બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું
બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે, કે તેઓ દેશને મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને ફરીથી ચૂંટણી લડવા પણ નથી માંગતા. બિલાવલે તો ત્યાં સુધી કહ્યું કે તેઓ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવવાના પક્ષમાં નથી કારણ કે તેઓ તેમના પિતા છે. તેના બદલે, આસિફ અલી ઝરદારી 2008 થી 2013 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા અને તેઓ દેશને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી શકે છે.
નાગરિકોમાં ચિંતા
બિલાવલ અને શાહબાઝ 24 કલાક પહેલા સુધી એકબીજાને ટેકો આપવાનો ઇનકાર કરી રહ્યા હતા. બંને પક્ષોએ દાવો કર્યો હતો કે, તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. પરંતુ અચાનક બધું એટલું ઝડપથી બદલાઈ ગયું કે ખુદ પાકિસ્તાનના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બંને પક્ષોના નેતાઓ હવે સરકાર બનાવવા માટે તૈયાર છે. કહેવાય છે કે પાકિસ્તાનમાં સેનાની પરવાનગી વગર એક પાંદડું પણ હલતું નથી, સરકારમાં ગમે તે પક્ષ હોય, સેના હંમેશા તેમાં દખલ કરતી હોય છે. આવી સ્થિતિમાં શું પાકિસ્તાનમાં સેનાની સંમતિ વિના સરકાર બની શકે? તેથી નવાઝ અને બિલાવલના એકસાથે આવવાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેના કેન્દ્રમાં બિલાવલ ભુટ્ટો છે.
બિલાવલ ભુટ્ટો PM પદ ઈચ્છે છે
બિલાવલ ભુટ્ટો ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા હતા અને આ મામલાની તપાસ માટે પાર્ટી કમિટી બનાવવાની વાત કરી હતી. એ જ બિલાવલ અચાનક PML(N) ને સમર્થન આપવા માટે કેવી રીતે સંમત થયા? બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન પદથી ઓછું કંઈ ઈચ્છતા ન હતા. અચાનક એવું શું થયું કે બિલાવલ પાછળ હટી ગયો?પીપીપીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીએ વિપક્ષમાં બેસવાની સલાહ આપી હતી, પછી અચાનક નવાઝની પાર્ટીને સમર્થન આપવા રાજી થઈ ગયા?
રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે
રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પરંતુ પાકિસ્તાનની વાત અલગ છે, અહીંની રાજનીતિ સેનાની સૂચના પર ચાલે છે. પાકિસ્તાનમાં સેના જ સર્વોચ્ચ શક્તિ છે, આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે બિલાવલ ભુટ્ટો પોતાની મરજીથી PML(N)માં જોડાવા માટે રાજી ન થયા હોત. બલ્કે, આખી રમત સેના દ્વારા રમાય છે. કારણ કે, બિલાવલ ભુટ્ટો ઈમરાનના સમર્થનવાળા અપક્ષો સાથે સરકાર બનાવવા તૈયાર હતા. પરંતુ બિલાવલ સેનાના દબાણથી ડરતા હતા. અને આ વાતની પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે કે બિલાવલે અચાનક પક્ષ કેમ બદલ્યો અને આનો ફાયદો કોને થશે.
સેનાના બંને હાથમાં લાડુ
બિલાવલ ભુટ્ટો નવાઝની પાર્ટીને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ કોઈ મંત્રાલય લેવા તૈયાર નથી. હવે બિલાવલને આમાં ફાયદો છે કે નહીં, સેનાના બંને હાથમાં લાડુ છે. અમે તમને અગાઉ આ કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આર્મી દેશમાં નબળી અને અસ્થિર સરકાર ઈચ્છે છે, અને આ પાકિસ્તાન આર્મીની સૌથી મોટી તાકાત છે.PML(N) અને PPP સાથે મળીને સરકાર બનાવવા માટે સંમત થયા છે, પરંતુ સરકાર કેટલો સમય ચાલશે તે કહી શકાય નહીં.વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફ ત્યાં સુધી સેનાના નિર્દેશોનું પાલન કરશે. ત્યાં સુધી તેમની ખુરશી સલામત છે. કારણ કે, સેનાએ બિલાવલ ભુટ્ટોને પ્લાન બી તરીકે રાખ્યા છે.જો નબળી સરકાર દેશની સ્થિતિને સંભાળી શકતી નથી તો સેના રાજકીય અસ્થિરતાનું કારણ આપીને લશ્કરી કાયદો લાદી શકે છે.
પાકિસ્તાનના ઈતિહાસમાં આવું ઘણી વખત બન્યું છે
પાકિસ્તાનના ઈતિહાસમાં આવું ઘણી વખત બન્યું છે. અલગ દેશ બન્યા બાદ પાકિસ્તાનમાં કુલ 4 વખત સેનાનું શાસન રહ્યું છે. પાકિસ્તાનની રચનાના માત્ર 11 વર્ષ પછી, જનરલ મોહમ્મદ અયુબ ખાને સત્તા પર કબજો કર્યો અને બે વર્ષ પછી 1960 માં, પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
– વર્ષ 1969માં અયુબ ખાનને સત્તા પરથી હટાવીને યાહ્યા ખાને પાકિસ્તાનની બાગડોર પોતાના હાથમાં લીધી.
– વર્ષ 1978માં જનરલ ઝિયા ઉલ હકે ખુદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને પાકિસ્તાનની કમાન સંભાળી હતી.
– વર્ષ 1999માં નવાઝ શરીફને સત્તા પરથી હટાવીને તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફે ખુદ પાકિસ્તાનની સત્તા સંભાળી હતી.


