- ઉપેન્દ્ર કુશવાહ લોકસભાની તમામ સીટો પર NDAને ફાળો આપશે
- JDUથી અલગ થયા બાદ પાર્ટી રાષ્ટ્રીય લોક મંચ તરીકે ઓળખાશે
- તેમની પાર્ટીના નવા નામને ચૂંટણી પંચ તરફથી મંજૂરી મળી ગઈ છે
ગઈકાલે રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહે પોતાની પાર્ટીના નવા નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, JDU પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી અલગ થયા બાદ બનેલી તેમની પાર્ટી હવે ‘રાષ્ટ્રીય લોક મંચ’ તરીકે ઓળખાશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે તેમની પાર્ટીને મંજૂરી આપી દીધી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી અલગ થયા બાદ બનેલી પાર્ટી
પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ રવિવારે પોતાની પાર્ટીના નવા નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે JDU પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી અલગ થયા બાદ બનેલી તેમની પાર્ટી હવે ‘રાષ્ટ્રીય લોક મંચ’ તરીકે ઓળખાશે. કુશવાહાએ અગાઉ પોતાની પાર્ટીનું નામ ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ રાખ્યું હતું.
“રાષ્ટ્રીય લોક જનતા દળ” માટેની અમારી અરજી કરી હતી
ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે તેમની પાર્ટીના નવા નામને ચૂંટણી પંચ તરફથી મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું, “રાષ્ટ્રીય લોક જનતા દળ માટેની અમારી અરજી પર, ચૂંટણી પંચે અમને કેટલાક વધુ વિકલ્પો રજૂ કરવા કહ્યું હતું. અમે પાંચ વિકલ્પો સૂચવ્યા હતા અને ચૂંટણી પંચ રાષ્ટ્રીય લોક મંચ સાથે સંમત થયા હતા.”
40 સંસદીય બેઠકો પર NDAને સાથ આપશે
બિહારમાં એનડીએના જુનિયર એલાયન્સ પાર્ટનર કુશવાહાએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યની તમામ 40 સંસદીય બેઠકો પર ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવામાં યોગદાન આપશે. તેમણે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર પણ ઝાટકણી કાઢી હતી, જેમાં લાલુ યાદવે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે, તેઓ ક્યારે આવશે તે જોઈશું.
JDUથી અલગ થવાથી લાલુ તૂટી ગયા
લાલુના નિવેદન પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું, એવું લાગે છે કે JDUથી અલગ થવાથી લાલુ તૂટી ગયા છે, જેના કારણે RJDને સત્તા ગુમાવવી પડી છે. તેથી તેઓ એવી વાતો કહી રહ્યા છે જેનો કોઈ ખાસ અર્થ નથી.


